August 20th 2014

અમીતને આનંદ

Amit

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.               .અમીતને આનંદ       

તાઃ૯/૭/૨૦૧૪                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અરવિંદકુમારને આનંદ અનેરો,ને કૈલાસબેન પણ હરખાય
મળે પ્રેમ સંતાનોનો અંતરથી,ના માગણી કોઇ ક્યાંય રખાય
…એવા પવિત્ર કુટુંબમાં આજે  પુત્ર અમીતની શ્વેતાને આવકારાય

લગ્ન જીવનની નિર્મળકેડીએ,કૌટુમ્બીક વૃક્ષ ઉજવળ દેખાય
દિકરી વ્હાલી જયશ્રીને જીવન સંગાથી,જય કુમાર મળી જાય
પ્રેમની પાવનકેડી સુનીલકુમારથી,દીકરી પિન્કુને મળી જાય
વ્હાલી દીકરી મિતલ પણ,પતિ હીતેનકુમારના પ્રેમે હરખાય
વિશાલકુમારની પ્રેમાળ જીવન રાહે,વૈશાલીને પ્રેમમળી જાય
….એવા પવિત્ર કુટુંબમાં આજે પુત્ર અમીતની શ્વેતાને આવકારાય

અમીતને ઉજ્વળકેડી માબાપના આશીર્વાદથી મળી જાય
અ.સૌ.શ્વેતાને જીવનસંગીની બનાવી,એટલાન્ટાય લવાય
મનથી મહેનત કરી જીવતા સંતાનથી માબાપ ખુબ હરખાય
કૈલાસબેનની નાની બેન રમાને,મળતા અનંત આનંદ થાય
પ્રદીપમાસા આવી રવિ,દીપલ,નિશીત,હિમાનો પ્રેમ આપીજાય
….એવા પવિત્ર કુટુંબમાં આજે પુત્ર અમીતની શ્વેતાને આવકારાય

====================================================

.                .પુજ્ય અરવિંદલાલ અને કૈલાસબેનના વ્હાલા પુત્ર અમીતને જીવનસંગાથી
તરીકે અ.સૌ.શ્વેતાનો સંગાથ મળતા સંત જલારામબાપા અને સંત સાંઇબાબા તનમન
ઘનથી શાંન્તિ આપી ઉજ્વળ જીવનનીરાહ આપે તે પવિત્ર ભાવનાએ આ લખાણ સપ્રેમ
હ્યુસ્ટનથી પ્રદીપમાસા,રમામાસી તરફથી ભેંટ   તાઃ૯/૭/૨૦૧૪

August 20th 2014

આફત આવી

.                       .આફત આવી

તાઃ૯/૭/૨૦૧૪                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતા માયા મોહ જીવનમાં,સુખ શાંન્તિ આઘી ચાલી જાય
ઉજ્વળ જીવનની રાહ છુટતાં જ, કળીયુગી કાતર ફરી જાય
.                   …………………..મળતા માયા મોહ જીવનમાં.
સરળજીવનની સાચીકેડી,જલાસાંઇની ભક્તિએ મળી જાય
ના આફત આવે કે ના તકલીફ,સાચી ભક્તિએ ભાગી જાય
પરમકૃપાળુ છે અતિ દયાળુ,મળેલ જન્મ સાર્થક કરી જાય
પામી પ્રેમ પરમાત્માનો  જીવનમાં,જીવ મુક્તિમાર્ગે  જાય
.                    …………………..મળતા માયા મોહ જીવનમાં.
કળીયુગમાં દેખાવ વળગે,નાહકની વ્યાધીઓ મળતી જાય
દેખાવની દુનીયા અતિ ભવદાયી,નિર્મળતાને આંબી જાય
પળપળની ના સાંકળ છે કોઇ,એ જીવનમાં ઝેર આપી જાય
માનવજન્મ નીર્થક બનતા,જીવ જન્મમરણથી બંધાઇજાય
.                  ……………………મળતા માયા મોહ જીવનમાં.

