August 26th 2014

અભિમાન આવે

.                        .અભિમાન આવે

તાઃ૨૬/૮/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અભિમાન જ્યાં આવે આંગણે,ત્યાં લાયકાત છેડાઇ જાય
ઉજ્વળ જીવનની કેડી છુટતા જ,માનવતા વેડફાઇ જાય
.                  …………………. અભિમાન જ્યાં આવે આંગણે.
મારૂ તારૂ વળગી જતા જીવનમાં,દુઃખ વાદળ આવી જાય
સફળતાની કેડી છુટતા,જગે દેખાવની દુનીયા મળી જાય
મોહમાયાની કેડી સ્પર્શતા,કળીયુગની કાતર ફરતી થાય
વણ કલ્પેલી આફત આવી  મળતા,અભિમાન ભાગી જાય
.                 ……………………અભિમાન જ્યાં આવે આંગણે.
કુદરતની કેડી નિખાલસ,સાચી માનવતાએજ  સમજાય
મળે જગતમાં પ્રેમ અનેરો,જ્યાં  સાચી ભક્તિ પ્રેમે  થાય
અહીં તહીંમાં જ આફત આવી,જીવનું બારણું ખોલી  જાય
મૃત્યુ આવતા જીવને જગતમાં,કર્મનુ  બંધન જકડી જાય
.                 ……………………અભિમાન જ્યાં આવે આંગણે.

=====================================

 

August 23rd 2014

પ્રેમ દે સફળતા

.                  .પ્રેમ દે સફળતા

તાઃ૨૩/૮/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની કેડી લેવા,મનથી મહેનત થતી જાય
પાવનકર્મની કેડી મળે,જ્યાં જગે સાચો પ્રેમ મળી જાય.
.                         …………………ઉજ્વળ જીવનની કેડી લેવા.
અવનીપર આગમનથી,જીવને મળેલ દેહથી સમજાય
માનવદેહ એ રાહ આપે,જ્યાં ભક્તિ શ્રધ્ધા પ્રેમથી થાય
મળે પ્રેમ સાચો જીવને,એજ જીવનમાં સફળતા દઈ જાય
મુક્તિમાર્ગની રાહ મળતા,જન્મમરણના બંધન છુટીજાય
.                           …………………ઉજ્વળ જીવનની કેડી લેવા.
શીતળતાનો સંગ રહેતા જીવનમાં,આધીવ્યાધી દુર જાય
મોહમાયાની ચાદર છુટતા,જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
મળે પ્રેમ પરમાત્માનો જીવને,સઘળા પાપો ધોવાઇ જાય
અવનીપરનુ આગમન જીવને, સ્વર્ગીય સુખ આપી જાય
.                        …………………..ઉજ્વળ જીવનની કેડી લેવા.

====================================

August 22nd 2014

મળેલ મુંઝવણ

.                  .મળેલ મુંઝવણ

તાઃ૭/૭/૨૦૧૪                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ ગજબની કેડી જીવને,સમય સમયે સમજાય
પાવનકર્મની સાચી રાહ,નિર્મળ ભક્તિએ મળી જાય
.                    ………………..અજબ ગજબની કેડી જીવને.
આવી આંગણે મુંઝવણ ઉભી,ના રાત દીવસ જોવાય
સરળતાની જ્યાં કેડી છુટે,ના કોઇ જીવથીય છટકાય
અંતરમાં નાઆનંદ ઉભરે,કે નાકોઇનો પ્રેમ મળીજાય
ઉજ્વળ જીવન ખખડી પડતાં,નિર્મળતાય ભાગી જાય
.                     …………………અજબ ગજબની કેડી જીવને.
લાગણી મોહ અંતરનો ઉભરો,કળીયુગમાં દોરી જાય
માનવ મનને મળતી માયા,જીવને એજ જકડી જાય
જન્મમરણનો સંબંધ મળતા,કર્મનાબંધન મળી જાય
અવનીપરનુ આગમન લેતા,મૃત્યુની કેડી મળી જાય
.                   …………………..અજબ ગજબની કેડી જીવને.

