April 30th 2010

શક્તિ

                                  શક્તિ

તાઃ૩૦/૪/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી કરેલી મહેનત,જેની જીવન સંગે સહેમત
સફળતાની એ શક્તિ,ના કદી કોઇથી એ ઢળતી
                    ……… મનથી કરેલી મહેનત.
હાના ની ના કોઇ વ્યાધી,કે ના આવે કોઇ આંધી
સરળતા સંગે સફળતા,એ ચાલે સહસંગીની થઇ
સ્વચ્છ બને જ્યાં જીવન,ત્યાં પ્રભુની કૃપા શક્તિ
માનવતાની સુવાસ મહેંકે,ને થાય સાચી ભક્તિ
                  …………મનથી કરેલી મહેનત.
ચિંતન મનથી થાય,જ્યાં વિચારોને વળ દેવાય
વ્યાધી ભાગતી દુર રહે,ને સફળતા મળતી જાય
શક્તિએ તાકાત મનની,જ્યાં વિટંમણા અટવાય
મળીજાય સોપાનનોસંગ,ને સફળતાઓ ઉજવાય
                    ……….મનથી કરેલી મહેનત.

===============================

April 29th 2010

શું મેળવ્યુ?

                                       શું મેળવ્યુ?

તાઃ૨૯/૪/૨૦૧૦                                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

                મનુષ્ય પોતાની જાતને હોશિયાર સમજી કરોડો લોકોને
ઉલ્લુ બનાવે છે,જે જગતમાં જોઇ શકાય છે.છતાં આ  કળીયુગની
દેખાવની હવાને કારણે કોઇ પગલુ ભરાતુંનથી. તેથી દુઃખી માણસ
દુનીયાના કોઇપણ દેશમાં સુખની દીશા પણ જોઇ શકતો જ નથી. 
કરોડો ડોલરો કે રૂપીયાને માનવીના હિતમાં ન વાપરતાં પાંચદસ
માણસની વધારાની બુધ્ધિ જે ખોટા રસ્તે જ દોરે છે તેમાં કોઇ કંઇ
કરી શકતુ જ નથી.તેમાં સૌ પ્રથમ તો ચંદ્ર પર જવાની જરૂર શી?
પૃથ્વી પર ભગવાને જન્મ આપ્યો છે તો તે સાર્થક કરવા માટે તમારી
માણસાઇનો ઉપયોગ કરી  ગરીબ,અપંગ,ભુખ્યા,નિરાધારને સહારો
આપી તેમના જીવનને મદદરૂપ થવુ જરુરી છે નહીં કે લોકોએ કરેલી
મહેનતમાંથી મેળવેલ પૈસા (Social security) ને દેખાવ માટે
બગાડવા.સહારો બનવાને બદલે થોડા વર્ષો પર અઢળક ખર્ચો કરી
ત્યાં જીવ નથી તે જાણી એક પત્થર લઇ આવ્યા છે.જે નાસામાં છે.
અને હમણાં જઇને જોઇ આવ્યા છે કે ત્યાં પાણી છે.પરમાત્માની
સામે મનુષ્ય કાંઇજ નથી. આ ખર્ચા કરી લોકોની હાય મેળવી બીજુ
શું મેળવ્યું? પૃથ્વી પર ત્રણ ભાગ પાણી છે અને એક ભાગ જમીન
છે, તે તો બાળપણથી જગત જાણે છે.ત્યાં પહોંચેલ માણસ  કરી શુ
શકવાનો છે?કારણ ભગવાન એ જગતકર્તા છે.પાણી જોનાર માણસ
પાછળ ગરીબો અને મહેનત કરી જીવતા માણસોનીમજુરીએ મેળવેલ
આવકનો ધુમાડો કરી વલખાં મારી પાછોઆવવાથી તે જગત માટે કે
માનવ માટે કાંઇજ કરી શકવાનો જ નથી.
                 અત્યારે આ દેશમાં હાથમાં બોર્ડ લઇને લોકો ભીખ માગે
છે જે મેં જોયેલ છે.તો શા માટે જ્યાં જન્મ મળ્યો છે તે સાર્થક કરવા
પ્રયત્ન થતો નથી? કેમ ચંદ્ર પર જ માણસ જાય છે તમારી સુર્ય પર
જવાની તાકાત કેમ નથી? અઢળક નાણાનો બગાડ કરી ચાંચ ઉચીં
રાખવાની કોઇ જરૂર ખરી?
              આટલા વર્ષોથી ફક્ત ચંદ્ર પર જઇ અમેરીકા,ભારત,રશીયા
કે બીજા કોઇપણ દેશે પૈસાનુ પાણી સિવાય બીજુ કર્યુ શુ? પાણી જોયુ
જે પરમાત્માએ પહેલેથી જ રાખેલ છે.
               વૈજ્ઞાનીકોની કોઇ તાકાત નથી કે તે કુદરતને  હલાવી શકે.
એક વાવાઝોડુ કે વરસાદ રોકી શકાતો નથી તે બીજુ શું કરી શકે?
હા તે દેખાવ માટે અને કુદરતે જે રચના કરી છે તે તેની આંખથી
કે પછી દુરબીનથી જોઇ શકે અને તેમાં કોઇ ફેર કરવાની એક અંશની
પણ તાકાત નથી.તો શા માટે ગરીબોના અને મહેનત કરી જીવતા
માણસોના પરસેવાના પૈસા દુનીયાને દેખાડવા વ્યર્થ કરી તેમણે શું
મેળવ્યુ?
              પોતાનુ આયુષ્ય?          ના.
              કોઇની કૃપા?                  ના.
              ગરીબોની હાય?             હા.
              નાણાંનો વ્યય?              હા.

