October 29th 2015

સ્નેહની જ્યોત

.                    .સ્નેહની જ્યોત

તાઃ૨૯/૧૦/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમ સ્નેહની પ્રેમાળ જ્યોતે,દેહનીમાનવતા મહેંકી જાય
કુદરતની આ અજબલીલા,અવનીપર આગમને સહેવાય
………સમજણની સાચી રાહે ચાલતા,પરમાત્માની કૃપા થઈ જાય.
નિર્મળ જીવનનીરાહ મળે,જ્યાં અપેક્ષાઓથી દુર રહેવાય
મળે પ્રેમની કેડી જીવનમાં,જે જીવનને પાવન કરી જાય
સુખ શાંન્તિના વાદળ વર્ષે,ના કોઈથી જગતમાં છટકાય
પળેપળને સમજી ચાલતા,જીવનેઅનંતશાંન્તિ મળીજાય
………સમજણની સાચી રાહે ચાલતા,પરમાત્માની કૃપા થઈ જાય.
કર્મના બંધન જીવને જકડે,જ્યાં જન્મમરણ બંધાઈ જાય
અવનીપરનો સંબંધ તો જીવને,અનેક દેહથી સ્પર્શી જાય
કરેલકર્મએ જીવનેજકડે,જે જીવનુ આવનજાવન કહેવાય
મળેલ સાચો પ્રેમ માનવને,જ્યોત બની નેજ સ્પર્શી જાય
………સમજણની સાચી રાહે ચાલતા,પરમાત્માની કૃપા થઈ જાય.

============================================

October 27th 2015

કોણ આવે?

Krupa.

 

 

 

 

 

 

 

 

.                      . કોણ આવે?

તાઃ૨૭/૧૦/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળે માનવદેહ અવનીએ,જ્યાં પરમાત્માની કૃપા થાય
કર્મનાબંધન જીવનો છે સંબંધ,જે અવનીપર આગમને દેખાય
………. પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,જે સરળજીવનથી સમજાય.
માનવ જીવન મળે કર્મબંધને,જે અવનીપર સંબંધથી દેખાય
માનવતાનીમહેંક પ્રસરે જીવનમાં,જ્યાં નિર્મળજીવનજીવાય
ભક્તિભાવનો સંગ રાખતા માનવને,ના આફત કોઇ અથડાય
આવીઆંગણે પ્રભુકૃપા રહે,જેના આગમને જીવન ઉજ્વળ થાય
………. પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,જે સરળજીવનથી સમજાય.
જીવને મળેળ જ્યોત જગતમાં,પવિત્ર રાહ જીવને આપી જાય
વડીલને વંદન પ્રેમથી કરતાં,આશીર્વાદે પાવનરાહ મળીજાય
પ્રેમની વર્ષા આંગણે આવતા,અદભુતરાહ જીવનમાં મળી જાય
કોણ આંગણે ક્યારે આવશે,ના કોઇ અપેક્ષા જીવને દેહથી રખાય
………. એજ પરમકૃપાળુ છે પરમાત્માની,જે સરળ જીવનથી મળી જાય.

———————————————————————

October 27th 2015

પાવન જીવન

.            . પાવન જીવન

તાઃ૨૭/૧૦/૨૦૧૫              પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનની મહેંક પ્રસરે,જ્યાં સાચી રાહે જીવાય
અપેક્ષાના વાદળ તોડતા,જીવપર પ્રભુકૃપા થઈ જાય
…….એજ સાચી રાહ જીવનની,જ્યાં પાવનકર્મનો સંગ લેવાય.
દુઃખની દોરીતો સૌને જકડે,ઉજ્વળ રાહ પણ  છુટી જાય
સુખનીએકજ અપેક્ષાએ,જીવનમાં અશાંન્તિ આપી જાય
પરમપ્રેમની રાહ મળે,જ્યાં શ્રધ્ધાએ સાચી ભક્તિ થાય મોહનીકેડી અંતરથી છુટતાં,જલાસાંઇની કૃપા થઈજાય
…….એજ સાચી રાહ જીવનની,જ્યાં પાવનકર્મનો સંગ લેવાય.
સુર્યદેવના આગમનથી અવની પર,સુપ્રભાત મળી જાય પ્રથમપુંજા સુર્યદેવનીકરતાં,જીવપરઅજબકૃપા થઈજાય પાવનદ્વારને ઉજ્વળ કરવા,,આંગણે આવીને અર્ચના થાય
મળી જાય જીવને પાવન  જીવન,જે મુક્તિ માર્ગ દઈ જાય
……એજ સાચી રાહ જીવનની,જ્યાં પાવનકર્મનો સંગ લેવાય. =========================================== =

October 24th 2015

ગઝલ સમ્રાટનુ સન્માન

Gulam.

