August 31st 2011

કૃપાનો વરસાદ

.                           કૃપાનો વરસાદ

તાઃ૩૧/૮/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ લીલા અદભુત શક્તિ,ને જગતપર અગણીત છે ઉપકાર
કૃપાનો વરસાદ થતાં  જીવો પર,જીવો નો થઈ જાય છે ઉધ્ધાર
.                            …………..અજબ લીલા અદભુત શક્તિ.
અનેક રીતે કૃપા કરેછે પરમાત્મા,કરેલી ભક્તિને પારખી આજ
દર્શન  આપે અનેક સ્વરૂપે ભક્તને,જીવન ઉજ્વળ કરવા  કાજ
આવી આંગણે ભીખ પણ માગે,ને ક્યાંક દર્શન કરવા લઈ જાય
શ્રધ્ધા રાખી કરેલ ભક્તિ જીવની,કરુણાની કૃપા વરસી જ જાય
.                           ……………અજબ લીલા અદભુત શક્તિ.
માતાની દ્રષ્ટિ પડે જીવ પર જ્યાં,ત્યાં સ્વર્ગની સીડી મળી જાય
અંબા,દુર્ગા,સરસ્વતી કે પાર્વતી,કાળકા,માઅનેક સ્વરૂપે પુંજાય
પુંજન અર્ચન મનથી કરતાં,જીવથી પાવન કર્મ થતાં પણ જાય
અંતદેહનો આવે નિર્મળ શાંન્તિએ,ના કદીએ અનેકથી મેળવાય
.                           ……………અજબ લીલા અદભુત શક્તિ.

()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()

August 30th 2011

પ્રેમનો પ્રકાશ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                   . પ્રેમનો પ્રકાશ.

તાઃ૩૦/૮/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પિતા પ્રેમનીરીત નિરાળી,સંતાનની જ્યાંઆંગળી પકડાય
ભોલેનાથની છે રીત અનોખી,ગણેશજીને ઉંચકીને હરખાય
.                             ………..પિતા પ્રેમની રીત નિરાળી.
સૃષ્ટિનો સહેવાસ અનેરો સાથે,તોય નિર્મળ જીવન જીવાય
માતાપાર્વતીનો પ્રેમ પામે,જે જગતપર પ્રકાશે પ્રસરીજાય
ગૌરીનંદન અતિદયાળુ,જ્યાં ભક્તિની કેડી જીવને સમજાય
મળે પ્રેમ જો ભોલેનાથનો,તો જીવનો જન્મ સફળ થઈ જાય
.                         ……………પિતા પ્રેમની રીત નિરાળી.
ભાગ્ય વિધાતા પરમ દયાળુ,જ્યાં ગણપતિનું  પુંજન થાય
કર્મના બંધન અળગા થાય,જ્યાં રિધ્ધી સિધ્ધીને સમજાય
પ્રેમપરમાત્માનો છે નિખાલસ,જીવને સાચીરાહ આપી જાય
મુક્તિમાર્ગના દ્વાર ખોલતા,જીવને પ્રેમનો પ્રકાશ મળી જાય
.                         …………..પિતા પ્રેમની રીત નિરાળી.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

August 29th 2011

બંધન કર્મના

.                     બંધન કર્મના

તાઃ૨૯/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોણ મા ને કોણ છે પિતા,એ સાચીસમજે સમજાય
કર્મના બંધન તો છે નિરાળા,જે જીવને લાવી જાય
.                           ……….. કોણ મા ને કોણ છે પિતા.
જગના બંધન જકડી રાખે,જ્યાં મોહ માયા ભટકાય
માતાનો પ્રેમ મળે લાયકાતે,જે દેહ માતાથી દેવાય
ઉજ્વળ કુળની આશા મા રાખે,જ્યાં કુટુંબ તરી જાય
સંસ્કારની કેડી પકડી લેતાં,કર્મના બંધન છુટતાજાય
.                           …………કોણ મા ને કોણ છે પિતા.
પિતા પાવન રાહ દે,જે જીવને મહેનતે મળતી જાય
સાચીકેડી માસરસ્વતીની,જે ઉજ્વળ ભણતરે લેવાય
આવી મળે માન અને સન્માન,જ્યાંપિતાજી હરખાય
કર્મના સાદાસંબંધ નિરાળા,સાચીમાનવતામેળવાય
.                         …………..કોણ મા ને કોણ છે પિતા.

