મુક્તિનો મેળાપ
મુક્તિનો મેળાપ
તાઃ૧૬-૮-૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક દીવડો પ્રકટે પ્રેમનો, જીવનને જ્યોત મળે
સ્નેહ હશે જો હૈયે ઉજ્વળ,જીવનમાં મળશે પ્રેમ
ઓ માનવ મન તારી ચિંતા અપરંપાર
……………….. જેનો દુનિયામાં નહીં પાર
સંસાર મળ્યો છે તો ભક્તિ કરી લેજે પળવાર
સફળ માનવ જન્મ ને ઉજ્વળ કામ થશે હજાર
માગતા કાંઇ નહીં મળે પણ કૃપા મળશે લગાર
જેનો દુનિયામાં નહીં પાર
પ્રેમ વરસશે ને લાગણી સાથે સ્નેહ પણ અપાર
ભક્તિ કરજે મનથી ને દેજે હંમેશા પ્રેમના દાન
પરકાજે તુ દીપ બનીશ તો પરદીપ તુ દેખાશે
અંધારાના સહવાસમાં અહીં જગતપ્રકાશ શોધે
જેનો દુનિયામાં નહીં પાર
પ્રભુભજન ને પ્રેમ ભક્તિએ પરમાત્મા પણ રાજી
અંતકાળે સ્મરણ થાય તો આજીવ મુક્તિએ દિપે
રાઘવ રામ ને કૃષ્ણ શ્યામ સ્મરણ માત્રથી રીઝે
મનથીમાગ્યુ પ્રભુ ભક્તિમાં સ્નેહે પ્રભુ ભરીનેદેશે
જેનો દુનિયામાં નહીં પાર
———————————————–