ગોર્વધન ગિરધાર
. . ગોર્વધન ગિરધાર
તાઃ૧૭/૮/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગોકુળનો ગોવાળીયો,ને મથુરાનો એ મહાવીર
રુક્ષ્મણીનાએ જીવનસાથી,બન્યાએ દ્વારકાધીશ
. ……………..ગોકુળનો ગોવાળીયો.
શ્રાવણ માસની વદ આઠમે,અવનીએ દેહ મળે
પરમાત્માના આગમનને,ભક્તો શ્રીકૃષ્ણથી જપે
ગોવિંદ બોલો કે ગોપાલ બોલો,પ્રભુકૃપા જ મળે
જન્મદીનના સાચા પ્રેમને,ભક્તો જન્માષ્ટમી કહે
. ……………..ગોકુળનો ગોવાળીયો.
અનંતલીલા અવનીએ કરી,ભક્તીની રાહ દીધી
સંસ્કારપ્રેમને સાચવી ચાલતા,સૌની પ્રીત લીધી
માજશોદાની પાવનરાહે,માનવતા મહેંકાવીદીધી
હરેકૃષ્ણ હરે કૃષ્ણના જાપથી,જીવે મુક્તિ રાહ દીઠી
. …………….ગોકુળનો ગોવાળીયો.
===============================
Posted in: પ્રાસંગિક કાવ્યો