.ભારતની આઝાદી
. .ભારતની આઝાદી
તાઃ૧૫/૮/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળી ભારતને આઝાદી જગતમાં,જ્યાં શુરવીરો ભેગા થાય
ગાંધીજીએ આંગળીચીંધીં,વલ્લભભાઇને જવાહર મળી જાય
. …………….મળી ભારતને આઝાદી.
માતૃભુમીથી સૌને પ્રેમ અનેરો,જે સ્વતંત્રતાયે દોરી જાય
શુરવીરતાની અનોખી કેડી,જ્યાં નિર્મળપ્રેમથી મળી જાય
આંગળીપકડી એકબીજાની પ્રેમે,ત્યાંજ અંગ્રેજો ભાગી જાય
શુરવીરતાની શાન જગતમાં,ગુજરાતીઓથીજ મળી જાય
. ……………..મળી ભારતને આઝાદી.
મળે નિખાલસ પ્રેમ જીવનમાં,જ્યાં નિર્મળ જીવન જીવાય
પ્રેમની સાચી કેડી મળતા,જગતમાં માનવતા મહેંકી જાય
આઝાદીની અપુર્વશાનજગે,નિખાલસ ભારતીયોઆપી જાય
ઉજ્વળ જીવનની રાહ બતાવી,પવિત્ર જીવનએ જીવી જાય
. ………………મળી ભારતને આઝાદી.
+++++++++++++++++++++++++++++++++++++