=====================================

August 20th 2014

પ્રેમાળ કેડી

.                     પ્રેમાળ કેડી

તાઃ૨૦/૭/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનની મેંહક પ્રસરે,જ્યાં માનવતાને સમજાય
મળે દેહ અવનીએ જીવને,એજ માબાપનો પ્રેમ કહેવાય
.                    ………………….માનવજીવનની મેંહક પ્રસરે.
મળે આશીર્વાદ જીવનમાં.જીવને પ્રેમાળ કેડી મળી જાય
શ્રધ્ધા રાખી શરણુ લેતા,સંતજલાસાંઇની કૃપા મળીજાય
ઉજ્વળ જીવનમાં આંગળી ચીંધે,એજ માનવતા કહેવાય
મળે જીવને શાંન્તિ અનેક,જ્યાં નિખાલસતાને  મેળવાય
.                    ……………………માનવજીવનની મેંહક પ્રસરે.
નિર્મળતાનો સંગ જીવનમાં,જીવને સુખ શાંન્તિ દઈ જાય
મોહમાયાને દુર રાખીને જીવતા,કળીયુગ પણ ભાગી જાય
અવનીપરનીવિદાય વેળાયે જીવ સ્વર્ગનીસીડી ચઢીજાય
પ્રેમાળ કેડી પામી લેતા,અંતે જીવને મુક્તિમાર્ગ મળી જાય
.                    ……………………માનવજીવનની મેંહક પ્રસરે.

==================================

August 20th 2014

પવિત્ર શ્રાવણ માસ

 .               . પવિત્ર  શ્રાવણ માસ

તાઃ૧૦/૮/૨૦૧૪                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર માસના પવિત્રદીને,પરમાત્માને પ્રેમથી ભજાય
શ્રાવણ માસની નિર્મળ સવારે,સુર્યદેવને અર્ચના થાય
………….એવી નિર્મળ સવારે ભક્તિ કરતા,માનો પ્રેમ મળી જાય.
સોમવારની શિતળ સવારમાં,શીંવલીંગનું પુંજન થાય
મંગળવારના પવિત્રદીવસે,માદુર્ગા,કાળકાને વંદનથાય
બુધવારની પ્રેમાળ જ્યોતે,ૐ બુમ બુધાય નમઃ સ્મરાય
ગુરૂવારની ઉજ્વળસવારે,જલાસાંઇની નિર્મળ ભક્તિથાય
શુક્રવારની શીતળ સવારે,માઅંબાની આરતી પ્રેમે થાય
શનિવાર શક્તિશાળી,બજરંગબલી સંગ શનિદેવ પુંજાય
રવિવારની પ્રેમાળ સવારે,માકાળકાને પુંજનઅર્ચન થાય
………….એવી નિર્મળ સવારે ભક્તિ કરતા,માનો પ્રેમ મળી જાય.
નિર્મળ ભાવથી કરેલ ભક્તિ,તનમનને શાંન્તિ આપી જાય
ભક્તિમાર્ગની શીતળકેડી,પ્રદીપરમાનુ જીવન ઉજ્વળથાય
મળે પ્રેમ મા કાળકાનો,ને સંગે માતા અંબાજી આવી જાય
માતા પાર્વતીના ચરણસ્પર્શે,પિતા ભોલેનાથ પણ હરખાય
આવીઆંગણે કૃપામળે પ્રભુની,જીવનમાં અનુભવે મેળવાય
મળે માની અસીમકૃપા જીવને,જ્યાં માલક્ષ્મીને વંદન થાય
સીતારામના સ્મરણ માત્રથી,મળેલ આ જીવન પવિત્ર થાય
………….એવી નિર્મળ સવારે ભક્તિ કરતા,માનો પ્રેમ મળી જાય.

