August 20th 2014

ગોર્વધન ગિરધાર

krishna

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.             .  ગોર્વધન ગિરધાર

તાઃ૧૭/૮/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગોકુળનો ગોવાળીયો,ને મથુરાનો  એ મહાવીર
રુક્ષ્મણીનાએ જીવનસાથી,બન્યાએ દ્વારકાધીશ
.                          ……………..ગોકુળનો ગોવાળીયો.
શ્રાવણ માસની વદ આઠમે,અવનીએ દેહ મળે
પરમાત્માના આગમનને,ભક્તો શ્રીકૃષ્ણથી જપે
ગોવિંદ બોલો કે ગોપાલ બોલો,પ્રભુકૃપા જ મળે
જન્મદીનના સાચા પ્રેમને,ભક્તો જન્માષ્ટમી કહે
.                          ……………..ગોકુળનો ગોવાળીયો.
અનંતલીલા અવનીએ કરી,ભક્તીની રાહ દીધી
સંસ્કારપ્રેમને સાચવી ચાલતા,સૌની પ્રીત લીધી
માજશોદાની પાવનરાહે,માનવતા મહેંકાવીદીધી
હરેકૃષ્ણ હરે કૃષ્ણના જાપથી,જીવે મુક્તિ રાહ દીઠી
.                           …………….ગોકુળનો ગોવાળીયો.

===============================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment