August 31st 2008

જીવનું લેણુ

                  જીવનું લેણુ

તાઃ૩૧/૮/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મ્યાઉ મ્યાઉ કરતી બીલ્લી બારણે આજે દીઠી
મનમાં ના કોઇવિચાર આવ્યો દુધ આપીદીધુ
……………………………..આ તો ભઇ જીવનુ જેટલુ લેણુ
ના મળતો અણસાર ભવમાં કેટલુ કોણે લીધુ
જીવનીસાથે કાયમરહેશે ભક્તિમાં જેટલું દીધુ
જમા પાસુ જલ્દી જોવાશે ઉધાર કોઇના રાખે
રામ શ્યામની આ સૃષ્ટિમાં પ્રેમે પ્રેમથી કીધુ
……………………………..આ તો ભઇ જીવનુ જેટલુ લેણુ
જાગી જ્યારે જગમાંજોયું અલબેલુ આતો લાગે
ગઇકાલની ચિંતામાં ના સમજ કંઇ આજે આવે
માયા માયા કરતાતા ત્યાં મોહ કાયાનો લાગ્યો
અણસાર નાભક્તિ કે પ્રભુનો ક્યાંથીસમજ આવે 
……………………………..આ તો ભઇ જીવનુ જેટલુ લેણુ
જીવ નાજાણે જગની માયા,દેહને વળગી ચાલે
જલાસાંઇ ની સાચીભક્તિ જેમુક્તિ નજીક લાવે
માયા ચાલે દેહની સાથે ને મુક્તિ જીવની સંગે
કામણ કાયા બળી જવાની અહીની ઝંઝટ છોડી
……………………………..આ તો ભઇ જીવનુ જેટલુ લેણુ

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

August 30th 2008

दीलकी चाहत

                           दीलकी चाहत

ताः३०-८-२००८                          प्रदीप ब्रह्मभट्ट

सोच रहा था मनमे कुछ करके जाना है
            प्यार महोब्बत भरके येजीवन जीना है
सबसे बांटके मनसे जीवनमे प्यारपानाहै
          देकर सबको मनसे खुशहाल ही  रहेना है
                  ……..मुझे सबसे सच्चा प्यार पाना है

लेकर प्यार अपनोसे में खुशहाल रहेता हुं
          बांटके प्यार दुसरोसे मुझे बेजान बनना है
अपनोसे अन्जान दुसरोको प्यारपीलाना है
         दीलके अरमानोमे सबके अरमान मीलाना है
                   ……मुझे जगमे सच्चा प्यार बहाना है

क्या लाया था मै लेकर क्या मै जाउंगा वहां
         प्यारा सबका चहेरा खुशी देखके खुश रहेना
अपने तो सब प्यारे है दुसरे भी मेरे प्यारे
           देकर प्यार देके अरमान प्यार निभाना है         
                         …….मुझे दीलसे दील मीलाना है

ऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽऽ

August 30th 2008

મનમાં મુંઝવણ

                  aa-america.jpg                     

  મનમાં મુંઝવણ 
                               છે રસ્તો?
તાઃ૨૯/૮/૨૦૦૮…………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ

