September 18th 2009

અશાંન્તિ ભાગી

                      અશાંન્તિ ભાગી            

તાઃ૧૭/૯/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ દુનીયાની માયા, જગમાં ના કોઇએ છે જાણી
જીવ જગતની એ જ લીલા,પરમાત્માએ છે આણી
                            ……..દેહ દુનીયાની માયા.
મળે જગતમાં દેહ જીવને,મોહ માયા વળગી ચાલે
કદીકકદીક મોહ તોછુટે,પણ માયાતો કદીના ભાગે
મન માનવતા સંબંધ સાચવે,ના તેમાં કોઇ વાણી
મળીજાય મમતા જ્યાંઆવી,રહેના જીવનમાંખામી
                            ……..દેહ દુનીયાની માયા.
પશુપક્ષીની પ્રીત ન્યારી,મળી જાયએ માનવતાએ
સાચીમાયા પ્રેમ પારખે,નીરખીલે એ માનવ જ્યારે
પરમાત્માની અમી દ્રષ્ટિને,ના સમજે માનવ આવી
સાચાસંતની સેવામળતા,ભક્તિજોઇ અશાંન્તિભાગી
                           ……..દેહ દુનીયાની માયા.

+++++++++++++++++++++++++++++++++