સાંઇ જ્યોત
. .સાંઇ જ્યોત
તાઃ૧૪/૮/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંઇબાબાના સતત સ્મરણથી,કૃપા બાબાની મળીજાય
નિર્મળભાવનાએ શ્રધ્ધા રાખતા,પવિત્ર રાહ મળી જાય
. …………….સાંઇબાબાના સતત સ્મરણથી.
ભક્તિપથની સાચી કેડીએ.ના કોઇ મોહમાયા અથડાય
મળે જીવને કૃપા સાંઇબાબાની,પ્રેમ જ્યોત પ્રગટી જાય
સ્નેહની પાવનકેડી મળતા,આમાનવજીવન મહેંકીં જાય
સાંઇસાંઇ અંતરથી સ્મરતા,બાબાનું આગમન થઈ જાય
. ……………સાંઇબાબાના સતત સ્મરણથી.
પરમાત્માની અસીમકૃપા.ભોલેનાથની કૃપાએ મેળવાય
મળે બાબાની કૃપાજીવને,જ્યાં ૐ શબ્દથી સ્મરણ થાય
માનવતાની મહેંક પ્રસરે,અવનીએઆગમન સફળ થાય
ભક્તિમાર્ગની સાચી રાહે,જન્મમરણના બંધન તુટી જાય
. ………………સાંઇબાબાના સતત સ્મરણથી.
=ૐૐૐ==ૐ શ્રી સાંઇનાથાય નમઃ++++ૐ નમઃ શિવાય==ૐૐૐ=