=======================================

August 20th 2014

સ્નેહની જ્યોત

.                   .સ્નેહની જ્યોત

તાઃ૧૦/૮/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનને મહેંક મળે,જ્યાં માનવતાને સચવાય
પ્રેમની પાવનકેડીએ,જીવને સ્નેહની જ્યોત મળીજાય
.                                 ………….માનવજીવનને મહેંક મળે.
અવનીપરના આગમનને,કર્મના બંધનનીજ બંધાય
ઉજ્વળરાહ જીવનેમળે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
અંતરમાં આનંદ અનેરો,ને જીવને શાંન્તિ મળી જાય
નિર્મળતા સંગે જીવપર,પ્રભુની અસીમકૃપા થઈ જાય
.                                    ……………માનવજીવનને મહેંક મળે.
મળતા દેહ અવનીએ જીવને,અનંતરાહ મળતી જાય
મોહમાયાના વાદળથી બચવા,નિર્મળભક્તિ પ્રેમે થાય
સુખશાંન્તિની શીતળકેડી,પ્રભુકૃપાએ જીવનેમળી જાય
મનથી કરેલ સાચીભક્તિ,જીવને મુક્તિમાર્ગે દોરીજાય
.                                 …………….માનવજીવનને મહેંક મળે.

=================================

August 20th 2014

.आझादीकी शान

 

વંદન માતૃભુમીને Gandhiji

 

 

 

 

 

 

 

 

.                          . आझादीकी शान

ताः१४/८/२०१४                           प्रदीप ब्रह्मभट्ट

आझादीकी शान निराली,भारत देशमे मिल जाय
प्रेम भावना देशकी रखके,भारतवासी सौ हरखाय
.                          ……………आझादीकी शान निराली.
अजब श्रध्धाके पावनकर्मसे,शुरवीर सौ मिल जाय
अहिंसाकी एकही केडीसे,देशको आझादी मिल जाय
महात्मा गांधीकी पवित्रराहे,जवाहर नहेरू चालीजाय
वल्लभभाइकी अतुट श्रध्धासे,मानवता महेकीं जाय
.                       ………………आझादीकी शान निराली.
मिलजाये जब हाथ प्रेमसे,तब अंग्रेज सौ भाग जाय
आझादीके आगमनसे भारतकी,भुमी उज्वल होजाय
वर्षोवर्षकी उज्वळ राहसे,श्री मोदी वडाप्रधान हो जाय
अभिमानकी उज्वळ राहको लेके,गुजराती सौ हरखाय
.                        ………………आझादीकी शान निराली.

++++++========+++++++=======++++++

 

August 20th 2014

સાંઇ જ્યોત

Baba

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                        .સાંઇ જ્યોત

તાઃ૧૪/૮/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇબાબાના સતત સ્મરણથી,કૃપા બાબાની મળીજાય
નિર્મળભાવનાએ શ્રધ્ધા રાખતા,પવિત્ર રાહ મળી જાય
.                 …………….સાંઇબાબાના સતત સ્મરણથી.
ભક્તિપથની સાચી કેડીએ.ના કોઇ મોહમાયા અથડાય
મળે જીવને કૃપા સાંઇબાબાની,પ્રેમ જ્યોત પ્રગટી જાય
સ્નેહની પાવનકેડી મળતા,આમાનવજીવન મહેંકીં જાય
સાંઇસાંઇ અંતરથી સ્મરતા,બાબાનું આગમન થઈ જાય
.                   ……………સાંઇબાબાના સતત સ્મરણથી.
પરમાત્માની અસીમકૃપા.ભોલેનાથની કૃપાએ મેળવાય
મળે બાબાની કૃપાજીવને,જ્યાં ૐ શબ્દથી સ્મરણ થાય
માનવતાની મહેંક પ્રસરે,અવનીએઆગમન સફળ થાય
ભક્તિમાર્ગની સાચી રાહે,જન્મમરણના બંધન તુટી જાય
.                 ………………સાંઇબાબાના સતત સ્મરણથી.

=ૐૐૐ==ૐ શ્રી સાંઇનાથાય નમઃ++++ૐ નમઃ શિવાય==ૐૐૐ=

 

August 20th 2014

.ભારતની આઝાદી

.                  .ભારતની આઝાદી 

તાઃ૧૫/૮/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી ભારતને આઝાદી જગતમાં,જ્યાં શુરવીરો ભેગા થાય
ગાંધીજીએ આંગળીચીંધીં,વલ્લભભાઇને જવાહર મળી જાય
.                                  …………….મળી ભારતને આઝાદી.
માતૃભુમીથી સૌને પ્રેમ અનેરો,જે સ્વતંત્રતાયે દોરી જાય
શુરવીરતાની અનોખી કેડી,જ્યાં નિર્મળપ્રેમથી મળી જાય
આંગળીપકડી એકબીજાની પ્રેમે,ત્યાંજ અંગ્રેજો ભાગી જાય
શુરવીરતાની શાન જગતમાં,ગુજરાતીઓથીજ મળી જાય
.                                 ……………..મળી ભારતને આઝાદી.
મળે નિખાલસ પ્રેમ જીવનમાં,જ્યાં નિર્મળ જીવન જીવાય
પ્રેમની સાચી કેડી મળતા,જગતમાં માનવતા મહેંકી જાય
આઝાદીની અપુર્વશાનજગે,નિખાલસ ભારતીયોઆપી જાય
ઉજ્વળ જીવનની રાહ બતાવી,પવિત્ર જીવનએ જીવી જાય
.                                 ………………મળી ભારતને આઝાદી.

+++++++++++++++++++++++++++++++++++++

August 20th 2014

ગોર્વધન ગિરધાર

krishna

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.             .  ગોર્વધન ગિરધાર

તાઃ૧૭/૮/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગોકુળનો ગોવાળીયો,ને મથુરાનો  એ મહાવીર
રુક્ષ્મણીનાએ જીવનસાથી,બન્યાએ દ્વારકાધીશ
.                          ……………..ગોકુળનો ગોવાળીયો.
શ્રાવણ માસની વદ આઠમે,અવનીએ દેહ મળે
પરમાત્માના આગમનને,ભક્તો શ્રીકૃષ્ણથી જપે
ગોવિંદ બોલો કે ગોપાલ બોલો,પ્રભુકૃપા જ મળે
જન્મદીનના સાચા પ્રેમને,ભક્તો જન્માષ્ટમી કહે
.                          ……………..ગોકુળનો ગોવાળીયો.
અનંતલીલા અવનીએ કરી,ભક્તીની રાહ દીધી
સંસ્કારપ્રેમને સાચવી ચાલતા,સૌની પ્રીત લીધી
માજશોદાની પાવનરાહે,માનવતા મહેંકાવીદીધી
હરેકૃષ્ણ હરે કૃષ્ણના જાપથી,જીવે મુક્તિ રાહ દીઠી
.                           …………….ગોકુળનો ગોવાળીયો.

===============================

 

August 20th 2014

કળીયુગ

.                        .કળીયુગ

તાઃ૨૦/૮/૨૦૧૪                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખો મળી ત્યાં મોહ લાગ્યો,જીવને માયા વળગી ગઈ
પ્રેમની નાની એક જ  જ્યોતે,આ  જીંદગી  જકડાઇ ગઇ

શીતળતાનો સંગ મળે જ્યાં,નિર્મળતા આવી મળે તઇ
મોહમાયાની ચાદર છુટે ,પામર જીવન સચવાય અહીં

લાગણી મોહને આઘી મુકતા,કળીયુગ છટકી જશે ભઇ
નાલાગણી કે ના માગણી,જીવને જગતમાં મળશે અહી

ઉજ્વળતાની સાચીરાહ,જલાસાંઇની કૃપાએ આવે ભઈ
શુ લાવ્યા શુ લઈ જવાના,ના સાધુબાવાને ખબર અહીં

કળીયુગની આ કાતર સીધી,ભોળપણમાં છેતરે છે અહીં.
મળે મુક્તિ માર્ગ જીવને,જ્યાંઅવનીએ સાચી ભક્તિ થઈ

+++++++++++++++++++++++++++++++++++