+++++++++++++++++++++++++++++++++=

August 29th 2011

સોમવારની સવાર

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.             સોમવારની સવાર

તાઃ૨૯/૮/૨૦૧૧ (શ્રાવણવદ અમાસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધર્મ કર્મના બંધન છે દેહને,જ્યાં માનવી છે એમ કહેવાય
હિન્દુ,મુસ્લીમ,ખ્રીસ્તી જન્મથી,મળેલદેહ પાવન થઈજાય
.                             …………..ધર્મ કર્મના બંધન છે દેહને.
વંદન કરતાં શિવબાબાને,ૐ નમઃશિવાય મનથી બોલાય
શ્રાવણ માસે સોમવારની નિર્મળ પ્રભાતે,દુધ અર્ચનાથાય
ભોલેનાથને રાજીકરવા ભક્તિએ,શિવલીંગે શ્રીફળ વધેરાય
આરતીકરતાં મનથીપ્રભુની,સૌ મનોકામના પુરણ થઈજાય
.                              …………..ધર્મ કર્મના બંધન છે દેહને.
ઉત્તર હો યા દક્ષિણ,પુર્વ હો યા પશ્ચીમ,જગે કૃપા પ્રભુની થાય
અંતરનીએક ભાવનાએ જલાસાંઇ,સ્મરણ કરો ત્યાંઆવીજાય
મળીજાય કૃપા જો સાચાસંતની,જીવનો જન્મ સફળ થઈજાય
મુક્તિ મળતાં જીવને અવનીએ,જન્મમરણના ફેરા ટળી જાય
.                               ………….ધર્મ કર્મના બંધન છે દેહને.

####################################

August 29th 2011

સાંઇની માગણી

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                      સાંઇની માગણી

તાઃ૨૯/૮/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ કેરો સંગ મળતાં દેહથી,મોહ માયા ભાગીજ જાય
ૐ નમઃ શિવાયના સ્મરણ માત્રથી,જીવન પાવન થાય
.                       …………ભક્તિ કેરો સંગ મળતાં દેહથી.
સાંઇ બાબાની સ્નેહાળ આંખે,જીવને ભક્તિ માર્ગ મળી જાય
નિર્મળ સવારે પુંજનકરતાં,સાંઇબાબાની માગણી પુરીથાય
ભક્તિમાર્ગથી જીવને જગતમાં,શાંન્તિ કૃપાપ્રેમે મળી જાય
બંધ આંખે બાબાના દર્શન કરતાં,સ્વર્ગીય મહેંક મહેંકી જાય
.                       …………ભક્તિ કેરો સંગ મળતાં દેહથી.
એકજ માગણી સાંઇબાબાની,ભક્તિએ જીવનેમુક્તિ મળીજાય
શ્રધ્ધાની કેડી જ્યાં પકડે,ત્યાં જીવપર પ્રભુકૃપા વરસીજ જાય
ભોલેનાથની આતો લીલા નિરાળી,જે જીવનુ કલ્યાણ કરીજાય
માળાના મણકાને મુકી જગતમાં,બંધઆંખે જ જ્યાં પુંજા થાય
.                       ………….ભક્તિ કેરો સંગ મળતાં દેહથી.

