March 30th 2018

કર્મનુ અજવાળુ

.          .કર્મનુ અજવાળુ        

તાઃ૩૦/૩/૨૦૧૮            પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા મળે પરમાત્માની,જ્યાં નિર્મળ ભાવથી ભક્તિ થાય
પાવનરાહ જીવને મળે,જે મળેલ દેહના વર્તનથી અનુભવાય
......કર્મની પવિત્રકેડી મળતા જીવનમાં,સુખ શાંંન્તિની વર્ષા થાય.
અવનીપરનુ આગમન એજીવના કર્મની કેડી,દેહ મળે સમજાય
માનવદેહને અનેક બંધન છે સ્પર્શે,જે થયેલ કર્મથી અડી જાય
ના કોઇજ જીવથી છટકાય અવનીથી,જે સમયથી સ્પર્શી જાય
એજ જલાસાંઇ કૃપાએ અંતરમાં,જીવને અજવાળુ આપી જાય
......કર્મની પવિત્રકેડી મળતા જીવનમાં,સુખ શાંંન્તિની વર્ષા થાય.
નિર્મળરાહ પકડી જીવનજીવતા,દેહથી સદમાર્ગની રાહ મેળવાય
ના અપેક્ષાની કોઇ જરૂર પડે,કે નામોહમાયા પણ સ્પર્શી જાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા જીવનમાં,પરમાત્માની કૃપા થાય
મળેલ દેહના કર્મ એજ બંધન અવનીના,અનેક રૂપોથી દેખાય
......કર્મની પવિત્રકેડી મળતા જીવનમાં,સુખ શાંંન્તિની વર્ષા થાય.
=================================================

	
March 24th 2018

આંગણી ચીંધી

.           .આંગણી ચીંધી      
 
તાઃ૨૪/૩/૨૦૧૮            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેલ માનવદેહ અવનીપર,થયેલ કર્મનાસંબંધ સ્પર્શી જાય
આગમન એજ છે અવનીનાબંધન,જે નિખાલસ જીવનથી સમજાય
....પવિત્રરાહની જ્યોત પ્રગટે જીવનમાં,જે ભક્તિએ આંગણી ચીંધી જાય.
કુદરતની અદભુતલીલા જગતપર,જે સમય સમયથી સ્પર્શતી જાય
માનવદેહને સંબંધનો સાથ મળે,જે જન્મ મળતા દેહને અડી જાય
જન્મથી સ્પર્શે બાળપણ,જુવાની,અંતેદેહને ધૈડપણ પણ મળીજાય
એજ લીલા અવીનાશીની જગતપર,ના કોઇ જીવથી કદી છટકાય
....પવિત્રરાહની જ્યોત પ્રગટે જીવનમાં,જે ભક્તિએ આંગણી ચીંધી જાય.
બાળપણમાં મળે દેહને પ્રેમ માબાપનો,જે નિર્મળજીવન આપી જાય
જુવાનીમાં સમજણનો સંગાથ મેળવતા,ઉજવળતાની કેડીએ ચલાય
ના મોહમાયનો સ્પર્શ થાય જીવનમાં,જ્યાં પવિત્રઆંગણી ચીંધી જાય
મળેલ માનવદેહને સંતજલાસાંઇની આંગણીએ,નિર્મળરાહ મળી જાય
....પવિત્રરાહની જ્યોત પ્રગટે જીવનમાં,જે ભક્તિએ આંગણી ચીંધી જાય.
========================================================
 
March 18th 2018

માતાજીને વંદન

****……Image result for કુળદેવી મા કાળકા…..****

.            .માતાજીને વંદન

તાઃ૧૮/૩/૨૦૧૮  (ચૈત્રી નવરાત્રી)  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નવરાત્રીના પવિત્ર દીવસે શ્રધ્ધાએ,કુળદેવી માતાને ગરબે વંદન થાય
તાલીઓના તાલે ગરબે ઘુમતા,અજબશક્તિશાળી માતાની કૃપા થાય
.......એવી પવિત્ર નવરાત્રી મળી જીવને,જે દેહને અનંત શાંંન્તિ આપી જાય.
પાવનરાહ મળે જીવને નિર્મળભક્તિએ,સરળ જીવનની રાહ મળીજાય
પવિત્ર આ દીવસ છે જગતપર,માતાની કૃપાએ નવરાત્રીથી ઓળખાય
ચૈત્રસુદ એકમ એ પ્રથમ નવરાત્રીનો દીવસ કહેવાય,જ્યાં ગરબે ઘુમાય
તાલી દાંડીયાને સંગે રાખી નાચતા,માતાની અનેક ભક્તોપર કૃપા થાય
.......એવી પવિત્ર નવરાત્રી મળી જીવને,જે દેહને અનંત શાંંન્તિ આપી જાય.
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા જીવનમાં,અજબ શક્તિશાળી માતા હરખાય
મળે માતાનો પ્રેમ જીવને કૃપાએ,જે સુખશાંન્તિની વર્ષાએ અનુભવ થાય
કુળદેવી માતા કાળકા અજબ શક્તિશાળી છે દેવી,દેહને કૃપાએ સમજાય
પડે માતાની એક જ દ્ર્ષ્ટિ દેહ પર,સરળ જીવનસંગે પાવનરાહ મળીજાય
.......એવી પવિત્ર નવરાત્રી મળી જીવને,જે દેહને અનંત શાંંન્તિ આપી જાય.
***********************************************************

