અજબ શક્તિ
.
.
.
.
.
.
.
.
.
.
.
. . અજબ શક્તિ
તાઃ૨૨/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી કરેલી માળા જીવનમાં,ના કદીય એળે જાશે
કૃપા એ અજબ શક્તિ પ્રભુની,મુક્તિ જીવને એ દેશે
. ………….મનથી કરેલી માળા જીવનમાં.
મોહ માયાના બંધન છે સૌને.ના કોઇનાથી છટકાય
જગની લાગી માયાદેહને,ત્યાં જીવ ભવોભવ ભટકાય
મોહ તોછે દેખાવની નગરી,જે અહંકારથી જ સહેવાય
કળીયુગની છે આકેડી એવી,જે સમજદારથી સમજાય
. ………….મનથી કરેલી માળા જીવનમાં.
સાચી રાહ મળે જ્યાં જીવને,જે દેહનાવર્તનથી દેખાય
જીવને લાગે જ્યોત ભક્તિની,ત્યાં શ્રીજલાસાંઇ ભજાય
ભોલેનાથની કૃપા મળે દેહે,ત્યાં શીવલીંગે દુધ અર્ચાય
ૐ નમઃશિવાયના સ્મરણથી,અજબ શક્તિ મળી જાય
. ………….મનથી કરેલી માળા જીવનમાં.
*******************************************