**************************************************

August 28th 2011

આવી માયા

.                    આવી માયા

તાઃ૨૮/૮/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા માયા શોધતો માનવ,કળીયુગમાં જ લબદાય
આગળ પાછળનો ના ખ્યાલ રહેતા,સુખ ભાગી જાય
.                              …………માયા માયા શોધતો માનવ.
કદીક કોઇની હુફ મળે,ત્યાં સમજે કે સઘળુ મળશે આજ
માનવ મનની સમજ જોતાં,દેખાવ મળતો મીથ્યા કાજ
અંતરમાં ના કોઇ આનંદ મળે,કે ના દેહને કોઇ સહવાસ
કળીયુગની કેડીને સમજતાં,માયા ભાગશે દેહથી અપાર
.                                …………માયા માયા શોધતો માનવ.
તારણહારની દ્રષ્ટિ પડતાં,આ જીવ જન્મથી છટકી જાય
કૃપાનો સાગર છે મોટો,સાચી ભક્તિએ જીવને મળી જાય
લાગણી કે મોહ માયા વળગે જીવે,જ્યાં નિર્બળતા દેખાય
સાચા સંતની કૃપા મળતાં દેહે,આવતી માયા ફફડી જાય
.                              ……………માયા માયા શોધતો માનવ.

*****************************************

August 28th 2011

આશીર્વાદની છત

.               . આશીર્વાદની છત

તાઃ૨૮/૮/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનની માયા છે જગની કાયા,એના સરળતાએ સમજાય
જીવને જકડી ચાલતી કેડી,આશીર્વાદની છતથી તુટીજાય
.                        …………..મનની માયા છે જગની કાયા.
કરતાં કામ જીવનમાં મનથી,ત્યાં કર્મના બંધન છે બંધાય
મુક્તિના દ્વાર ખુલતાં જીવના,એ જીવ દેહથી અળગો થાય
કદીકની લાગતી માયા દેહને,જીવ સુખદુઃખમાં ભટકાવાય
મનથી મળતાં આશીર્વાદ દેહને,જીવની ઝંઝટ ભાગી જાય
.                        …………..મનની માયા છે જગની કાયા.
આશા અપેક્ષા દુર રાખતાં,જીવ પર કૃપા પ્રભુની થઇ જાય
અંતરથી મળે આશીર્વાદ સંતના,પાવનકર્મ થતા જ જાય
છત મળે જ્યાંપરમાત્માની,ત્યાં જીવે શુધ્ધ્તા મળતી જાય
અંતરમાં એઉમંગ વરસે,ના કોઇથીય એને મુખથી કહેવાય
.                          ………….મનની માયા છે જગની કાયા.

======================================

August 28th 2011

કર્મની ગતી

.                 . કર્મની ગતી

તાઃ૨૮/૮/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરેલ કર્મની કલમ હોય ન્યારી,ત્યાં માનવતાં મળીજાય
ઉજ્વળ જીવનની કેડી મેળવતાં,મોહ માયા ભાગી જાય
.                     ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
પરમાત્માની પાવન કૃપાએ,સાચી ભક્તિએ મળી જાય
નિખાલસ પ્રેમની સાંકળ પકડતાં,જન્મ સફળ થઈ જાય
.                     ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
નિરાધારનો આધાર બનતાંજ,મળી જાય સાચો સહવાસ
એક અરીસો માગણીનો ધરતાં,સહકારની વર્ષા મેળવાય
.                     ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
આજકાલને સમજી ચાલતાં,આધીવ્યાધીઓ ભડકી જાય
સહજ ભાવના મનથી મળતાં,આંગણું પણ પાવન થાય
.                      ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
એક શબ્દની કેડી છે નિરાળી,જ્યાં સદવચનો જ ઉભરાય
મારું તારું ને નેવે મુકતાં જીવને,સહજ સાથીઓ મેળવાય
.                       ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.
જલાસાંઇની નિર્મળ ભક્તિએ,મળતા સુખદુઃખને સમજાય
નામાગણી કોઇ રહે દેહની,ને મળેલ જન્મસાર્થક પણથાય
.                        ………….કરેલ કર્મની કલમ હોય ન્યારી.