# અમેરીકામાં વિજળી જતી રહે તો….શું થાય?
# અમેરીકાને પેટ્રોલ ન મળે તો….શું થાય?
# અમેરીકામાં કોમ્પ્યુટર ના હોય તો શું થાય?
# અમેરીકામાં લાલી લીપ્સ્ટીક નો સૌથી વધુ ઉપયોગ થાય છે તો તેનુ કારણ
    અહીંયાં સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે તે, કે પછી પુરુષો ફાંફા ના મારે તે?
# ઇરાન,ઇરાકમાં મુસ્લીમ કુટુંબો રહે છે કોઇ અમેરીકન રહેતા નથી તો
  ત્યાં અમેરીકન લશ્કર શું કરે છે?
# શ્રી કૃષ્ણ મંદીરમાં કૃષ્ણની મુર્તિ સાથે રાધાની મુર્તિ જ હોય છે તો તેમની
  પત્નિ રુક્ષ્મણી ક્યાં?
# સ્વામિનારાયણ મંદીરમાં સ્વામિનારાયણની કોઇ મુર્તિ જ નથી તો તે સ્વામિનારાયણ
   મંદીર કેમ્?
# વીરપુરમાં સંત શ્રી જલારામના મંદીરમાં કોઇપણ પ્રકારનું દાન સ્વીકારાતુ નથી
    તમે મુકેલ કોઇપણ રકમ તરત પાછી લેવા જણાવે છે જ્યારે બીજા ધાર્મિક સ્થળો
    પર મુર્તિના પહેલા દાનપેટી મુકે છે અને પ્રસંગોપાત તમને આમંત્રણ મોકલી
    દાનનો મહિમા સમજાવે છે કેમ?    
# ભગવું ધારણ કરેલ વ્યક્તિ સ્ત્રીથી દુર કેમ ભાગે છે? તેમને જન્મ આપનાર કોણ?
# સ્વામિનારાયણ મંદીરના સાધુ પડદો બંધ કરી મુર્તિઓને કપડા પહેરાવે છે
    ત્યાં રાધાના કપડાં પણ તેઓ બદલે છે તો તે સ્ત્રી નથી?
# જન્મ અને મૃત્યુ પરમાત્માના જ હાથમાં છે મનુષ્યનુ અસ્તિત્વ તેમનાથી
     જ છે તો પત્થરની મુર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતે કરી શકે? તેમની કઇ
  લાયકાત? જેને પોતાના મૃત્યુની જ ખબર નથી કે તે ક્યારે છે?
# જગત અને જીવ એ પરમાત્માની કૃપા છે પૃથ્વી પર  જન્મેલ મનુષ્ય ચાંદ
  પર શું શોધવા જાય  છે? તેની શી જરુર છે? લોકોના પૈસાનું પાણી કે પત્થર
  લઇ આવવાનો ખર્ચ?
# સૃષ્ટિના સર્જનહાર જીવની જરુરીયાતને સમજી તેને અસ્તિત્વ આપે છે
  જેને પોતાના જન્મ કે મૃત્યુ નો અણસાર પણ નથી તે જીવ શુ કરી શકે?
# દુનીયામાં ખુબ મજબુત સમજતા અમેરીકાને એક વાવાઝોડાની ઝપટની
  કેમ બીક લાગે છે? લોકો ઘરો ખાલી મુકી દેહ બચાવવા જતા રહેતા, ગાડીમાં
  પેટ્રોલ ફુલ ભરી બીકથી ટીવી સામે તાકી રહી કેમ બીએ છે?

?????????????????????????????????????????????????

August 29th 2008

સાજનનો સાથ

                                સાજનનો સાથ
 
તાઃ૨૮/૮/૨૦૦૮ ……………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાજન તારો સાથ મળે તો,સાગર તરી જઉ
              જીવનમાં આવતી ઝંઝટને હું પ્રેમે ભુલી જઉ

સંસાર તો સાગર જેવો,જગતના જીવો જાણે
            તરવાની ના સમજ જેને,જ્યાં ત્યાં ફાંફા મારે
જ્યાં મહેનત મનથીથાય ત્યાં સફળતા દેખાય
           અંતરમાં આનંદ ઉભરાય,ને દુખડાં દુર જાય

સગપણ સાચું સ્નેહનું,મનથી જ મળી જાય
            જ્યાં લાગણી પ્રેમને સ્નેહ,ત્યાં જગ પ્રેમે ન્હાય
કાયાને વળગી છે માયા,સાજનને મળી સહેલી
             સાચો સ્નેહ દીપી ઉઠે,જ્યાં હૈયા હરખાઇ જાયુ

આગળપાછળ ના જોવું ઉભરાય હૈયું ત્યાંરહેવું
           માયા પ્રેમ મળશે સદા,જ્યાંદિલમાં આનંદથાય.

઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼

August 29th 2008

ખાવાની મઝા

                          ખાવાની મઝા

તાઃ૨૮/૮/૨૦૦૮                        પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
સબવે ની ના સેંડવીચ જોતો,
                કે ના જોતો બરગરના બ્રેડ
મૅકડૉનલની ફ્રાઇઝ ના ખાતો.
                       કે ના સી સી ના પીઝા
                          ……અરે ભઇ હું તો ખાતો મોટા રોટલા
કૉક,પૅપ્સી કે સ્પ્રાઇટ ના જોતો,
                 કદી ના મીનરલ વૉટર
પેટની પીડા જાતે વ્હોરતા ત્યારે,
                    ડૉક્ટર શોધવા પડતા અહીં
                          ……માટે પ્રેમથી રોટલા હું ખાતો અહીં
ચીઝના લેતો,પનીર ના ખાતો,
                શરીરે ચરબી ચઢી જતી ભઇ
ખાતો લેટસ સાથે ગાજર લેતો,
                     એપલ કરતાં કેળા ઉત્તમ લાગે
                         …..તેથી રોટલા સાથે કેળા ખાતો અહીં
કૅચપ કે ના શૉસ શોધતો,
                    કુકી સીરીયલ ના હેલ્થ માટે
ના જોઇએ ૨% મીલ્ક મારે,
                        સૉલ્ટ પૅપર કે ના ગાર્લીક બ્રેડ
                      ……ક્યારેક રોટલા સાથે લેતો હોલ મીલ્ક
 
ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ

August 28th 2008

રટણ શ્રીરામનું

                    રટણ શ્રીરામનું

તાઃ૨૭/૮/૨૦૦૮ …………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલાબાપાની જ્યોત મળીને, હનુમાનદાદાના વ્હાલ
શ્રીરામ શ્રીરામ રટણ કરુ જ્યાં,હું પ્રભુ ભક્તિમાંન્હ્યાલ

સત્ય યુગની સવાર જાણે,પંખી કલરવ કરતા લાગે
વ્યોમતણા વાદળ સંકેલાતા ને પ્રકાશસુર્યનો દેખાતો
                                …… ત્યાં હૈયે હેત સદા લહેરાતા

ઘંટારવને આરતી સંભળાતી,ઉજ્વળ માનવમનદેખાતું
મળતા હૈયા સૃષ્ટિ સથવારે,ના લાલચ મોહ ભટકાતા
………………………….  ……ત્યાં હૈયે હેત સદા ભટકાતા.

સંત જલારામ ને સંત સાંઇરામ, લાગે જીવન ભક્તિધામ
સંસારનીમાયા સાચીજણાતી,જીંદગીઉજ્વળથતી દેખાતી
……………………………            …..જેમાં હૈયે હેત સદા લહેરાતા

મળેભક્તિ ત્યાંશ્રધ્ધા દેખાતી,મિથ્યા જગની સૃષ્ટિ જણાતી
સાચી માયા સંસારથી અળગી,જેમાંશાંન્તિ જીવને દેખાતી
…………………………                 ……જેમા હૈયે હેત સદા લહેરાતા.

========================================

August 27th 2008

વંદન આરતી

                     વંદન આરતી
તાઃ૨૭/૮/૨૦૦૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
જય શંકર ભોલે,બોલો જય શંકર ભોલે
ધુપદીપ કરી આરતી કરીએ …(૨)
             ઓ કૃપાળુ કરતાર,પ્રભુ જય ભોલે ભગવાન

નંદી સવારી,કૈલાસ નિવાસી,છો સૃષ્ટિનો આધાર
પ્રેમે વંદી,શીશ નમાવી,ગાઇએ ભક્તિના ગુણગાન
 …….                            ……પ્રભુ જય ભોલે ભગવાન

સૃષ્ટિ કાજે,વિષ પીધા, કરવા ભક્તોના કલ્યાણ
ત્રિનેત્ર ખોલી અસુરો માર્યા,સુણી ભક્તોના પોકાર
…………..                      ……પ્રભુ જય ભોલે ભગવાન

ગૌરી શંકર,પાર્વતી પરમેશ્વર,છો ભોળાના ભગવાન
પિતા ગજાનન,કરુણા સાગર, ઓ પ્રદીપના આધાર
………..                      ……પ્રભુ જય ભોલે ભગવાન
 
—————————————–

August 27th 2008

ખાલી હાથ

                     ખાલી હાથ

તાઃ૨૬/૮/૨૦૦૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ્

સાચી શક્તિ ભક્તિમાં, છે પ્રભુનો અણસાર
માગુમનથી પ્રભુનીપાસે મુક્તિ દો ભગવાન

અવની પરના આગમન ને, કર્મ તણા છે બંધન
સુખદુખનીસહયારી જીંદગીમાં,ભક્તિનો છે સંબંધ

સાચી માયા પ્રભુથી કરવી જગની માયા મિથ્યા
આવ્યા અવનીપર જ્યારે,મળી જગમાં આ માયા

માળાની ના જરુર જગને, હ્રદયમાં રાખો શ્રીરામ
અંતરથી જ્યાં સ્મરણ થાયત્યાં મળે છે જલારામ