=====================================

August 22nd 2014

જીવનની જળહળતા

.                  .જીવનની જળહળતા

તાઃ૮/૭/૨૦૧૪                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળતાને પકડી ચાલતા,પવિત્રરાહ મળી જાય
પાવનકર્મની એક જ કેડીએ,જીવન જળહળ થાય
.          …………………..નિર્મળતાને પકડી ચાલતા.
માનવદેહ એ સરળ કેડી,જીવ મુક્તિ માર્ગે દોરાય
મળે કર્મની શીતળ રાહ,જ્યાં જલાસાંઇને ભજાય
સુખદુઃખનો સંગાથ જીવને,સાચી ભક્તિએ છુટાય
મોહમાયાના બંધન છુટતા,જીવન ઉજ્વળ થાય
.           ………………….નિર્મળતાને પકડી ચાલતા.
મળતા આશીર્વાદ વડીલના,તકલીફો ભાગી જાય
મળે મનને શાંન્તિ આવી,ના આધીવ્યાધી દેખાય
પ્રેમની સાચી કેડી ભક્તિથી,જીવનમાં મળી જાય
અંતરે આનંદઅનેરો,મળેલ જન્મસફળ થઈજાય
.            …………………..નિર્મળતાને પકડી ચાલતા.

+++++++++++++++++++++++++++++++

August 22nd 2014

પ્રેમાળ જ્યોત

.                    .પ્રેમાળ જ્યોત

તાઃ૨૦/૭/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેરણા પામી કલમને પકડી,મને મળી પ્રેમની જ્યોત
શરણુ માસરસ્વતીનું લેતા,થઈ ઉજ્વળ જીવન ગાથા
.                  ………………….પ્રેરણા પામી કલમને પકડી.
નિર્મળ ભાવના સંગે રાખતા,ના આવતી વ્યાધી દોડી
પાવનપ્રેમની જ્યોત પ્રગટતાં,જીવને એ શાંન્તિ દેતી
શબ્દની કેડી શીતળ બનતાજ,ભાવના આવી જવાની
પ્રેમ પ્રેમની એક જ કેડી,જીવને પવિત્ર રાહ મળવાની
.                  …………………પ્રેરણા પામી કલમને પકડી.
સરળ જીવનમાં સાથ મળે,જ્યાં પાવનપ્રેમ મળી જાય
ઉજ્વળ જીવનની રાહ મળતા,આજન્મ સફળ થઇ જાય
પ્રેમાળ જ્યોતની શીતળ કેડી,માનવતા મહેંકાવી જાય
મળેલ દેહ માનવીનો આજગે,જીવનને અમૃત કરી જાય
.                 ………………….પ્રેરણા પામી કલમને પકડી.
==================================

 

 

August 20th 2014

અમીતને આનંદ

Amit

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.               .અમીતને આનંદ       

તાઃ૯/૭/૨૦૧૪                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અરવિંદકુમારને આનંદ અનેરો,ને કૈલાસબેન પણ હરખાય
મળે પ્રેમ સંતાનોનો અંતરથી,ના માગણી કોઇ ક્યાંય રખાય
…એવા પવિત્ર કુટુંબમાં આજે  પુત્ર અમીતની શ્વેતાને આવકારાય

લગ્ન જીવનની નિર્મળકેડીએ,કૌટુમ્બીક વૃક્ષ ઉજવળ દેખાય
દિકરી વ્હાલી જયશ્રીને જીવન સંગાથી,જય કુમાર મળી જાય
પ્રેમની પાવનકેડી સુનીલકુમારથી,દીકરી પિન્કુને મળી જાય
વ્હાલી દીકરી મિતલ પણ,પતિ હીતેનકુમારના પ્રેમે હરખાય
વિશાલકુમારની પ્રેમાળ જીવન રાહે,વૈશાલીને પ્રેમમળી જાય
….એવા પવિત્ર કુટુંબમાં આજે પુત્ર અમીતની શ્વેતાને આવકારાય