.                      . ગઝલ સમ્રાટનુ સન્માન  .         

તાઃ૨૪/૧૦/૨૦૧૫                           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ગુલામભાઈની ગઝલ છે એવી,જાણે સાહિત્યના વાદળ ગાજતા ભઈ
અજબ કલમનીકેડી પકડી ચાલતા,ગઝલ સમ્રાટ બની ગયા છે ભઈ
…એવા કલમપ્રેમી શ્રી ગુલામભાઈ,સરસ્વતી સંતાનને મળવા હ્યુસ્ટન આવ્યા ભઈ.
શેર શાયરી એ કૃપા છે માતાની,જે તેમની ચાલતી કલમે મેળવાય
શબ્દેશબ્દને પકડીચાલતા સર્જક શ્રી ગુલામઅબ્બાસ નાશાદ કહેવાય
મળે માતાનો સાચોપ્રેમ જીવનમાં,એ સાહિત્યની લાયકાતે મેળવાય
પરમકૃપાના પાત્ર જીવનમાં બનતાં,જગતમાં કલમપ્રેમીથી ઓળખાય
…એવા કલમપ્રેમી શ્રી ગુલામભાઈ,સરસ્વતી સંતાનને મળવા હ્યુસ્ટન આવ્યા ભઈ.
માયાના વાદળ ના અડકે જીવનમાં,કે ના મોહની કોઇ કેડી દેખાય
સરળજીવનની રાહે ચાલતાં,જગતમાં શેર શાયરીના સર્જક કહેવાય
પ્રદીપને હૈયે આનંદ અનેરો,કલમની સાચીકેડી દેવા પ્રેમે મળી જાય
એજ કૃપા મા સરસ્વતીની આજે,જે કલમપ્રેમીઓને સંગ કરાવી જાય
…એવા કલમપ્રેમી શ્રી ગુલામભાઈ,સરસ્વતી સંતાનને મળવા હ્યુસ્ટન આવ્યા ભઈ.

************************************************************
માતા સરસ્વતીની અસીમ કૃપા પામીને કલમની પવિત્ર કેડીએ ચાલતા પુજ્ય શ્રી ગુલામભાઈ અબ્બાસ નાશાદ  હ્યુસ્ટનના કલમપ્રેમીઓના પ્રેમને પારખી અત્રે પધાર્યા છે તે માટે તેમનો અંતરથી   આભાર સહિત  હ્યુસ્ટનની યાદ રૂપે સપ્રેમ ભેંટ
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ  સહિત  હ્યુસ્ટનના મા સરસ્વતીના સંતાનના વંદન. તાઃ૨૪/૧૦/૨૦૧૫.

October 20th 2015

માતાના પગલાં

Ma Ambe……....

.                      . માતાના પગલાં

તાઃ૨૦/૧૦/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય અંબે મા જય જય દુર્ગે મા,જય જય કાળકા મા
પ્રેમ ભાવથી ગરબે ધુમતી,નારીઓ માને વંદન કરીજાય
…..એવા નવરાત્રીના પવિત્ર દીને,ગરબે ઘુમી માતાને રાજી કરાય.
તાલી તાલે રમતી સહેલીઓ,સંગે ભક્તોનાતાલ મળી જાય
ડાંડીયાની અનોખી રેલીએ,ભક્તો ગોવાળીયાઓ બની જાય
ગોપીઓ સંગે તાલ દેતા અજબ ઢોલ નગારાય વાગી જાય
ડગલે પગલે માને પુંજતા,હૈયે અનંત આનંદ મળી જાય
…..એવા નવરાત્રીના પવિત્ર દીને,ગરબે ઘુમી માતાને રાજી કરાય.
આરાસુરથી મા અંબે આવ્યા,ને કાસોરથી માતા મહાકાળી
અજબ કૃપાની કેડી સંગે લઈને,માતા દુર્ગા પણ આવી જાય
બહુચરામાની પ્રેમનીરાહે,ભક્તોને અનંત આનંદ મળી જાય
ખોડીયારમાતાની જ્યાંમળી કૃપા,ત્યાં પ્રેમથી ગરબા ગવાય
…..એવા નવરાત્રીના પવિત્ર દીને,ગરબે ઘુમી માતાને રાજી કરાય.

