માતાજીને વંદન
****………..****
. .માતાજીને વંદન તાઃ૧૮/૩/૨૦૧૮ (ચૈત્રી નવરાત્રી) પ્રદીપ બ્રહ્મભટ્ટ નવરાત્રીના પવિત્ર દીવસે શ્રધ્ધાએ,કુળદેવી માતાને ગરબે વંદન થાય તાલીઓના તાલે ગરબે ઘુમતા,અજબશક્તિશાળી માતાની કૃપા થાય .......એવી પવિત્ર નવરાત્રી મળી જીવને,જે દેહને અનંત શાંંન્તિ આપી જાય. પાવનરાહ મળે જીવને નિર્મળભક્તિએ,સરળ જીવનની રાહ મળીજાય પવિત્ર આ દીવસ છે જગતપર,માતાની કૃપાએ નવરાત્રીથી ઓળખાય ચૈત્રસુદ એકમ એ પ્રથમ નવરાત્રીનો દીવસ કહેવાય,જ્યાં ગરબે ઘુમાય તાલી દાંડીયાને સંગે રાખી નાચતા,માતાની અનેક ભક્તોપર કૃપા થાય .......એવી પવિત્ર નવરાત્રી મળી જીવને,જે દેહને અનંત શાંંન્તિ આપી જાય. શ્રધ્ધારાખીને ભક્તિ કરતા જીવનમાં,અજબ શક્તિશાળી માતા હરખાય મળે માતાનો પ્રેમ જીવને કૃપાએ,જે સુખશાંન્તિની વર્ષાએ અનુભવ થાય કુળદેવી માતા કાળકા અજબ શક્તિશાળી છે દેવી,દેહને કૃપાએ સમજાય પડે માતાની એક જ દ્ર્ષ્ટિ દેહ પર,સરળ જીવનસંગે પાવનરાહ મળીજાય .......એવી પવિત્ર નવરાત્રી મળી જીવને,જે દેહને અનંત શાંંન્તિ આપી જાય. ***********************************************************