++++++++++++++++++++++++++++++++++

August 26th 2011

દેહની અપેક્ષા

.                 . દેહની અપેક્ષા

તાઃ૨૬/૮/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સવાર સાંજની યાદ તમારી, મને પ્રભાત આપી ગઈ
ઉજ્વળ જીવનથી માયાને મુકતાં,અપેક્ષા ભાગી ગઈ
.                      ………..સવાર સાંજની યાદ તમારી.
પ્રેમ  ભરેલો સાગર મેળવતાં,મારી નાવડી છુટી ગઈ
સ્નેહની સાંકળો  જકડાઇ જાતાં,સહનતા મળી જ ગઈ
માગણીઓને  દેહથી દુર મુકતાં,સૌ ઝંઝટો  ભાગી ગઈ
શાંન્તિનો સહવાસ અનેરો,અનહદ આનંદ આપી ગઈ
.                      …………સવાર સાંજની યાદ તમારી.
તારણહારની મળી કૃપા,ત્યાં જીવનમાં જ્યોતી થઈ
પ્રેમ મળતાં પુરણ જીવન,અવનીપર નિરખાઇ ગઈ
સ્નેહના વાદળ ફરીવળતાં,માનવતા જ મહેંકી ગઈ
અપેક્ષાછોડતા જીવનમાં,સંત જલાસાંઇની કૃપાથઈ
.                       ………..સવાર સાંજની યાદ તમારી.

===================================

August 25th 2011

જન્મદીને આર્શીવાદ

.          . રક્ષાબંધન ચી દીપલ અને ભાઇ રવિ.


.


.

.

.

.

.

.

.                 .જન્મદીને આર્શીવાદ

તાઃ૨૫/૮/૨૦૧૧ (ચી.રવિને ભેંટ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ

કૃપા કરજો સંત જલાસાંઇ,રવિનુ ં જીવન ઉજ્વળ થાય
.         જન્મદીને મળે આર્શીવાદ વડીલના,કર્મો પાવન થાય
.                          …………..કૃપા કરજો સંત જલાસાંઇ.
નિત્ય સવારે પુંજન કરે,ને સંભળાય આરતીનો રણકાર
.         ભક્તિભાવની કેડી મળે નિર્મળ,ને હીમા સંગ સુખી થાય
કૃપામળે પરમાત્માની દેહને,જીવની ભાવના પુરણથાય
.          સુખ શૈયા સદા મળે જીવને,એવા આર્શીવાદ મળી જાય
.                          …………..કૃપા કરજો સંત જલાસાંઇ.
ભાઇ બહેનના સાચાપ્રેમની કેડી,જીવનભર સચવાઇ રહે
.          ભક્તિપ્રેમને પકડી રાખી જીવનમાં,સંતોનો સહવાસ મળે
આંગણે આવેલાને આવકારતાં,સંસ્કારનીસાચી જ્યોત જલે
.          અંતરથી આર્શીવાદ છેઆજે,રવિને સુખશાંન્તિનો સાથરહે
.                             ………….કૃપા કરજો સંત જલાસાંઇ.

******************************************************
.     મારા પુત્ર ચીં.રવિના જન્મ દીવસે સંત પુજ્ય જલારામ બાપા અને સંત
પુજ્ય સાંઇબાબાને વંદન કરી વિનંતી કરીએ છીએ કે તેના જીવનમાં ભક્તિનો
સાથ રહે અને સદા આપની કૃપાએ જીવનમાં સુખ શાંન્તિ અને પ્રેમ મળે અને
મળેલ જન્મ સાર્થક કરે તેવા અમારા આર્શીવાદ છે.

લી.પ્રદીપ અને રમાના જય જલાસાંઇરામ. (Happy Birth Day Dear Ravi)

++++++++++++++++++++++++++++++++++++++++++++++

Next Page »