August 6th 2011
. અગણિત
તાઃ૬/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અગણિત છે ઉપકાર પ્રભુના,જે સમજદારનેજ સમજાય
માનવી જીવન કૃપા પ્રભુની,લાયકાતે મુક્તિ મળી જાય
. …………. અગણિત છે ઉપકાર પ્રભુના.
નાગણના કરીશકે કોઇ જગે,જ્યાં કૃપા પળેપળે મેળવાય
મનની સમજણ છે માનવીની,જે પ્રભુકૃપાએજ સમજાય
સત્કર્મોનીસીડી પકડીરાખતાં,અનોખીસમજણ આવીજાય
લાયકાતના ખુલતાં દ્વારથીજ,અગણિત કૃપા પ્રભુની થાય
. ………….. અગણિત છે ઉપકાર પ્રભુના.
જન્મ દીધેલ જીવ પર જગતમાં,માબાપનો જ છે ઉપકાર
નાસંતાનથી એચુકવીશકાય,જે અગણિતછે તેમકહેવાય
મળે પ્રેમ માબાપનો બાળકને,ચાદર ભીની કોરી બદલાય
સદમાર્ગની કેડી પકડતાં,એ જીવનો જન્મસફળ થઈ જાય
. …………..અગણિત છે ઉપકાર પ્રભુના.
+++++++++++++++++++++++++++++++++++
August 6th 2011
. ચાંદની
તાઃ૬/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળતાનો સહવાસ મળે,જ્યાં ચાંદની ચમકી જાય
મધુર મળે મહેંક માનવીને,પુનમનો ચાંદ દેખાઇજાય
. ……………શીતળતાનો સહવાસ મળે.
કુદરતની આ અજબ કરામત,જીવે સરળતાય મેળવાય
ના સમજ આવે જ્યાં મનને,પુનમ પછી અમાસ દેખાય
સરળતાના સોપાને જીવને,આગળ પાછળ પણ જોવાય
મળે દેહે પ્રેમ પરમાત્માનો,ત્યાં ચાંદની શીતળ થઈજાય
. ………….શીતળતાનો સહવાસ મળે.
ડગલું ભરતાં ડગલું સાચવે,એમાનવીની સમજ કહેવાય
આવતી વ્યાધી અટકી જાય,જ્યાં જીવને રાહ મળીજાય
માર્ગ જીવનમાં અનેકમળે,ના કોઇનાથી એને ઓળખાય
પ્રભુકૃપાએ એને પારખી લેતાં,સમય સમયથી પરખાય
. …………… શીતળતાનો સહવાસ મળે.
++++++++++++++++++++++++++++++++++
August 6th 2011
. ભાગી જા
તાઃ૬/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવન જીવતા હો,ત્યાં કદી ના આવે બાધ
ઇર્ષા,અપેક્ષા જગે જ્યાંજોતા,ભાગજે ત્યાંથી આજ
. …………ઉજ્વળ જીવન જીવતા હો.
મનને શાંન્તિ ને તનને રાહત,જીવનમાં રહેશે સાથ
કુદરતની કલા નિરાળી,સાચી ભક્તિ એ જ સહેવાય
વિશાળ અવની જગની સૃષ્ટિ,સુખદુઃખથી સમજાય
આજકાલને દુર કરતાં જીવથી,ભાગશે મળતાં ત્રાસ
. ………….ઉજ્વળ જીવન જીવતા હો.
રામનામની છે સરળવાણી,જલાસાંઇની કૃપાએ માણી
આવીમળે જીવને ભક્તિપ્રેમ,ના રહે જીવનમાંકોઇ વ્હેમ
શાંન્તિનો સાથરહે જીવનમાં,ઉજ્વળ દેહમળે અવનીએ
સમયને સમજી ચાલતાદેહે,મોહમાયાથી ભાગતો રહેજે
. …………..ઉજ્વળ જીવન જીવતા હો.
))))))))))))))))))))))(((((((((((((((((((((((((((