અમીતને ઉજ્વળકેડી માબાપના આશીર્વાદથી મળી જાય
અ.સૌ.શ્વેતાને જીવનસંગીની બનાવી,એટલાન્ટાય લવાય
મનથી મહેનત કરી જીવતા સંતાનથી માબાપ ખુબ હરખાય
કૈલાસબેનની નાની બેન રમાને,મળતા અનંત આનંદ થાય
પ્રદીપમાસા આવી રવિ,દીપલ,નિશીત,હિમાનો પ્રેમ આપીજાય
….એવા પવિત્ર કુટુંબમાં આજે પુત્ર અમીતની શ્વેતાને આવકારાય

====================================================

.                .પુજ્ય અરવિંદલાલ અને કૈલાસબેનના વ્હાલા પુત્ર અમીતને જીવનસંગાથી
તરીકે અ.સૌ.શ્વેતાનો સંગાથ મળતા સંત જલારામબાપા અને સંત સાંઇબાબા તનમન
ઘનથી શાંન્તિ આપી ઉજ્વળ જીવનનીરાહ આપે તે પવિત્ર ભાવનાએ આ લખાણ સપ્રેમ
હ્યુસ્ટનથી પ્રદીપમાસા,રમામાસી તરફથી ભેંટ   તાઃ૯/૭/૨૦૧૪

August 20th 2014

આફત આવી

.                       .આફત આવી

તાઃ૯/૭/૨૦૧૪                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતા માયા મોહ જીવનમાં,સુખ શાંન્તિ આઘી ચાલી જાય
ઉજ્વળ જીવનની રાહ છુટતાં જ, કળીયુગી કાતર ફરી જાય
.                   …………………..મળતા માયા મોહ જીવનમાં.
સરળજીવનની સાચીકેડી,જલાસાંઇની ભક્તિએ મળી જાય
ના આફત આવે કે ના તકલીફ,સાચી ભક્તિએ ભાગી જાય
પરમકૃપાળુ છે અતિ દયાળુ,મળેલ જન્મ સાર્થક કરી જાય
પામી પ્રેમ પરમાત્માનો  જીવનમાં,જીવ મુક્તિમાર્ગે  જાય
.                    …………………..મળતા માયા મોહ જીવનમાં.
કળીયુગમાં દેખાવ વળગે,નાહકની વ્યાધીઓ મળતી જાય
દેખાવની દુનીયા અતિ ભવદાયી,નિર્મળતાને આંબી જાય
પળપળની ના સાંકળ છે કોઇ,એ જીવનમાં ઝેર આપી જાય
માનવજન્મ નીર્થક બનતા,જીવ જન્મમરણથી બંધાઇજાય
.                  ……………………મળતા માયા મોહ જીવનમાં.

=====================================

August 20th 2014

પ્રેમાળ કેડી

.                     પ્રેમાળ કેડી

તાઃ૨૦/૭/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનની મેંહક પ્રસરે,જ્યાં માનવતાને સમજાય
મળે દેહ અવનીએ જીવને,એજ માબાપનો પ્રેમ કહેવાય
.                    ………………….માનવજીવનની મેંહક પ્રસરે.
મળે આશીર્વાદ જીવનમાં.જીવને પ્રેમાળ કેડી મળી જાય
શ્રધ્ધા રાખી શરણુ લેતા,સંતજલાસાંઇની કૃપા મળીજાય
ઉજ્વળ જીવનમાં આંગળી ચીંધે,એજ માનવતા કહેવાય
મળે જીવને શાંન્તિ અનેક,જ્યાં નિખાલસતાને  મેળવાય
.                    ……………………માનવજીવનની મેંહક પ્રસરે.
નિર્મળતાનો સંગ જીવનમાં,જીવને સુખ શાંન્તિ દઈ જાય
મોહમાયાને દુર રાખીને જીવતા,કળીયુગ પણ ભાગી જાય
અવનીપરનીવિદાય વેળાયે જીવ સ્વર્ગનીસીડી ચઢીજાય
પ્રેમાળ કેડી પામી લેતા,અંતે જીવને મુક્તિમાર્ગ મળી જાય
.                    ……………………માનવજીવનની મેંહક પ્રસરે.

==================================

August 20th 2014

પવિત્ર શ્રાવણ માસ

 .               . પવિત્ર  શ્રાવણ માસ

તાઃ૧૦/૮/૨૦૧૪                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર માસના પવિત્રદીને,પરમાત્માને પ્રેમથી ભજાય
શ્રાવણ માસની નિર્મળ સવારે,સુર્યદેવને અર્ચના થાય
………….એવી નિર્મળ સવારે ભક્તિ કરતા,માનો પ્રેમ મળી જાય.
સોમવારની શિતળ સવારમાં,શીંવલીંગનું પુંજન થાય
મંગળવારના પવિત્રદીવસે,માદુર્ગા,કાળકાને વંદનથાય
બુધવારની પ્રેમાળ જ્યોતે,ૐ બુમ બુધાય નમઃ સ્મરાય
ગુરૂવારની ઉજ્વળસવારે,જલાસાંઇની નિર્મળ ભક્તિથાય
શુક્રવારની શીતળ સવારે,માઅંબાની આરતી પ્રેમે થાય
શનિવાર શક્તિશાળી,બજરંગબલી સંગ શનિદેવ પુંજાય
રવિવારની પ્રેમાળ સવારે,માકાળકાને પુંજનઅર્ચન થાય
………….એવી નિર્મળ સવારે ભક્તિ કરતા,માનો પ્રેમ મળી જાય.
નિર્મળ ભાવથી કરેલ ભક્તિ,તનમનને શાંન્તિ આપી જાય
ભક્તિમાર્ગની શીતળકેડી,પ્રદીપરમાનુ જીવન ઉજ્વળથાય
મળે પ્રેમ મા કાળકાનો,ને સંગે માતા અંબાજી આવી જાય
માતા પાર્વતીના ચરણસ્પર્શે,પિતા ભોલેનાથ પણ હરખાય
આવીઆંગણે કૃપામળે પ્રભુની,જીવનમાં અનુભવે મેળવાય
મળે માની અસીમકૃપા જીવને,જ્યાં માલક્ષ્મીને વંદન થાય
સીતારામના સ્મરણ માત્રથી,મળેલ આ જીવન પવિત્ર થાય
………….એવી નિર્મળ સવારે ભક્તિ કરતા,માનો પ્રેમ મળી જાય.

=======================================

August 20th 2014

સ્નેહની જ્યોત

.                   .સ્નેહની જ્યોત

તાઃ૧૦/૮/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનને મહેંક મળે,જ્યાં માનવતાને સચવાય
પ્રેમની પાવનકેડીએ,જીવને સ્નેહની જ્યોત મળીજાય
.                                 ………….માનવજીવનને મહેંક મળે.
અવનીપરના આગમનને,કર્મના બંધનનીજ બંધાય
ઉજ્વળરાહ જીવનેમળે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
અંતરમાં આનંદ અનેરો,ને જીવને શાંન્તિ મળી જાય
નિર્મળતા સંગે જીવપર,પ્રભુની અસીમકૃપા થઈ જાય
.                                    ……………માનવજીવનને મહેંક મળે.
મળતા દેહ અવનીએ જીવને,અનંતરાહ મળતી જાય
મોહમાયાના વાદળથી બચવા,નિર્મળભક્તિ પ્રેમે થાય
સુખશાંન્તિની શીતળકેડી,પ્રભુકૃપાએ જીવનેમળી જાય
મનથી કરેલ સાચીભક્તિ,જીવને મુક્તિમાર્ગે દોરીજાય
.                                 …………….માનવજીવનને મહેંક મળે.

=================================

Next Page »