આવ્યા આ ધરતી પર, હાથમાં કાંઇ ન લાવ્યા
ના લઇ જવાના જગથી,ખાલી હાથ જ જવાના

દેજો મનથી પ્રેમ પ્રભુને, શીવની પામશો કૃપા
અવસર ફરી નાઆવે આ,જ્યાં પરમપિતાની ભક્તિ

઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼

August 27th 2008

આરતી મહાદેવની

                          shivaji.jpg            

                           આરતી મહાદેવની

તાઃ૨૫/૮/૨૦૦૮                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય જય ભોલે,શિવ જય શંકર ભોલે;
આરતી અર્ચન કરીએ..(૨) વંદન નીત કરીએ
                                         ….પ્રભુ જય જય જય ભોલે

પાર્વતી પતિ પરમેશ્વર..(૨) શીર ગંગા ધારી, પ્રભુ..(૨)
નીલકંઠ,વિષધારી..(૨), નાગેશ્વર મહાદેવ..પ્રભુ..(૨)
                                         ….પ્રભુ જય જય જય ભોલે

ત્રિશુલધારી,જગત આધારી..(૨)વંદન નીત કરીએ..પ્રભુ..(૨)
સૃષ્ટિ આધારી,પ્રમકૃપાળુ..(૨)લેજો નીજ ચરણે..પ્રભુ..(૨)
                                        . ….પ્રભુ જય જય જય ભોલે

કરુણાસાગર દયાનાદાની..(૨), ભોલાના ભગવાન..પ્રભુ..(૨)
સહવાસ સર્પનો ,કરી નંદી સવારી,ગૌરીના ભરથાર..પ્રભુ..(૨)
                                       …..પ્રભુ જય જય જય ભોલે

વંદન કરીએ નીત સવારે..(૨) સાંજે સ્મ્રણ થાય..પ્રભુ..(૨)
પ્રદીપ વંદે,રમા પણ વંદે..(૨)લઇ ભક્તિનો સંગાથ..(૨)
                                        …..પ્રભુ જય જય જય ભોલે

  ___________________________

August 24th 2008

નર કે નારી

   ..                  નર કે નારી

તાઃ૨૩/૮/૨૦૦૮ ………………………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ્

નરનારીના ભેદની વાત જગમાં કોઇએ નથી જાણી
જગત પિતાની આ છે લીલા કોઇથી નથી અજાણી
                       …….આ છે પરમાત્માની બલીહારી
કર્મની લીલા જગતમાં ન્યારી, ના તેમાં કોઇ દ્વીધા
પ્રેમ સંબંધનો તાંતણો નાનો છે જગ તેમાં બંધાયુ
પરમાત્માના સાચા પ્રેમમાં ના જગના કોઇ બંધન
                       ……સાચી ભક્તિ પ્રેમથી નિતરતી
મુક્તિ જ્યાં જીવને મળે ના મળે દેહ નર કે નારી
આત્માનુ આગમન એ તો દેહ થકી જગમાં દીસે
ભક્તિ નો બંધાય તાંતણો દેહ ના છુટે આ બંધન
                     ……..જે થાય સંસારી સંતોમાં દર્શન
રામ શ્યામનો દેહ ધરી પરમાત્માએ દીધા દાન
માર્ગ મુક્તિ નો દર્શાવી થયા પ્રભુ અંતર ધ્યાન
નર નારહે કે નારી પણ  જ્યાં જીવે મુક્તિ આવે
                        …….એવી છે શક્તિ પરમાત્માની
કર્મનીએવી ગતી કે જેમાં જીવ ધરતી પર આવે
માનવ મનની શક્તિ એવી મુક્તિ એમાં સમાણી
પ્રદીપ વંદે પરમાત્માને નામળે દેહ નર કે નારી
                    …….પ્રભુની કૃપા ના જગથી અજાણી

+++++++++++++++++++++++++++++++++++++++++

Next Page »