September 30th 2009

અંતરના દરવાજા

                અંતરના દરવાજા

તાઃ૨૯/૯/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કામણગારી દુનીયામાં,ઘણા મળી જાય સથવાર
ક્યાંથી ક્યાં શોધવા જગમાં,નામળે કોઇ અણસાર
                            …….. કામણગારી દુનીયામાં.
ચાર ડગલાં ચાલતા અવનીએ,મળી જાય સહવાસ
જીવનજીવન કરતાં જગમાં,દેહ હરપળ છે લબદાય
કુદરતની નજર પડતાં,મન ભક્તિ તરફ વળી જાય
સૃષ્ટિના આ સાગરમાં,અંતરના દરવાજા ખુલી જાય
                                 …….કામણગારી દુનીયામાં.
મર્કટમન ને દેહ દાનવનો,જ્યાં અંધારા ઘેરાઇ જાય
અવનીપરના અંધકારમાં,ઉજળા સોપાન ના દેખાય
સંસ્કારમળતાં લકીરમળે,જે દેહને સત્યના દે સોપાન
પ્રભુ કૃપાની આંગળીયે,અંતરના દરવાજા ખુલી જાય
                                   ……..કામણગારી દુનીયામાં.
સુખદુઃખની સાંકળ ના છુટે,માનવ દેહને વળગી લુંટે
ઉભરે ના અંતરનોપ્રેમ ક્યાંય,કે ના છુટે જગના મોહ
શક્તિના સથવારમાં ક્યાંય, લાગણી કે ના ઉભરેહેત
જીવનીમુક્તિજોતાંજગથી,અંતરનાદરવાજા ખુલીજાય
                                    ……..કામણગારી દુનીયામાં.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%