August 20th 2014

સ્નેહની જ્યોત

.                   .સ્નેહની જ્યોત

તાઃ૧૦/૮/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનને મહેંક મળે,જ્યાં માનવતાને સચવાય
પ્રેમની પાવનકેડીએ,જીવને સ્નેહની જ્યોત મળીજાય
.                                 ………….માનવજીવનને મહેંક મળે.
અવનીપરના આગમનને,કર્મના બંધનનીજ બંધાય
ઉજ્વળરાહ જીવનેમળે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
અંતરમાં આનંદ અનેરો,ને જીવને શાંન્તિ મળી જાય
નિર્મળતા સંગે જીવપર,પ્રભુની અસીમકૃપા થઈ જાય
.                                    ……………માનવજીવનને મહેંક મળે.
મળતા દેહ અવનીએ જીવને,અનંતરાહ મળતી જાય
મોહમાયાના વાદળથી બચવા,નિર્મળભક્તિ પ્રેમે થાય
સુખશાંન્તિની શીતળકેડી,પ્રભુકૃપાએ જીવનેમળી જાય
મનથી કરેલ સાચીભક્તિ,જીવને મુક્તિમાર્ગે દોરીજાય
.                                 …………….માનવજીવનને મહેંક મળે.

=================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment