October 27th 2015

કોણ આવે?

Krupa.

 

 

 

 

 

 

 

 

.                      . કોણ આવે?

તાઃ૨૭/૧૦/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળે માનવદેહ અવનીએ,જ્યાં પરમાત્માની કૃપા થાય
કર્મનાબંધન જીવનો છે સંબંધ,જે અવનીપર આગમને દેખાય
………. પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,જે સરળજીવનથી સમજાય.
માનવ જીવન મળે કર્મબંધને,જે અવનીપર સંબંધથી દેખાય
માનવતાનીમહેંક પ્રસરે જીવનમાં,જ્યાં નિર્મળજીવનજીવાય
ભક્તિભાવનો સંગ રાખતા માનવને,ના આફત કોઇ અથડાય
આવીઆંગણે પ્રભુકૃપા રહે,જેના આગમને જીવન ઉજ્વળ થાય
………. પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,જે સરળજીવનથી સમજાય.
જીવને મળેળ જ્યોત જગતમાં,પવિત્ર રાહ જીવને આપી જાય
વડીલને વંદન પ્રેમથી કરતાં,આશીર્વાદે પાવનરાહ મળીજાય
પ્રેમની વર્ષા આંગણે આવતા,અદભુતરાહ જીવનમાં મળી જાય
કોણ આંગણે ક્યારે આવશે,ના કોઇ અપેક્ષા જીવને દેહથી રખાય
………. એજ પરમકૃપાળુ છે પરમાત્માની,જે સરળ જીવનથી મળી જાય.

———————————————————————

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment