April 23rd 2010

ઉભરો મળેતો

                        ઉભરો મળેતો

તાઃ૨૩/૪/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાણપણની સીમા ના ઓળંગતા,સફળ મળે સહવાસ
નાલેવાય કે નાદેવાય જીવનમાં,તોય સાચો મેળવાય
એવો પ્રેમ જગતમાં છે,જે અનેરો અનાયાસે મળીજાય
                             ………એવો પ્રેમ જગતમાં છે.
માનવ જીવનનો સંગાથી,એ સદા જીવનમાં લહેરાય
અનેક રીતે મળી જાય દેહને,જે મળતા પ્રેમ મેળવાય
એક લહેર જોમળે જીવનમાં,તો માનવદેહ સાર્થકથાય
સમય ને પકડી મળીજાય જ્યાં,ના ઉભરો કોઇ દેખાય
                          ……….. એવો પ્રેમ જગતમાં છે.
કર્મવર્તન છે દેહનાબંધન,મળીજાય એજીવને સગપણ
આશાનિરાશાની વ્યાધીમાં,જીંદગીમાં નાપ્રેમનુ રજકણ
પ્રભુ કૃપા છે દોરી સિંચન,જગે જીવને દે સાચુ ભોળપણ
અતિનો જ્યાં સંગાથમળે,જીવને ત્યાં મળે જગે ગાંડપણ
                             ……….એવો પ્રેમ જગતમાં છે.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

April 23rd 2010

દરવાજો

                              દરવાજો

તાઃ૨૩/૪/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કૃપા પ્રભુની મળી જતાં,જીવને જન્મ મળી જાય
માનવજન્મે જીવને,મુકિતનો દરવાજો મળીજાય
                    ………..કૃપા પ્રભુની મળી જતાં.
વિચાર વાણીએ મનથી,ને વર્તનદેહથી મેળવાય
સંસ્કારની એક પહેલી પડતાં,પાલકપિતા હરખાય
ડગલાંની કિંમત જે સમજે,ભરતાં જ તે વિચારાય
મળી જતાં સંકેત ભક્તિનો,જન્મ સફળ થઇ જાય
                     ……….કૃપા પ્રભુની મળી જતાં.
લાગણી મોહ ને માયા,એ કળીયુગની દેખાવી રીત
સમજ જીવને જ્યાંપડે,ત્યારથી ભક્તિની મળે પ્રીત
જન્મ એછે કર્મનું બંધન,માબાપનાપ્રેમે સફળ થાય
મળેપ્રેમ જ્યાં સમાજનો,ત્યાં તો અનંતઆનંદ થાય
                       ……….કૃપા પ્રભુની મળી જતાં.
સાર્થકજન્મ જીવનો કેવો,એતો મૄત્યુનાબારણે દેખાય
ભજન ભક્તિનો સંગ જીવનમાં,પરમાત્માય હરખાય
સજળ સ્નેહને પ્રેમ મળતાં,જન્મને સફતાજ સહવાય
પથ મેળવતાં સાચો જીવે,સ્વર્ગનો દરવાજો ખોલાય
                         ……….કૃપા પ્રભુની મળી જતાં.

=================================

April 21st 2010

आया ह्युस्टन

                         आया ह्युस्टन

ताः२१/४/२०१०                         प्रदीप ब्रह्मभट्ट

मुझे प्यार मीला है जबसे,मैं खुश रहेता हु तबसे
आया ह्युस्टन जबसे,मुझे खुशी मीलती पल पलसे
                        ……….मुझे प्यार मीला है जबसे.
लीखता था मै तबसे,जब पढता था आणंद स्कुलमे
मुझे यार मीले संगीतके,जो नालढोल बजाते दीलसे
गाना मेरा शोख था,पर लीखना माताकी असीमकृपा
कीतने सालोसे मै लीखता हु,जो भक्ति प्रेमकी कृपा
                         ……….मुझे प्यार मीला है जबसे.
मुझे चारोऔरसे प्यारमीला,गुजराती समाजका सहवास
हाथ पकड लीया विजयभाइने,साहित्य सरीताके साथ
आयाथा अकेला कुटुंबकेसाथ,मिला हमे बहुतोका प्यार
जीवनकी ना पहेंचान है,पर रख जाउगा माताका ज्ञान
                         ……….मुझे प्यार मीला है जबसे.

॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔

April 21st 2010

ભીખની રીત

                           ભીખની રીત

તાઃ૨૧/૪/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

દુનીયા એતો દર્પણ છે,જે પરમાત્માથી જ દેવાય
હાથપ્રસારી જગમાંરહેતાં,ભીખ અનેક રીતે  લેવાય
                               ……….દુનીયા એતો દર્પણ છે.
માતાપિતાની કૃપા પામવા,હરપળ વિનંતીજ થાય
સંતાન બનાવી જીવનદેતાં,તક જીવને એક દેવાય
ઉપકારની અસીમકૃપા છે,જે હાથ પ્રસારીને મંગાય
આશીર્વાદની હેલી લેવી,એ ભીખ માબાપથી લેવાય
                               ……….દુનીયા એતો દર્પણ છે.
વિધ્યાર્થીની લાયકાત મેળવવા,ભણતરને મેળવાય
મહેનત ખંતથી કરતાંજ જીવનને,સોપાન મળી જાય
હાથપ્રસારી વંદન કરી,જ્યાં ગુરુજીના ચરણે સ્પર્શાય
દ્રષ્ટિપડે જ્યાં ગુરુની,તે ભીખથી જીવન ઉજ્વળથાય.
                                ……….દુનીયા એતો દર્પણ છે.
કર્મનાબંધન છે ન્યારા જગમાં,ના કોઇથીએ ઓળખાય
વાણીવર્તન સાથે આવે દેહે,જે જીવનમાં વળગી જાય
ગત જન્મનો અણસારમળે,જે આ જન્મે છે અનુભવાય
અન્નદાન નાકરી શક્યો જે,આ જન્મે ભીખ માગતોજાય
                                 ……….દુનીયા એતો દર્પણ છે.
ભક્તિની પણ એકરીત ન્યારી,જે પ્રભુકૃપાએ મેળવાય
શ્રધ્ધાથી પુંજન કરતાં ગમેત્યાં,પરમ કૃપા મળી જાય
ભગવાની ના જરુર પડે જગતમાં,ના દાનપેટી મુકાય
ભીખની આરીત કળીયુગી,જેનાથીપ્રભુપણ ભડકી જાય
                                  ……….દુનીયા એતો દર્પણ છે.

+++++++++++++++++++++++++++++++++

April 21st 2010

આવતીકાલ

                           આવતીકાલ

તાઃ૨૧/૪/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સાચવી ચાલે માનવ,ના જીવનમાં પસ્તાય
સમજી વિચારી પગલું ભરતાં,જીવન ઉજ્વળ થાય
                    ………..સમય સાચવી ચાલે માનવ.
મોહમાયા તો બારણેઆવે,લઇ કળીયુગનો સંગાથ
મનથી દ્રષ્ટિ પારખી લેતાં,સમય સમય સચવાય
મહેનતનો અણસાર મેળવતાં,વ્યાધીઓ ભાગે દુર
ભુતકાળને ભુલીજતા જીવની,આવતીકાલ મહેંકાય
                     ……….સમય સાચવી ચાલે માનવ.
બાળપણને પાછળમુકતાં,જુવાનીમાંભણતરનેલેવાય
બુધ્ધિને મહેનત મળતાં,ઉજ્વળ સોપાન મળી જાય
શ્રધ્ધારાખી જીવન જીવતાં,સૌનો સાચોપ્રેમ મેળવાય
આશીર્વાદનીવર્ષા દેહેથતાં,આવતીકાલ ઉજ્વળથાય
                      ………સમય સાચવી ચાલે માનવ.

================================

April 20th 2010

માંકડુ

                                 માંકડુ

તાઃ૨૦/૪/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગી જીવતા માનવી ની,આવે વ્યાધીઓ ભરપુર
પણ માંકડા જેવુ મન રાખતાં,ભાગવુ દુઃખથી જ દુર
                       ……….જીંદગી જીવતા માનવીની.
મળે જન્મ જીવને જગે,જેતે દેહ થકી સૌને છે દેખાય
માનવદેહ મળતાં જીવને,પ્રભુકૃપાએ મન મળીજાય
સમજીવિચારી ચાલતાં દેહને,તકલીફોથી દુર રખાય
મન રાખતા માંકડા જેવુ,વ્યાધી આવતાજ ઉછળાય
                     …………જીંદગી જીવતા માનવીની.
સમય એતો ચાલતી ગાડી,સમજી વિચારીને પકડાય
છટકી જાય જો ચાલતા જીવનમાં,દુઃખી જીવન થાય
બુધ્ધીએ બારીછે ન્યારી,જે પળપળ સાચવતા દેખાય
મર્કટમનની સમજ રાખતાં,દુઃખથીદુર કાયમ રહેવાય
                      …………જીંદગી જીવતા માનવીની.