	
March 18th 2018

પવિત્ર કલમની કેડી

        preety sengupta-1
.             .પવિત્ર કલમની કેડી
તાઃ૧૮/૩/૨૦૧૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપ્રેમથી કલમની કેડી પકડી,કલમપ્રેમીઓને ઉજ્રવળ રાહ બતાવી જાય
માતા સરસ્વતીની પરમકૃપા મળે,અમારા પ્રીતીબેનને પ્રીતીસેન પણ કહેવાય
......એજ પાવનરાહ કલમની,જે કલમપ્રેમીઓને અંતરમાં આનંદ આપી જાય.
ઉજવળ ભાવનાસંગે માતાનોપ્રેમ લઈ,કલમપ્રેમીઓના પ્રેમે હ્યુસ્ટન આવીજાય
અંતરમાં આનંદ અનેરો મા કૃપાએ મળતા,લાગણી મોહ દુર રાખીને હરખાય
કલમની પવિત્રરાહ પકડતા જીવનમાં,અનેક જીવોને સુખ શાંન્તિ આપી જાય
મળેલદેહની મહેંકપ્રસરતા જીવનમાં,કલમની પવિત્રકેડીએ ઉજવળતા મળીજાય
......એજ પાવનરાહ કલમની,જે કલમપ્રેમીઓને અંતરમાં આનંદ આપી જાય.
નિર્મળપ્રેમને પકડી ચાલતા જીવનમાં,માતાજીની અનંતકૃપાની વર્ષા થઈ જાય
પકડેલકલમની મહેંક પ્રસરતા,અનેક રચનાએ કલમપ્રેમીઓને રાહ આપી જાય
હ્યુસ્ટન આવી કલમ પ્રેમ દેતા,પ્રદીપ સંગે કલમપ્રેમીઓને ખુબજ આનંદ થાય
પ્રેમની સરળ રાહ પકડતા,વડીલોના આશિર્વાદ સંગે મિત્રોનો પ્રેમ મળી જાય
......એજ પાવનરાહ કલમની,જે કલમપ્રેમીઓને અંતરમાં આનંદ આપી જાય.
============================================================
      દુનીયામાં ગુજરાતી ભાષાની શાને જગતમાં ગુજરાતીઓને સન્માન આપી જાય.
માતા સરસ્વતીની કૃપાએ શ્રીમતી પ્રીતીસેન ગુપ્તાની અનેક નિર્મળ રચનાઓથી કલમની
મહેંક પ્રસરાવી પ્રેમથી હ્યુસ્ટનમાં પધારતા કલમપ્રેમીઓને અને હ્યુસ્ટનની સાહિત્ય સરીતા
ને ઘણો જ આનંદ થયો છે.જેની યાદ રૂપે આ રચના સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા સાહિત્ય સરીતા.                    તાઃ૧૮/૩/૨૦૧૮.
***************************************************************

March 2nd 2018

પ્રત્યક્ષ દેવ

***Related image***
.             પ્રત્યક્ષ દેવ                      
 
તાઃ૨/૩/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતપર પ્રત્યક્ષદેવ શ્રી સુર્યનારાયણ છે,જે જીવોને દર્શન આપી જાય
જીવને મળેલદેહથી પ્રાર્થના કરતા,સુખશાંંતિનો સંગાથ પણ મળી જાય 
......એવા અજબ શક્તિશાળી દેવ છે,જગતપર સવારસાંજે દર્શન આપી જાય.
પરમકૃપાળુ છે જગતપર અબજો વર્ષોથી,જીવોને સમયથી સમજાઇ જાય
એજ પ્રત્યક્ષદેવ છે જેના દર્શને સવાર મળીજાય,જ્યાં દુનીયા જાગી જાય
દીવસથી તેમની વિદાયને સુર્યાસ્ત કહેવાય,જગત પર સંધ્યા થઈ કહેવાય
એજ પવિત્રઆગમન ને પવિત્રવિદાય કહેવાય,જેનો પ્રત્યક્ષ અનુભવ થાય
......એવા અજબ શક્તિશાળી દેવ છે,જગતપર સવારસાંજે દર્શન આપી જાય.
માનવજીવનની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાએજ પ્રેમથી અર્ચના થાય
રાંદલમાતાની કૃપા થાય પ્રદીપપર,જ્યાં સુર્યદેવ સંગે રાંદલમાતાનેવંદનથાય
સવાર સાંજના હાથ જોડીને દર્શન કરતા,પરિવારને પણ કૃપા મળી જાય
ના કોઈ અપેક્ષા કે માયા સ્પર્શે જીવનમાં,જે જીવને મુક્તિમાર્ગે દોરી જાય
......એવા અજબ શક્તિશાળી દેવ છે,જગતપર સવારસાંજે દર્શન આપી જાય.
************************************************************