March 26th 2020

મળે માયા

.            .મળે માયા

તાઃ૨૬/૩/૨૦૨૦            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માયા જીવને જીવનમાં,અનેક માર્ગે દોરીને લઈ જાય
કર્મનાસંબંધ તો જીવને અવનીપર,આવન જાવનથી સમજાય
..... મળેલ માનવદેહ જીવને,જીવનમાં અનેક કર્મ કરાવી જાય.
સમયની સંગે ચાલતા દેહને,કળીયુગ સતયુગ વર્તનથી દેખાય
ભુમીપર જન્મથી મળેલ જીવને,કુટુંબના સંબંધનો સ્પર્શ થાય
વાણી વર્તનએ દેહનો સંબંધ,જે ઉંમરમાં થતા કર્મથી દેખાય
સરળ રાહ મળે જીવનમાં દેહને,જે જીવના વર્તનથી મેળવાય
..... મળેલ માનવદેહ જીવને,જીવનમાં અનેક કર્મ કરાવી જાય.
અવનીપરના યુગથી નાકોઇજ દેહથી સમયથીકદી દુર રહેવાય
કર્મના બંધનએ જીવના છે,જે દેહને વાણીવર્તનથી અનુભવાય
પાવનરાહે જીવવા દેહથી,નિર્મળ ભાવનાથી ભક્તિમાર્ગે ચલાય
પવિત્રરાહે મળે સંતનાઆશિર્વાદ દેહને પવિત્રજીવન આપીજાય
..... મળેલ માનવદેહ જીવને,જીવનમાં અનેક કર્મ કરાવી જાય.
=====================================================

 

March 24th 2020

કળીયુગની માયા

.            .કળીયુગની માયા        

તાઃ૨૪/૩/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી છે જગતપર,જે કળીયુગની માયા કહેવાય
નાસમય કોઇથીય પકડાય જીવનમાં,જે અનુભવે સમજાઈ જાય
......સ્પર્શ કરે મળેલદેહને અવનીએ,જે કળીયુગની માયા કહેવાય.
સરળ જીવનમાં આફતનો ઓડકાર થાય,જ્યાં સમયસંગે ચલાય
અજબલીલા છેકુદરતની જગતપર,જે સતયુગકળીયુગથી સમજાય
મળેલ દેહને સંબંધ છે સમયનો,જે જીવને કર્મથીજ સ્પર્શી જાય
માનવદેહ એજ પરમાત્માનીછે કૃપા,અનેકદેહથી છટકાઈ જવાય
......સ્પર્શ કરે મળેલદેહને અવનીએ,જે કળીયુગની માયા કહેવાય.
જીવને મળેલ નિર્મળરાહ જીવનમાં,જયાં નિર્મળભાવનાએ જીવાય
કર્મનો સંબંધ તો મળેલદેહને છે,એ સતયુગ કળીયુગથી મેળવાય
કળીયુગની હવા મળે દેહને,જે કોરોના વાયરસથી દુઃખ દઈજાય
પવિત્રભાવનાથી ભક્તિ કરતા,કળીયુગના વાયરસથી છટકાવાય
......સ્પર્શ કરે મળેલદેહને અવનીએ,જે કળીયુગની માયા કહેવાય.
====================================================

 

March 17th 2020

કુદરતનીલીલા

.             .કુદરતની લીલા     

તાઃ૧૭/૩/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

કુદરતની છે અદભુતલીલા અવનીપર,સમયસંગે ચાલતા માનવને દેખાય
મળેલ માનવદેહને સ્પર્શ કરે જીવનમાં,જે અનેક અનુભવને આપી જાય
......એજ અજબલીલા પરમાત્માની કહેવાય,જે માનવતા મહેંકાવી જાય.
કળીયુગની સાંકળ માનવથી પકડાય,જ્યાં સરળ જીવનની રાહે જીવાય
મળે કુદરતનીકેડી દેહને જીવનમાં,જે કોરોના વાયરસથી અનુભવ થાય
માન અને સન્માનને પકડી રાખતા,માનવીને અપેક્ષાનાવાદળ અથડાય
મળેલદેહને સ્પર્શે વાયરસ અવનીએ,જે અનેકદુઃખનો સ્પર્શ આપી જાય
......એજ અજબલીલા પરમાત્માની કહેવાય,જે માનવતા મહેંકાવી જાય.
સતયુગ એ પરમાત્માની કૃપા જીવપર,જે મળેલદેહને પવિત્રરાહે લઈજાય
નિર્મળભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,અનંત શાંંતિની વર્ષા થઈ જાય
કળીયુગ કુદરત સંગે જીવને અપેક્ષા સ્પર્શે,જે માનવદેહને ભટકવી જાય
આફતનો સ્પર્શ થાય દેહને જીવનમાં,જે અનેક રાહે દેહને દુઃખ દઈજાય
......એજ અજબલીલા પરમાત્માની કહેવાય,જે માનવતા મહેંકાવી જાય.
=========================================================
March 9th 2020

સન્માન નારીનુ

.           .સન્માન નારીનુ    

તાઃ૯/૩/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનકર્મની રાહ પકડીને જીવતા,જીવોને પવિત્રરાહએ આપીજાય
માનવતાની મહેંક પ્રસરાવી જીવતા,મળેલદેહને પાવનએ કરી જાય
......એજ દેહ છે અવનીપર,જે નારીના પવિત્રદેહથીજ ઓળખાય.
પરમાત્માની કૃપા મળે દેહને,જે સંતાન દેતાજ માતા એ થઈ જાય
મળેલ સંસ્કાર પકડીને ચાલતા,જીવનમાં પવિત્રરાહ દેહને મળીજાય
નિર્મળ જીવનનો સંગાથ મળે,ના કોઇ જ અપેક્ષા જીવનમાં રખાય
મળે મમ્મીના આશીર્વાદ સંતાનને,એજ પિતાને રાજી પણ કરીજાય
.......એજ દેહ છે અવનીપર,જે નારીના પવિત્ર દેહથીજ ઓળખાય.
વિરબાઈબેને સંસ્કાર સાચવ્યા,જ્યાં પતિથી સાધુની સેવાએ મોકલાય
જલારામની જ્યોતપ્રગટી સંસારમાં,જ્યાં પ્રભુ ઝોળીલાકડી આપી જાય
પવિત્ર જીવ અવનીપર આવી જાય,ત્યાં જ પત્નિ માતાથી ઓળખાય
ના.રીદેહની અજબકૃપા જગતપર,અનેક જીવોને માનવદેહ આપીજાય
......એજ દેહ છે અવનીપર,જે નારીના પવિત્ર દેહથીજ ઓળખાય.
મળે દેહ નારીનો જીવને સંસારમાં,જે પતિનો પાવનપ્રેમ મેળવી જાય
અદભુતલીલા થાય પરમાત્માની જગતપર,એ માનવદેહ મળતા દેખાય
નારી દેહનુ થાય સન્માન અવનીપર,જે પવિત્રરાહે જીવન જીવી જાય
પ્રદીપને પ્રેમ મળે બહેનોનો હ્યુસ્ટનમાં,અનંતપ્રેમે કલમ પકડાવી જાય 
.......એજ દેહ છે અવનીપર,જે નારીના પવિત્ર દેહથીજ ઓળખાય.
=====================================================