મળતી માયા
. . મળતી માયા
તાઃ૨૦/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીંદગીમાં મળેલ ચાર ઘડીમાં,જીવ સમજે ના પળવાર
મળતી માયા છે અણસાર જીવનમાં,કોઇને ના સમજાય
. …………..જીંદગીમાં મળેલ ચાર ઘડીમાં.
અવનીપરના આ આગમનને,જીવને દેહ મળતાં દેખાય
માનવ દેહની શક્તિ નિરાળી,જે જીવને મુક્તિ દઈ જાય
પ્રાણીપશુ એ નિરાધાર દેહ,જે ફરી જન્મ તરફ દોરીજાય
જન્મમરણના સંબંધ ન્યારા,જ્યાં જીવજીવને ઓળખાય
. ………….જીંદગીમાં મળેલ ચાર ઘડીમાં.
કુદરતની કલમ નિરાળીચાલે,ના કોઇ જીવનેએ સમજાય
માયા એજ જીવના છે બંધન,જેનાથી આ જીવન સંધાય
ભક્તિની શક્તિ છે નિર્મળ,જે સાચી ભાવનાથી મેળવાય
આજ કાલની આ પંચાતમાં,જો જો જીવના ફરીથી ફસાય
. ………….જીંદગીમાં મળેલ ચાર ઘડીમાં.
ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