**************************************************

October 16th 2015

માડીનો ગરબો

……….Ambe Mataji

.                  . માડીનો ગરબો

તાઃ૧૬/૧૦/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ગરબે ઘુમવા,મન મારુ આજ હરખાય
પાવનપ્રેમથી ડાંડીયા રમતા,તાલીઓ પડી જાય
………નવરાત્રીની પવિત્ર રાત્રીએ,માતાને પ્રેમે વંદન થાય.
અનંત પ્રેમ માતાનો મળે,જ્યાં નિર્મળતાએ ઘુમાય
તાલેતાલની અજબકેડીએ,માતાને શ્રધ્ધાએ પુંજાય
શબ્દસુરને સમજી રહેતા,તાલની કેડી ઉજ્વળ થાય
આરાસુરથી મા અંબે આવે,ને કાસોરથી મા કાળકા
……..એજ  શ્રધ્ધા ભક્તિ છે,જે માતાના ગરબે ઘુમે મળી જાય.
પ્રેમ ભાવથી તાલી લેતા,મા દુર્ગાની કૃપા થઇ જાય
બહુચરમાને પ્રાર્થના કરતા,માતાનો પ્રેમ મળીજાય
પવિત્ર પ્રસંગને પારખતા,આસો માસે ગરબે ઘુમાય
ઉજ્વળ જીવનની રાહે મળે,જ્યાં નવરાત્રી ઉજવાય
………પરમપ્રેમની ગંગાએ,મળેલ જીવન પાવન થઈ જાય

=====================================

October 13th 2015

નવરાત્રીનો રંગ

Mataji krupa

 

 

 

.

.

.

.

.

.

.

.                          .                               નવરાત્રીનો રંગ

તાઃ૧૩/૧૦/૨૦૧૫                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ગરબે ઘુમતા,નવરાત્રીમાં કૃપા તારી થઈ જાય
નિર્મળ જીવનની જ્યોત પ્રગટતા,હૈયે આનંદની વર્ષા જાય
……….ગરબે ઘુમતા તાલીઓના તાલે,માડી તારો અનંતપ્રેમ મળી જાય.
અંબે માની અજ્બ શક્તિ છે,જે આ  જીવનને પાવન કરી જાય
ગરબે ઘુમતા જયઅંબેમા ભજતા,માનો અનંતપ્રેમ મળીવાય
ડાંડીયા રાસની રમઝટે રમતા,ભક્તો પર માતાની કૃપા થાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતાં,મા અંબાની અસીમકૃપા થઈ જાય
……….ગરબે ઘુમતા તાલીઓના તાલે,માડી તારો અનંતપ્રેમ મળી જાય.
ૐ ક્રીમ કાલીયે નમઃના સ્મરણથી,મા કાળકા રાજી થઈ જાય
અજબ શક્તિશાળી માકાલી,ભક્તો પર અનંત કૃપા કરી જાય
નવરાત્રીની નવરાત્રીએ ગરબે ઘુમતા,જીવપર મા કૃપા થાય
ગરબે ઘુમતા ડગલે પગલે,ભક્તિથીમાને અંતરથી રાજી કરાય
……….ગરબે ઘુમતા તાલીઓના તાલે,માડી તારો અનંતપ્રેમ મળી જાય.