==================================

April 29th 2010

સાચી સૉડ

                             સાચી સૉડ

તાઃ૨૯/૪/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાસુમાની સૉડમાં રહેતાં,સધળુ જ મળી જાય
ના વ્યાધી ઘરમાં રહે,ને ભરથાર પણ હરખાય
                             ………..સાસુમાની સૉડમાં રહેતાં.
ઉજ્વળ જીવનની કેડી વહુને,આશીશે જ દેખાય
મળેપ્રેમ સાસુ સસરાનો,જે માબાપ હવે કહેવાય
પુંજન અર્ચન કરતાં પહેલા,સાસુને પગે લગાય
આશીર્વાદ મળીજતાંતો,પરમાત્મા પણ હરખાય
                             ……….સાસુમાની સૉડમાં રહેતાં.
પતિને ઉભરે પ્રેમ હદયથી,જે સંગે રહેતા દેખાય
માબાપને ખુશી દેખતાં,સંતાનનેય  આનંદ થાય
પારકા ઘરની જેપુત્રી,મેળવે જ્યાં માબાપનોપ્રેમ
સંસ્કારનીએ મહેક જોઇઆજે,પતિદેવ રહે હેમખેમ
                            …………સાસુમાની સૉડમાં રહેતાં.
કુદરતની આ કામણ લીલા,માબાપથી અનુભવાય
સંતાનનો સહવાસ લેવો,એ ક્રમ જગતનો કહેવાય
બાળપણ ને ઘડપણ સંગે,જ્યાં પવિત્ર વર્તન થાય
પતિ,પુત્રી કે સંતાન જગે,માના સંબંધથી સહેવાય
                                ………..સાસુમાની સૉડમાં રહેતાં.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

April 28th 2010

લખી લીધું

                             લખી લીધું

તાઃ૨૮/૪/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના કોઇએ આંગળી ચીંધી,કે ના કોઇએ જકડી લીધી
કૃપાથતાં માસરસ્વતીની,મેં ચાર પંક્તિ લખી લીધી
                        ……….ના કોઇએ આંગળી ચીંધી.
ભણતરની ના ગુલામીલીધી,કે ના લાગવગને પકડી
સાચી સીડી પ્રેમનીમળતી,જેણે મતીને પ્રેમમાં જકડી
કળીયુગી નાસ્પર્શી આદેહને,કે ના મોહમાયાએ લટકી
સાચા સંતે ચીધી આંગળી,જેણે લખવા બુધ્ધિને પ્રેરી
                       ………..ના કોઇએ આંગળી ચીંધી.
સ્નેહ સર્જકોનો સંગ દેતાં,માની કૃપા પણ મળી ગઇ
આજકાલના વિચારવમળમાં,એ વર્ષોથી વહેતી થઇ
લાગણી તો હૈયેથી ઉભરે,ને હેતતો માનવતાએ મળે
સથવાર મળે જ્યાં બંન્નેનો,ત્યાં કાગળે કલમને જકડી
                       …………ના કોઇએ આંગળી ચીંધી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

