August 2nd 2011

શ્રાવણ માસ

.               .    શ્રાવણ માસ

તાઃ૨/૮/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કારતક માગસર ચાલી ગયા,ને પોષ મહા પણ જાય
ફાગણ ચૈત્રનો નાખ્યાલરહ્યો,ત્યાં શ્રાવણ આવી જાય
.                     …………કારતક માગસર ચાલી ગયા.
પવિત્ર માસ આ હિન્દુધર્મનો,સૌથી એની રાહ જોવાય
સોમવારે શીવજીનેભજતાં,દેહનો જન્મસફળ પણથાય
પ્રભુ ભક્તિને પ્રેમથી કરતાં,જીવ પર કરુણા વર્ષી જાય
મનને શાંન્તિ તનને શાંન્તિ,ભજતાં શ્રાવણે મળી જાય
.                        ………..કારતક માગસર ચાલી ગયા.
ભાઇબહેનના પ્રેમને પામવા,રક્ષાબંધને રાખડીબંધાય
હૈયેઅનંત હેતઉભરે,જ્યાં નાગપાંચમે દુધ અર્ચનથાય
જન્માષ્ટમી ના પવિત્ર દીવસે,શ્રી કૃષ્ણ જન્મ ઉજવાય
આખરી તારીખે સૌ સાથેમળી,રમઝાન ઇદ માણી જાય
.                       ………….કારતક માગસર ચાલી ગયા.

++++++++++++++++++++++++++++++++

August 2nd 2011

જાગતો રહેજે

.                      જાગતો રહેજે

તાઃ૨/૮/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાગતો રહેજે અવનીએ,તો થઇ જશે જીવનમાં હાશ
નહીં તો મળશે ડગલે પગલે,ના માગેલ જીવને ત્રાસ
.                         …………જાગતો રહેજે અવનીએ.
સમજી વિચારી જગેજીવતાં,લાગણીઓ મળશે આજ
મનની ના માગેલી ચિંતાઓ,ત્યાં ભાગી જશે તત્કાળ
ઉજ્વળ રાહ જીવનને મળશે,જે પ્રભુકૃપાએ મળીજાય
નાચિંતારહેશેતને કાલની,જ્યાં સુધરશે તારોભુતકાળ
.                          ………..જાગતો રહેજે અવનીએ.
શાણપણની સમજણ ન્યારી,ડગલુ વિચારીનેજ ભરાય
આવતી વ્યાધી સમજી લેતાં,ના કોઇથીય  ભરમાવાય
કુદરતની કૃપા મળતાં જીવને,સોપાન સરળ પણ થાય
સુખ સાગરમાં હલેશુ મળતાં,આભવસાગર તરી જવાય
.                          …………જાગતો રહેજે અવનીએ.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

August 2nd 2011

કરુણા સાગર

.                            . કરુણા સાગર

તાઃ૨//૨૦૧૧ .                         . પ્રદીપ બ્રહ્મભટ્ટ્

તિથી વિધીનો ના કોઇ સાર,મળી જાય ભક્તિનો સાથ
ઉજ્વળ કેડી જ્યાં જીવને મળે,ત્યાં મુક્તિદ્વાર ખુલી જાય
.                           ………તિથી વિધીનો ના કોઇ સાર.
મનથી કરતાં ભક્તિ પ્રભુની,રાહ  જીવનમાં મળી જાય
આવતી વ્યાધી દુર જ ભાગે,ના એ દુઃખ દઈ  શકે લગાર
જન્મમળતાં જીવનેદેહનો,દઈજાય એઅણસાર મુક્તિનો
ભક્તિભાવનો સંગમેળવતાં,વરસે જીવે કરુણાનો વરસાદ
.                              ……..તિથી વિધીનો ના કોઇ સાર.
નિર્મળભાવના મનમાંરાખી,સંત જલાસાંઇને પ્રેમે ભજાય
રાહ મળેછે જીવનમાં સાચી,જે દેહના વર્તનથી મેળવાય
કરુણા સાગરનો જ્યાં સંગમળે,ત્યાં પ્રેમથી પાવન થવાય
સદબુધ્ધીનો માર્ગ મળતાંદેહે,થતાં સૌકામ સફળ થઈજાય
.                             ………તિથી વિધીનો ના કોઇ સાર.

=========================================