—————————————————————————–

 

 

October 9th 2015

દશેરાની જ્યોત

.                      .દશેરાની જ્યોત

તાઃ૯/૧૦/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિ પામી ભક્તિથી,એજ શ્રધ્ધા સાચી કહેવાય
ભોલેનાથની કૃપા પામતા,રાવણ લંકાનો રાજા થઈ જાય
………એ અજબલીલા અવિનાશીની ના માનવ મને સમજાય.
ભક્તિભાવથી પ્રભુને  રાજીકરતા,કૃપા માનવ પર થઇજાય
આશીર્વાદની એક જ કેડીએ,અજબ શક્તિને એ પામી જાય
ભોલેનાથની ભોળી ભાવનાએ,રાજા થઈને રાવણ હરખાય
સમય ઉંમરના પકડાય કોઇથી,એતો સમયે સમજાઇ જાય
………એ અજબલીલા અવિનાશીની ના માનવ મને સમજાય.
મળેલ સાચા આશિર્વાદ ભોલેનાથના,નાકોઇથી તેને અંબાય
કળીયુગ કેરી એક જ ટકોરે ,રાવણની બુધ્ધિ પણ ભટકી જાય
પરમાત્મા રામ થઈ આવ્યા,ને સીતાજીનુ હરણ કરાવી જાય
બુધ્ધિ બગડેલ રાવણની લંકામાં જ,પ્રભુ રામથી દહન થાય
………એ અજબલીલા અવિનાશીની ના માનવ મને સમજાય.

=====================================

October 8th 2015

ફયુનરલ-હળવે હૈયે”

.                     . ફયુનરલ-હળવે હૈયે”

શબ્દની સાંકળ     તાઃ૮/૧૦/૨૦૧૫      પ્રદીપ બ્રહ્મભટ્ટ

  ફ રી પૃથ્વીપર આવવુ હોય તો મોહમાયાને ચોટી રહેવુ.
      યુ ગ એ પરમાત્માની લીલા છે. જેમાં જીવે દેહ મળતા જીવવુ પડે.
          જર કોની કેવી છે તે અનુભવથીજ પરખાય  છે.
            ર મત ગમત એ સમય પસાર કરવાની કેડી છે.
               લ ખ્યા લલાટે લેખ વિધીના કોણ શક્યુ છે જાણી રાજા હોય કે રાણી.
  હ જુ તમારી પાસે સમય છે સાચી ભક્તિએ પ્રભુ કૃપા મળશે.
       ળ ની જેમ જો વાંકા ચુકા થઈ ગયા તો આફતની વર્ષા થશે.
             વે લણ એ રોટલી બનાવે પણ જો બૈડે પડે તો હાડકુ તોડી નાખે.
હૈ યેથી નીકળેલ પ્રેમ હંમેશા શાંન્તિ આપશે.
      યે કહેના મુશ્કિલ હૈ કી હમ પહલે જનમમેં કૌન થે.

==============================================

October 4th 2015

પ્રેમની ગંગા

.                    .પ્રેમની ગંગા

તાઃ૪/૧૦/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળપ્રેમની ગંગા વહે,જ્યાં માનવતાને સચવાય
જીવને મળેલ ભક્તિ જ્યોતે,ઉજ્વળ રાહ મળી જાય ……….જીવને મળે માનવદેહ છુટતા,મુક્તિમાર્ગ મળી જાય. આજે મળીશુ કાલે મળીશુ,ના અપેક્ષાય કોઇ રખાય
મળેલ પ્રેમ અંતરનો જીવને,સુખ શાંન્તિ આપી જાય
લાગણી પ્રેમને દુર રાખતાજ,હૈયે હેત ગંગા વહી જાય
મળેલ પ્રેમને પારખી લેતા જ,સદાય સ્નેહ મળી જાય
………એ જ મળેલ પ્રેમથી,જીવનમાં પ્રેમ ગંગા વહી જાય.
મારૂ બને જીવનની  કેડી,જ્યાં અભિમાનને ના અંબાય
અવનીના આગમનને પારખતા,પ્રભુ કૃપા મળી જાય
જીવનેમળે જ્યોત જલાસાંઇની,જે સદમાર્ગે લઈ જાય મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જ્યાંઘરમાં ભક્તિથાય ……..આવી આંગણે શાંન્તિ રહે,જ્યાં સુર્યદેવને અર્ચના થાય. +++++++++++++++++++++++++++++++++++++++