April 21st 2010

आया ह्युस्टन

                         आया ह्युस्टन

ताः२१/४/२०१०                         प्रदीप ब्रह्मभट्ट

मुझे प्यार मीला है जबसे,मैं खुश रहेता हु तबसे
आया ह्युस्टन जबसे,मुझे खुशी मीलती पल पलसे
                        ……….मुझे प्यार मीला है जबसे.
लीखता था मै तबसे,जब पढता था आणंद स्कुलमे
मुझे यार मीले संगीतके,जो नालढोल बजाते दीलसे
गाना मेरा शोख था,पर लीखना माताकी असीमकृपा
कीतने सालोसे मै लीखता हु,जो भक्ति प्रेमकी कृपा
                         ……….मुझे प्यार मीला है जबसे.
मुझे चारोऔरसे प्यारमीला,गुजराती समाजका सहवास
हाथ पकड लीया विजयभाइने,साहित्य सरीताके साथ
आयाथा अकेला कुटुंबकेसाथ,मिला हमे बहुतोका प्यार
जीवनकी ना पहेंचान है,पर रख जाउगा माताका ज्ञान
                         ……….मुझे प्यार मीला है जबसे.

॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔

April 21st 2010

ભીખની રીત

                           ભીખની રીત

તાઃ૨૧/૪/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

દુનીયા એતો દર્પણ છે,જે પરમાત્માથી જ દેવાય
હાથપ્રસારી જગમાંરહેતાં,ભીખ અનેક રીતે  લેવાય
                               ……….દુનીયા એતો દર્પણ છે.
માતાપિતાની કૃપા પામવા,હરપળ વિનંતીજ થાય
સંતાન બનાવી જીવનદેતાં,તક જીવને એક દેવાય
ઉપકારની અસીમકૃપા છે,જે હાથ પ્રસારીને મંગાય
આશીર્વાદની હેલી લેવી,એ ભીખ માબાપથી લેવાય
                               ……….દુનીયા એતો દર્પણ છે.
વિધ્યાર્થીની લાયકાત મેળવવા,ભણતરને મેળવાય
મહેનત ખંતથી કરતાંજ જીવનને,સોપાન મળી જાય
હાથપ્રસારી વંદન કરી,જ્યાં ગુરુજીના ચરણે સ્પર્શાય
દ્રષ્ટિપડે જ્યાં ગુરુની,તે ભીખથી જીવન ઉજ્વળથાય.
                                ……….દુનીયા એતો દર્પણ છે.
કર્મનાબંધન છે ન્યારા જગમાં,ના કોઇથીએ ઓળખાય
વાણીવર્તન સાથે આવે દેહે,જે જીવનમાં વળગી જાય
ગત જન્મનો અણસારમળે,જે આ જન્મે છે અનુભવાય
અન્નદાન નાકરી શક્યો જે,આ જન્મે ભીખ માગતોજાય
                                 ……….દુનીયા એતો દર્પણ છે.
ભક્તિની પણ એકરીત ન્યારી,જે પ્રભુકૃપાએ મેળવાય
શ્રધ્ધાથી પુંજન કરતાં ગમેત્યાં,પરમ કૃપા મળી જાય
ભગવાની ના જરુર પડે જગતમાં,ના દાનપેટી મુકાય
ભીખની આરીત કળીયુગી,જેનાથીપ્રભુપણ ભડકી જાય
                                  ……….દુનીયા એતો દર્પણ છે.

+++++++++++++++++++++++++++++++++

April 21st 2010

આવતીકાલ

                           આવતીકાલ

તાઃ૨૧/૪/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સાચવી ચાલે માનવ,ના જીવનમાં પસ્તાય
સમજી વિચારી પગલું ભરતાં,જીવન ઉજ્વળ થાય
                    ………..સમય સાચવી ચાલે માનવ.
મોહમાયા તો બારણેઆવે,લઇ કળીયુગનો સંગાથ
મનથી દ્રષ્ટિ પારખી લેતાં,સમય સમય સચવાય
મહેનતનો અણસાર મેળવતાં,વ્યાધીઓ ભાગે દુર
ભુતકાળને ભુલીજતા જીવની,આવતીકાલ મહેંકાય
                     ……….સમય સાચવી ચાલે માનવ.
બાળપણને પાછળમુકતાં,જુવાનીમાંભણતરનેલેવાય
બુધ્ધિને મહેનત મળતાં,ઉજ્વળ સોપાન મળી જાય
શ્રધ્ધારાખી જીવન જીવતાં,સૌનો સાચોપ્રેમ મેળવાય
આશીર્વાદનીવર્ષા દેહેથતાં,આવતીકાલ ઉજ્વળથાય
                      ………સમય સાચવી ચાલે માનવ.

================================