August 22nd 2008

બારાખડી કે એબીસીડી

                  બારાખડી કે એબીસીડી
તાઃ૨૨/૮/૨૦૦૮                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

બારાખડીનો કક્કો ને ભજનની એબીસીડી
             ક્યાંથી મેળ પડે જ્યાં પડી ગઇ ભઇસીડી

જીવનના પહેલા સોપાને સમઝણ પડીગઇ
           ગુજરાતનો હુ ગુજ્જુ ને ગુજરાતી માતૃભાષા
કખગઘ મળ્યુ ગળથુથીમાં નામારુ ભઇફાંફા
            પફબભમાં ખચકાતો ત્યાં પપ્પા તેડી લેતા
સશષહઃ પહોચી ગયો પછી સ્કુલ છુટી ગઇ

બીજા સોપાને ચઢી હાઇસ્કુલમા ચાલ્યો ભઇ
          મહેનત મનથી કરીલેતાં બીક પણજતી રહી
ભુતકાળમાં નાભરમાતો આગળ હંમેશા જોતો
          કૉલેજ કૉલેજ બોલતો ત્યાંતો કૉલેજપતીગઇ
મળ્યુ ભણતર જીવનમાં ત્યાં સાચી મતી થઇ

લાગી માયા સંસારની ત્યાં મહેનત કરુ ભઇ
         જીદગીના સોપાનો ચઢતા ભક્તિ ભુલાઇ ગઇ
સંસારનો સહવાસ થતાં કામની ઝંઝટ શરુથઇ
         સવારસાંજની ખબરપડે ના એવી જીદગીઅહીં
એબીસીડી અહી મળતા ભજનની ભુલાઇ ગઇ

——$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$——-

August 22nd 2008

સોનેરી કીરણ

                         સોનેરી કીરણ

તાઃ૨૨/૮/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુરજના સોનેરી  કીરણ,પ્રભાતને સોહાવે
     કલરવ કરતાં પંખીઓ પણ મધુર સ્વર રેલાવે
                                    ….સુરજના સોનેરી કીરણ

વાદળ કાળા વિદાય લેતા, જ્યાં પ્રભાતનો પોકાર થતો
નિર્મળ જગતના આસાગરમાં,માનવ મસ્તબનીને ન્હાતો
                                    …..સુરજના સોનેરી કીરણ

કોયલની કુઉ કુઉ સંભળાતી ને ચકલી ચીં ચીં કરતી
દાણો એક અનાજનો મળે ત્યાં જીવનનો લ્હાવો લેતી
                                     …..સુરજના સોનેરી કીરણ

સંતાન જગતના જાગી કુદરતની અજબકૃપાને જોતા
પ્રભાતનો જ્યાંસહવાસ મળે ત્યાં નિંદરને ત્યજી દેતાં
                                    …..સુરજના સોનેરી કીરણ

ખળખળ વહેતા પાણી નદીના. મધુર મિલનમા રહેતા
પનીહારીના બેડલામાં સમાઇ, જગતને તૃપ્ત કરતા
                                    …..સુરજના સોનેરી કીરણ

_________________________________________

August 22nd 2008

સાર્થક જન્મ

                                સાર્થક જન્મ
તાઃ૨૧/૮/૨૦૦૮                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ્

ના મને જીવનમાં ખોટ, જ્યાં મળી જલારામની જ્યોત
ઉજ્વળજીવન જીવી જવાશે,ભક્ત જલારામના સહવાશે
મળશે શાન્તિ મનને આજે,સાર્થક જન્મ આ મારો થાશે
મતી ગતી સૌ સાથે રહેશે,ને પ્રેમથી જીવન આ મહેંકશે
                             …….જ્યાં મનથી સાચી ભક્તિ થાશે

કર્મનુ બંધન સૌને વળગે, જ્યાં જીવને આ દેહ મળે
પશુ પક્ષીકે પછી મનુષ્ય, ના અળગુ તેનાથી બંધન
સર્જનહારની આછે સૃષ્ટિ,દોરે જીવને મેળવવા મુક્તિ
ભજનથાય કે ભક્તિ થાય,જીવને શાંન્તિ મળતીજાય
                              …….જ્યાં સેવા સાચા દીલથી થાય

મન થકી મળતી માનવતા, ને હૈયાથી મળતા હેત
ભક્તિથી મળતા ભગવાન જ્યાં જલાસાંઇથી પ્રીત
મિથ્યા માયા મોહ લાગે,જે જીવને વળગી છે ચાલે
મળતી મુક્તિ જ્યાં છુટે સૃષ્ટિ,ના રહે કાયાના મોહ
                              ……જ્યાં પ્રેમથી પ્રેમની ભક્તિ થાય

=======================================