August 22nd 2011

અજબ શક્તિ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                   . અજબ શક્તિ

તાઃ૨૨/૮/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી કરેલી માળા જીવનમાં,ના કદીય એળે જાશે
કૃપા એ અજબ શક્તિ પ્રભુની,મુક્તિ જીવને  એ દેશે
.                       ………….મનથી કરેલી માળા જીવનમાં.
મોહ માયાના બંધન  છે સૌને.ના કોઇનાથી છટકાય
જગની લાગી માયાદેહને,ત્યાં જીવ ભવોભવ ભટકાય
મોહ તોછે દેખાવની નગરી,જે અહંકારથી જ સહેવાય
કળીયુગની છે આકેડી એવી,જે સમજદારથી સમજાય
.                        ………….મનથી કરેલી માળા જીવનમાં.
સાચી રાહ મળે જ્યાં જીવને,જે દેહનાવર્તનથી દેખાય
જીવને લાગે જ્યોત ભક્તિની,ત્યાં શ્રીજલાસાંઇ ભજાય
ભોલેનાથની કૃપા મળે દેહે,ત્યાં શીવલીંગે દુધ અર્ચાય
ૐ નમઃશિવાયના સ્મરણથી,અજબ શક્તિ મળી જાય
.                         ………….મનથી કરેલી માળા જીવનમાં.

*******************************************