August 22nd 2014

જીવનની જળહળતા

.                  .જીવનની જળહળતા

તાઃ૮/૭/૨૦૧૪                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળતાને પકડી ચાલતા,પવિત્રરાહ મળી જાય
પાવનકર્મની એક જ કેડીએ,જીવન જળહળ થાય
.          …………………..નિર્મળતાને પકડી ચાલતા.
માનવદેહ એ સરળ કેડી,જીવ મુક્તિ માર્ગે દોરાય
મળે કર્મની શીતળ રાહ,જ્યાં જલાસાંઇને ભજાય
સુખદુઃખનો સંગાથ જીવને,સાચી ભક્તિએ છુટાય
મોહમાયાના બંધન છુટતા,જીવન ઉજ્વળ થાય
.           ………………….નિર્મળતાને પકડી ચાલતા.
મળતા આશીર્વાદ વડીલના,તકલીફો ભાગી જાય
મળે મનને શાંન્તિ આવી,ના આધીવ્યાધી દેખાય
પ્રેમની સાચી કેડી ભક્તિથી,જીવનમાં મળી જાય
અંતરે આનંદઅનેરો,મળેલ જન્મસફળ થઈજાય
.            …………………..નિર્મળતાને પકડી ચાલતા.

+++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment