April 23rd 2010

દરવાજો

                              દરવાજો

તાઃ૨૩/૪/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કૃપા પ્રભુની મળી જતાં,જીવને જન્મ મળી જાય
માનવજન્મે જીવને,મુકિતનો દરવાજો મળીજાય
                    ………..કૃપા પ્રભુની મળી જતાં.
વિચાર વાણીએ મનથી,ને વર્તનદેહથી મેળવાય
સંસ્કારની એક પહેલી પડતાં,પાલકપિતા હરખાય
ડગલાંની કિંમત જે સમજે,ભરતાં જ તે વિચારાય
મળી જતાં સંકેત ભક્તિનો,જન્મ સફળ થઇ જાય
                     ……….કૃપા પ્રભુની મળી જતાં.
લાગણી મોહ ને માયા,એ કળીયુગની દેખાવી રીત
સમજ જીવને જ્યાંપડે,ત્યારથી ભક્તિની મળે પ્રીત
જન્મ એછે કર્મનું બંધન,માબાપનાપ્રેમે સફળ થાય
મળેપ્રેમ જ્યાં સમાજનો,ત્યાં તો અનંતઆનંદ થાય
                       ……….કૃપા પ્રભુની મળી જતાં.
સાર્થકજન્મ જીવનો કેવો,એતો મૄત્યુનાબારણે દેખાય
ભજન ભક્તિનો સંગ જીવનમાં,પરમાત્માય હરખાય
સજળ સ્નેહને પ્રેમ મળતાં,જન્મને સફતાજ સહવાય
પથ મેળવતાં સાચો જીવે,સ્વર્ગનો દરવાજો ખોલાય
                         ……….કૃપા પ્રભુની મળી જતાં.

=================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment