November 6th 2016

સનાતન સત્ય

.             . સનાતન સત્ય

તાઃ૬/૧૧/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનપ્રેમને પારખી લેતા,જીવની અપેક્ષાઓ છુટી જાય
મળે માનવતાનો સહવાસ,એ જ સનાતન સત્ય કહેવાય
……….જીવને મળેલ કાયા અવનીએ,નિર્મળ જીવનથી સમજાય.
કુદરત કેરી આ અજબ છે લીલા,જે ભક્તિ રાહે મળી જાય
ના અપેક્ષા ના મોહની કોઇ રાહ,એજ  માનવતા કહેવાય
મળે પરમાત્માની પ્રેરણા જીવને,જે સાચીરાહ આપી જાય
માનવજીવનની મહેંક પ્રસરે,અનેક જીવોને એ દોરી જાય
……….જીવને મળેલ કાયા અવનીએ,નિર્મળ જીવનથી સમજાય.
વાણીવર્તન સરળરાખતા,જીવનમાં સંબંધીઓ મળી જાય
આવતી આફતને રોકી રાખવા,જલાસાંઇની રાહદોરી જાય
મળે માનવતાનો સંગ જીવને,મળેલદેહને સાર્થક કરી જાય
આવનજાવનના બંધન છુટતા,જીવને મુક્તિરાહ મળી જાય
……….જીવને મળેલ કાયા અવનીએ,નિર્મળ જીવનથી સમજાય.

======================================