****************************************

April 20th 2010

ઉભરો

                                  ઉભરો

તાઃ૨૦/૪/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આકુળ વ્યાકુળ જીવનમાં,જ્યાં અતિનો સહવાસ થાય
અંત મળે નામાગેલો જગમાં,જે ઉભરાથી ઢોળાઇ જાય
                         …………આકુળ વ્યાકુળ જીવનમાં.
પ્રેમ મળે જ્યાં હ્ર્દયથી,ત્યાં માનવતા મળતી દેખાય
હદથી પાર દેખાવનો મળતાં,જીંદગી જ  બગડી જાય
                         …………આકુળ વ્યાકુળ જીવનમાં.
ભણતરના સોપાને પહોંચે,જ્યાં માનવીથી સમજાય
અતિને મેળવી લેતાં જગે,પાગલમાંજ ખપી જવાય
                          ………..આકુળ વ્યાકુળ જીવનમાં.
કુદરતની છે કળા નિરાળી,સમજી સમજીને જોવાય
દુધ પાણીને અતિ તાપતાં, ઉભરો ત્યાં આવી જાય
                          ………..આકુળ વ્યાકુળ જીવનમાં.
ભક્તિમાં પણ વળગીને ચાલતાં,હદમાં કૃપાજ થાય
અતિનો જ્યાં અણસારમળે,ત્યાં પાગલ થઇ જવાય
                          ……….. આકુળ વ્યાકુળ જીવનમાં.

==============================

April 20th 2010

વાવણી

                        વાવણી

તાઃ૨૦/૪/૨૦૧૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાવશો તેવુ લણશો,ના જગમાં કોઇ શંકા
ડગલુ વિચારી ભરશો,ના વળગે કોઇ ફંદા
                       ………વાવશો તેવુ લણશો.
સ્નેહ રાખશો હદમાં,તો મળશે જીવને શાંન્તિ
માબાપની મળશે કૃપા,જીવન ઉજ્વળ થવા
વળગેલા આ વૈભવથી,સાચવજો તનમનથી
રહેશે સદા તમ હૈયે હામ,લેવાશે પ્રભુનુ નામ
                       ……….વાવશો તેવુ લણશો.
સહવાસ મળે માબાપનો,જે જીવનને દોરીજાય
સંસ્કારની પળને પારખી,સહવાસી મળી જાય
પવન પૃથ્વીને પારખતાં, જ્યાં વાવણી કરાય
સફળ સહવાસ કુદરતનો,જે પરિણામથી દેખાય
                        ……….વાવશો તેવુ લણશો.

=============================

April 19th 2010

શોધવા નીકળ્યો

                          શોધવા નીકળ્યો

તાઃ૧૯/૪/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

આ મળશે કે તે મળશે,તેમ મનમાં મુંઝવણો  થાય
ફાંફાં મારતાં ચારે કોર,નામળે જીવને શાંન્તિનો દોર
                         ………..આ મળશે કે તે મળશે.
દમડી થોડી હાથમાં મારે,ને વિચાર પવનની લ્હેર
મેળવવાની મોટી ઇચ્છા,ત્યાં લાઇનમાં લાંબી દોડ
ના વિચાર આવે મનમાં કે ના શાંન્તિને મેળવાય
શોધાશોધની આ વ્યાધીમાંજ,જીવન વેડફાઇ જાય
                         …………આ મળશે કે તે મળશે.
મનની વિચાર ધારામાં ભઇ,આ તન તડફાઇ જાય
દેખાદેખની આદુનીયામાં,સ્વાર્થે શોધાશોધ છે થાય
આ ને તે ની રામાયણમાં,સમય પણ ચાલ્યો જાય
શોધવા નીકળ્યો સ્વાર્થને,ત્યાં લાભ જ છટકી જાય
                          ………..આ મળશે કે તે મળશે.

+++++++++++++++++++++++++++++++++

April 19th 2010

શીવાલયને બારણે

                         શીવાલયને બારણે

તાઃ૧૯/૪/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથનુ ભજન કરતાં, જીવન ઉજ્વળ થાય
શીવાલયનું બારણું ખોલતા,જન્મસફળ થઇજાય
                             ………..ભોલેનાથનુ ભજન કરતાં.
પરમ કૃપાળુ છે અવિનાશી,આત્મા તણો સથવાર
જીવતરની કેડી બને નિરાળી,ને કૃપા પ્રભુની થાય
મળે શાંન્તિ મનને ત્યારે,જ્યારે શીવજી છે હરખાય
પ્રેમ પામતાંજ પરમાત્માનો,જન્મ સાર્થક થઇ જાય
                             ………..ભોલેનાથનુ ભજન કરતાં.
પ્રભાત પહોરના કિરણોએ,જ્યાં પુંજન અર્ચન થાય
ૐ નમઃ શિવાયના સ્મરણથી,આખું ઘર ગુંજી જાય
મળે કૃપા માપાર્વતી ની,જે માની મમતા દઇ જાય
દોડીઆવે આંગણે જીવની શાંન્તિ,મુક્તિ દેવાનેકાજ
                             ………..ભોલેનાથનુ ભજન કરતાં.

================================

« Previous PageNext Page »