April 27th 2010

ગબડી પડ્યો

                       ગબડી પડ્યો

તાઃ૨૭/૪/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મુન્નો મારો છે મોટો દીકરો,ને તેજુ મારો નાનો
મનથી રાખુ હેત બંન્ને પર,બનુ પિતા હુ અનેરો
                 ……….મુન્નો  મારો છે મોટો  દીકરો.
લાગણી જોતાં દોડીઆવે,બંન્ને નાના હતા જ્યારે
હેત અમારા મનથી લેતાં,આંગળી એ પકડે ત્યારે
સંતાનનો સહવાસ અમને,ઉજ્વળ જીવન દઇ દે
ભાવિને સંભાળવાકાજે,કહેતા ભક્તિ સંગ લઇ લે
                 ……….મુન્નો  મારો છે મોટો  દીકરો.
મુન્નાને થોડી માયા વળગી,પરદેશ પહોંચવા કાજે
સહવાસને થોડો દુર રાખી,એના વિચારોમાંજ રાજે
ના અણસાર મળ્યો અમને,પણ શોધી લીધી છોરી
આવી ગયો એ અમેરીકા,ને ત્યાં મેળવી જીવે હોળી
                    ………મુન્નો  મારો છે મોટો  દીકરો.
નાનો મારો હેત મેળવે,ને માબાપ ની આશીશ લે
મહેનતનો એણે સંગરાખ્યો,ત્યાં સ્રરળતા માણી લે
સોપાનસુંદર સંગે માબાપને,ભક્તિપ્રેમ ઘરે મળ્યો
સફળ જન્મ મેળવીલીધો,ને કર્મ ઉજ્વળ કરીલીધા
                    ………મુન્નો  મારો છે મોટો  દીકરો.
જુવાનીના પંથે આવતાં,સંતાનને જે મળે સહવાસ
જીવન જીવવાની કડી મળે,જે દેહને જ  દોરી જાય
મુન્નાની માયા પરદેશની,ના મળે સહવાસ કે સાથ
ગબડી પડ્યો એ જીંદગીમાં,ત્યાં ના પકડે કોઇ હાથ
                    ………મુન્નો  મારો છે મોટો  દીકરો.

+++++++++++++++++++++++++++++++

April 26th 2010

રાત્રીને વધામણા

                      રાત્રીને વધામણા

તાઃ૨૬/૪/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન તો છે વહેતુ ઝરણું,જે ખળખળ વહેતુ જાય
સરળતાનો સહવાસ મળે,ને સુખદુઃખ સહેતુ જાય
                      ………..જીવન તો વહેતુ ઝરણું છે.
જીવના સંબંધ અવતરણ સંગે,જન્મતા સહવાય
ઉત્તર,દક્ષિણ,પુર્વ,પશ્ચીમ,એતો સમયેજ સમજાય
માનવ દેહને મહેનત વળગે,જે દીવસે જ દેખાય
અંધારુ પામતા રાત્રીનું,દેહને શાંતિ જ મળીજાય 
                       ………..જીવન તો વહેતુ ઝરણું છે.
ઉજ્વળ જીવનમાં સદા,શહેનાઇઓ જ છે સંભળાય
સ્નેહશાન્તિ ને પ્રેમનીવર્ષા,જ્યાં સંબંધને સચવાય
પાવન કર્મ કરવા જીવને,ભક્તિનોસંગ મળી જાય
સુર્યોદયનો સહવાસ મળે,જ્યાં રાત્રી પ્રેમ સહવાય
                      …………જીવન તો વહેતુ ઝરણું છે.

++++++++++++++++++++++++++++++

April 25th 2010

અભિમાનની કેડી

                     અભિમાનની કેડી

તાઃ૨૫/૪/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનું હું કે હું જ વાઘ છું,ને બીજા બધાજ છે બકરી
બંધુકની જ્યાં ગોળીછુટે,ત્યાં આવી જાય ભઇ ચકરી
                       …………માનું હું કે હું જ વાઘ છું.
પાટી હાથમાં જ્યારથી,પેન આંગળીમાં છે ત્યારથી
સમજી સમજી જ્યાં ચાલતી,ના મળતી કોઇ લાકડી
ઓવારેથી જ્યાં ઉછળી,ત્યાં મળી અભિમાનની કેડી
સંગ્રામ મળ્યો સંસારમાં, ભઇ આવી જીવનમાં હેલી
                       ………..માનું હું કે હું જ વાઘ છું.
ઇર્ષાનીવણઝારમાં ચાલતાં,બૈડે થપ્પાઓ સૌ મારતાં
સમજ નાઆવી સંસારની,ત્યાં શીખા ઉંચીસૌ રાખતા
કેડી ખોટી છે મળી દેહને,જે અધોગતીએ જ લઇ જાય
જ્યાં છોડી અભિમાનનીકેડી,ત્યાં પાવનરાહ છે દેખાય
                        ……….માનું હું કે હું જ વાઘ છું.

