May 17th 2008

મારો પરિચય

Pradip Brahmbhatt

સંવત ૧૯૭૧ ના મે માસની ૧૧ મી તારીખે નડીઆદમાં સંત પુજ્ય મોટાના આશ્રમમાં તેમની કૃપાથી સર્વ પ્રથમ કાવ્યની રચના કરી તાઃ૧૨ મી મેએ તે વાંચીને તેમના આશીવાદ મેળવી આ લેખક જગતમાં પર્દાપણ થય્રુ. સં.૧૯૭૬ માં અરુણોદય કાવ્યને ગોપાલજીત ગ્રુપ, આણંદ દ્વારા યુવક મહોત્સવમાં રજુ થતાં ખેડા જીલ્લામાં પ્રથમ તથા રાજ્યમાં દ્વીતીય સ્થાન મળ્યું. કાવ્ય લખવાનું ચાલતું રહ્યું. આણંદના સ્થાનીક પેપરો તથા મેગેઝીનોમાં સ્થાન મળતું ગયું. સં ૧૯૯૫માં અમેરીકા આવતા ગુજરાતી સમાજ, હ્યુસ્ટનના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ દેસાઈ , શ્રીમતી જ્યોતીબેન તથા શ્રી વિજયભાઈ શાહ અને શ્રી પુષ્પકભાઈ પંડ્યાના સાથથી મને ઘણું જ પ્રોત્સાહન મળ્યું. આજે જે કાંઇ છું તે સેવાભાવી અને પ્રેમાળ માણસોના સહકારથી જ છું. મારા કાવ્યો તથા ટુકા લેખો સામાન્ય રીતે ભક્તિભાવ, ધાર્મિક, સામાજીક, કૌટુમ્બિક તથા પ્રસંગ સંબંધિત હોય છે. અને તેની પ્રેરણા આપનાર આપ સૌ વાંચકો જ છો જેની હું ,પ્રદીપ બ્રહ્મભટ્ટ, હંમેશા અપેક્ષા રાખીશ તે ભાવના સાથે મારા પરિવાર સહિત સૌને નમસ્કાર તથા જય જલારામ.

તારીખઃ૧૧મી એપ્રિલ ૨૦૦૭.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment