November 18th 2016

પવિત્ર ધરતી

.              . પવિત્ર ધરતી

તાઃ૧૮/૧૧/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબકૃપા પરમાત્માની ભારતપર,સમયે સમજાઈ જાય
પાવન ધરતી બની ગઈ એ,જ્યાં પવિત્ર દેહ ધરાઈ જાય
………..પરમાત્માની એ જ પરમકૃપા,જ્યાં એ દેહ ધરી આવી જાય.
દેહ  લીધો પરમાત્માએ અયોધ્યામાં,જે રામ સ્વરૂપ કહેવાય
માસીતાના સ્વરૂપે મા આવ્યા,જે રાવણનુ દહન કરાવી જાય
અભિમાનની અજબકેડી બતાવી,જે લંકામાં દેહને સ્પર્શી જાય
ચીંધી આંગળી રાવણે લંકામાં,જ્યાં શ્રીરામનુ અવતરણ થાય
………..પરમાત્માની એ જ પરમકૃપા,જ્યાં એ દેહ ધરી આવી જાય.
પરમાત્માનુ આગમન થયુ  દ્વારકામાં,જે શ્રીકૃષ્ણ રૂપે દેખાય
અજબ પ્રેમની વર્ષા દર્શાવે જગે,અનેક ગોપીઓ મળી જાય
માનવતાની મહેંક પ્રસરાવી,જ્યાં રાધાનો પ્રેમ  મળી જાય
પવિત્ર ભુમી ભારતની અવનીએ,જ્યાં પવિત્રકર્મને દેખાય
………..પરમાત્માની એ જ પરમકૃપા,જ્યાં એ દેહ ધરી આવી જાય.

========================================

November 9th 2016

સમજણની શોધ

.                .સમજણની શોધ

તાઃ૯/૧૧/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમજણ સમજણ શોધતા શોધતા,અક્ક્લ  ખોવાઈ ગઈ
લટક મટકતી ચાલ  ચાલતા,અંતે આફતો વધતી  થઈ
…………..ના સમજણ કોઈ શોધાઈ,કે ના અક્કલ વપરાઈ ગઈ.
મળેલ દેહને સમજણ સ્પર્શે,જે જીવનની આંગળી પકડે ભઈ
આગળપાછળના બંધન જીવને,દેહ મળતા જીવને મળે અહીં
કુદરતની આજકરામત છે,જે સમયે કાતર બની જાય છે ભઈ
અગમનીગમના ભેદ જગતમાં,કળીયુગમાં દેહને સ્પર્શે અહીં
…………..ના સમજણ કોઈ શોધાઈ,કે ના અક્કલ વપરાઈ ગઈ.
દેહના બંધન જીવને છે,જે અવનીપરના આગમને સમજાય
પરમાત્માનાપ્રેમને પામવા,મળેલ જીવનમાં નિર્મળ જીવાય
કર્મબંધન એ જીવને સ્પર્શે,જે જીવને દેહ મળતા અનુભવાય
મુક્તિમાર્ગની રાહને પામવા,નિખાલસ સમજણથી મેળવાય
…………..ના સમજણ કોઈ શોધાઈ,કે ના અક્કલ વપરાઈ ગઈ.

========================================

November 7th 2016

જલારામ જ્યોત

……..Copy of Jalaram………

.               . જલારામની જ્યોત

તાઃ૭/૧૧/૨૦૧૬    (કારતક સુદ ૭)  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા પરમાત્માની પામતા,એ જન્મ સફળ કરી  જાય
કારતકસુદ સાતમને દીવસે,દેહધરી અવનીએ આવી જાય ……..વિરપુર ગામે દેહ ધરતા,માતા રાજબાઈ પિતા પ્રધાન હરખાય. ભક્તિની ઉજ્વળ કેડીને દીધી,જ્યાંઅન્ન જીવોને દેવાઈ જાય માનવતાની મહેંક પ્રસરીજીવનમાં,જ્યાં વિરબાઈ મળીજાય
રામનામની માળા  જપતા,જીવનમાં કર્મની રાહ પકડી જાય
અનેક જીવોને ભોજન દેતા,પવિત્રકર્મનો સંગાથ મળી જાય ……..વિરપુર ગામે દેહ ધરતા,માતા રાજબાઈ પિતા પ્રધાન હરખાય.
કર્મનીકેડી પકડી પ્રેમથી,જ્યાં  પરમાત્મા પણ રાજી થઈ જાય આંગણે આવી સંતોષ મેળવતા જીવોથી,પાવનરાહ મળી જાય અવનીપરના આગમનને સમજવા,સાચીભક્તિરાહ મળી જાય વિરબાઈમાતાના સંસ્કાર સાચા,પતિને પરમાત્મા બતાઈજાય ……..વિરપુર ગામે દેહ ધરતા,માતા રાજબાઈ પિતા પ્રધાન હરખાય. =================================================

સંત પુજ્ય જલારામબાપાનો આજે કારતક સુદ સાતમ એ જન્મદીવસ છે
તે પવિત્ર દીવસની યાદ રૂપે આ પ્રાસંગીક કાવ્ય તેમની સેવામાં અર્પણ.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ પરીવાર સહિત વંદન સહિત પ્રણામ.

November 6th 2016

સનાતન સત્ય

.             . સનાતન સત્ય

તાઃ૬/૧૧/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનપ્રેમને પારખી લેતા,જીવની અપેક્ષાઓ છુટી જાય
મળે માનવતાનો સહવાસ,એ જ સનાતન સત્ય કહેવાય
……….જીવને મળેલ કાયા અવનીએ,નિર્મળ જીવનથી સમજાય.
કુદરત કેરી આ અજબ છે લીલા,જે ભક્તિ રાહે મળી જાય
ના અપેક્ષા ના મોહની કોઇ રાહ,એજ  માનવતા કહેવાય
મળે પરમાત્માની પ્રેરણા જીવને,જે સાચીરાહ આપી જાય
માનવજીવનની મહેંક પ્રસરે,અનેક જીવોને એ દોરી જાય
……….જીવને મળેલ કાયા અવનીએ,નિર્મળ જીવનથી સમજાય.
વાણીવર્તન સરળરાખતા,જીવનમાં સંબંધીઓ મળી જાય
આવતી આફતને રોકી રાખવા,જલાસાંઇની રાહદોરી જાય
મળે માનવતાનો સંગ જીવને,મળેલદેહને સાર્થક કરી જાય
આવનજાવનના બંધન છુટતા,જીવને મુક્તિરાહ મળી જાય
……….જીવને મળેલ કાયા અવનીએ,નિર્મળ જીવનથી સમજાય.

======================================