================================

April 25th 2010

લગની લાગી

                       લગની લાગી

તાઃ૨૫/૪/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

લગની લાગી રામ નામની,મનથી કાયમ રટણ કરુ
ભક્તિની જ્યાં વાત આવે,ત્યાં જલાસાંઇને અનુસરુ
                     ………..લગની લાગી રામ નામની.
દેહ છે પામર ક્યારે ઢળશે,ના જગમાં કોઇ એ જાણે
ભક્તિનુહોય પાસુ ભારે,તો પરમાત્મા લેવાજ આવે
મન મતી ને તનની દ્રષ્ટિ,માબાપથી મળતી ચાલે
સંસ્કાર સિંચન એ વર્તન છે,જે ભક્તિ સંગે જ આવે
                     ………..લગની લાગી રામ નામની.
ઉજ્વળ જીવન પામવાકાજે,ભણતરનો સંગ રખાય
સફળતાનો સહવાસ મળે,ત્યાં આનંદ આનંદ થાય
લગની લાગે જ્યાં ભણતરની,ત્યાં જ્ઞાન મળી જાય
પાટી પેનને પારખી લેવા,ગુરૂજીને પ્રેમે વંદન થાય
                    …………લગની લાગી રામ નામની.
ભાવિને નાઓળખે જગમાં,કે ના આંગળી કોઇ ચીંધે
ભક્તિ પ્રેમને વળગી રહેતાં,પરમાત્મા પ્રેમથી રીઝે 
સંસ્કાર પ્રેમની સાંકળ ન્યારી,ભક્તિને લે એ જકડી
માણસાઇનીજ્યાંજ્યોતજલે,ત્યાં જીવનેમુક્તિમળતી
                      ……….લગની લાગી રામ નામની.

################################

April 24th 2010

મુલાકાત

                               મુલાકાત

તાઃ૨૪/૪/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહને બંધન લાગે અનેક,ના આવે જીવની સાથે છેક
મુલાકાત સાચા સંતની, જન્મ સફળ કરવા જરૂર એક
                          ………..દેહને બંધન લાગે અનેક.
વ્યાધી આવે ને જાય અનેક,છે જીવ દેહના એ બંધન
શાંન્તિ અશાંન્તિ આવે છેક,ના માગણી કદીય મનથી
મળશે જીવને માયાજગે,કળીયુગનીએ લીલા કહેવાય
મુલાકાતી અમૃત જ્યાં મળે,ત્યાંજન્મ સફળ થઇ જાય
                       …………દેહને બંધન લાગે અનેક.
સંસારના બંધન સાંકળ જેવા,ના ચાવી વગર ખોલાય
મળી જાય ચાવી ભક્તિની,જે જીવનને ધન્ય કરી જાય
સાચા સંતની પારખ ભક્તિ,જીવને શાંન્તિ એ દઇ જાય
માગણીથી જે ના મળે જીવને,તે એક મુલાકાતે લેવાય
                       ………….દેહને બંધન લાગે અનેક.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

April 24th 2010

વિશ્વાસ

                                  વિશ્વાસ

તાઃ૨૪/૪/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા એ તો ભાવના છે,ને વિશ્વાસ મનથીજ થાય
લીલા આ અવિનાશીની,શ્રધ્ધાએ જીવનમહેંકી જાય
                             …………શ્રધ્ધા એ તો ભાવના છે.
ડગલુ ચાલતાં પ્રભાતમાં,પ્રભુ પ્રાર્થના જગમાં થાય
મળી જાય કૃપા ભગવાનની.જે શ્રધ્ધાથીજ મેળવાય
                              …………શ્રધ્ધા એ તો ભાવના છે.
મળ્યો દેહ માનવીનો જગે,ત્યાં માનીકૃપા મળી જાય
પિતાને પરમેશ્વર માનતા,સંતાનની શોભા વધીજાય
                            ………….શ્રધ્ધા એ તો ભાવના છે.
જીવનના સોપાનો અનેક,અડચણ ઘણાએ આવીજાય
શ્રધ્ધા જલાસાંઇમાં રાખતાં,સોપાન સરળ મળી જાય
                              …………શ્રધ્ધા એ તો ભાવના છે.
મહેનતનો સંગ રાખતાં દેહે,જીવન માનવીથી જીવાય
વિશ્વાસ રહે જ્યાં મનથી,ત્યાં જ સફળતા દેખાઇ જાય
                             ………….શ્રધ્ધા એ તો ભાવના છે.
જગતજીવ જન્મદાતાનો છે,મહેનતથી જીવન જીવાય
સત્યમાર્ગની જીવનેકેડીમળે,જ્યાં વિશ્વાસેવહાણ તરાય
                               ………..શ્રધ્ધા એ તો ભાવના છે.

==============================

Next Page »