ભક્તિભાવ
…………. ભક્તિભાવ
તાઃ૩૧/૭/૨૦૦૮. …………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ ભાવે ભક્તિ કરુ હું, હૈયે રાખી હામ
સ્નેહ પ્રેમથી રટણ કરુ છું, જીવે ભક્તિ થાય
મળે ભક્તિ તણો એક ભાવ
મનની આશા ઉજ્વળ જીવન, મહેંકે ભક્તિ રંગે
અનંત પામવા કૃપાપ્રભુની,પળપળ સંગે રહેતી
ત્યારે થાતો ભક્તિ તણો એક ભાવ
પુષ્પતણી આ મૃદુ વાણી, સ્મરણ પ્રભુનું કરતી
નાઆશા કે અભિલાષાકંઇ,મુઝવણ નાકંઇ રહેતી
જ્યારે મળે ભક્તિ તણો એક ભાવ
સાંત્વન હૈયે જલાથીમળતું,સાંઇસ્મરણ પણ થાય
સંસાર થકી સહવાસ હતો,પણ જીવન મહેંકીજાય
. તેથી મળે ભક્તિ તણો એક ભાવ
પ્રભુસ્મરણના તાલમળ્યાંને,જગની માયાજતીરહી
સાચી જીવનેરાહ મળીજ્યાં,મુક્તિ જીવનેમળીગઇ
. જ્યાં મળે ભક્તિ તણો એક ભાવ
લાગી માયા પ્રભુ સ્મરણની,નેસાથ સૃષ્ટિનો મળે
મનમાં ના કોઇ શંકા જાગે,રામનામની કડી મળી
ત્યાં મળે ભક્તિનો એક ભાવ
=====================================