August 22nd 2008

બારાખડી કે એબીસીડી

                  બારાખડી કે એબીસીડી
તાઃ૨૨/૮/૨૦૦૮                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

બારાખડીનો કક્કો ને ભજનની એબીસીડી
             ક્યાંથી મેળ પડે જ્યાં પડી ગઇ ભઇસીડી

જીવનના પહેલા સોપાને સમઝણ પડીગઇ
           ગુજરાતનો હુ ગુજ્જુ ને ગુજરાતી માતૃભાષા
કખગઘ મળ્યુ ગળથુથીમાં નામારુ ભઇફાંફા
            પફબભમાં ખચકાતો ત્યાં પપ્પા તેડી લેતા
સશષહઃ પહોચી ગયો પછી સ્કુલ છુટી ગઇ

બીજા સોપાને ચઢી હાઇસ્કુલમા ચાલ્યો ભઇ
          મહેનત મનથી કરીલેતાં બીક પણજતી રહી
ભુતકાળમાં નાભરમાતો આગળ હંમેશા જોતો
          કૉલેજ કૉલેજ બોલતો ત્યાંતો કૉલેજપતીગઇ
મળ્યુ ભણતર જીવનમાં ત્યાં સાચી મતી થઇ

લાગી માયા સંસારની ત્યાં મહેનત કરુ ભઇ
         જીદગીના સોપાનો ચઢતા ભક્તિ ભુલાઇ ગઇ
સંસારનો સહવાસ થતાં કામની ઝંઝટ શરુથઇ
         સવારસાંજની ખબરપડે ના એવી જીદગીઅહીં
એબીસીડી અહી મળતા ભજનની ભુલાઇ ગઇ

——$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$——-

August 22nd 2008

સોનેરી કીરણ

                         સોનેરી કીરણ

તાઃ૨૨/૮/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુરજના સોનેરી  કીરણ,પ્રભાતને સોહાવે
     કલરવ કરતાં પંખીઓ પણ મધુર સ્વર રેલાવે
                                    ….સુરજના સોનેરી કીરણ

વાદળ કાળા વિદાય લેતા, જ્યાં પ્રભાતનો પોકાર થતો
નિર્મળ જગતના આસાગરમાં,માનવ મસ્તબનીને ન્હાતો
                                    …..સુરજના સોનેરી કીરણ

કોયલની કુઉ કુઉ સંભળાતી ને ચકલી ચીં ચીં કરતી
દાણો એક અનાજનો મળે ત્યાં જીવનનો લ્હાવો લેતી
                                     …..સુરજના સોનેરી કીરણ

સંતાન જગતના જાગી કુદરતની અજબકૃપાને જોતા
પ્રભાતનો જ્યાંસહવાસ મળે ત્યાં નિંદરને ત્યજી દેતાં
                                    …..સુરજના સોનેરી કીરણ

ખળખળ વહેતા પાણી નદીના. મધુર મિલનમા રહેતા
પનીહારીના બેડલામાં સમાઇ, જગતને તૃપ્ત કરતા
                                    …..સુરજના સોનેરી કીરણ

_________________________________________

August 22nd 2008

સાર્થક જન્મ

                                સાર્થક જન્મ
તાઃ૨૧/૮/૨૦૦૮                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ્

ના મને જીવનમાં ખોટ, જ્યાં મળી જલારામની જ્યોત
ઉજ્વળજીવન જીવી જવાશે,ભક્ત જલારામના સહવાશે
મળશે શાન્તિ મનને આજે,સાર્થક જન્મ આ મારો થાશે
મતી ગતી સૌ સાથે રહેશે,ને પ્રેમથી જીવન આ મહેંકશે
                             …….જ્યાં મનથી સાચી ભક્તિ થાશે

કર્મનુ બંધન સૌને વળગે, જ્યાં જીવને આ દેહ મળે
પશુ પક્ષીકે પછી મનુષ્ય, ના અળગુ તેનાથી બંધન
સર્જનહારની આછે સૃષ્ટિ,દોરે જીવને મેળવવા મુક્તિ
ભજનથાય કે ભક્તિ થાય,જીવને શાંન્તિ મળતીજાય
                              …….જ્યાં સેવા સાચા દીલથી થાય

મન થકી મળતી માનવતા, ને હૈયાથી મળતા હેત
ભક્તિથી મળતા ભગવાન જ્યાં જલાસાંઇથી પ્રીત
મિથ્યા માયા મોહ લાગે,જે જીવને વળગી છે ચાલે
મળતી મુક્તિ જ્યાં છુટે સૃષ્ટિ,ના રહે કાયાના મોહ
                              ……જ્યાં પ્રેમથી પ્રેમની ભક્તિ થાય

=======================================

August 21st 2008

જીવની શાન્તિ

                               જીવની શાન્તિ

તાઃ૨૦/૮/૨૦૦૮                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીલ મારુ દરીયા જેવું, ને પ્રેમ છે આકાશ જેવો
વિશાળતાના આ સંબંધમાં,નથી કાંઇ કહેવા જેવુ 
હસતો હમેશા,પ્રેમ મેળવતો ને પ્રેમથી પ્રેમ દેતો
આ માનવજીવનમાં હું હમેશા જીવને શાન્તિદેતો
                             ….. હું પ્રેમથી પ્રેમ વહેંચી લેતો
મમતા મને મળી હતી, ને હેતથી હરખાઇ લેતો
સંબંધના એક મીણ તાંતણે બંધનમાં હું બંધાતો
લાગણી સાથે રાખતો હંમેશા ને પ્રેમ હૈયે રહેતો
જ્યાં ઉભરો જોતો વધારે ત્યાંથી હું છટકી  જાતો
                            …… હું પ્રેમથી પ્રેમ વહેંચી લેતો
ના માયામાંમુઝાતો કે ના લાગણીમાં ડગી જાતો
માનવજીવનને મહેંક મળે ત્યાં ભક્તિમાં બંધાતો
સારુ નરસુ સમાન જોતો પરમાત્માની જ્યાં દ્રષ્ટિ
કર્મતણા બંધનથીનીકળવા હું જયજલારામ કહેતો
                          ….ને પ્રેમને હું પ્રેમથી વહેંચી લેતો
ગાગરસાગરના ભેદ ના જાણુ મનથી હુ પ્રેમ રાખુ
જ્યામ સ્વાર્થનો અણસાર મળે ત્યાં હુ ખસી જાતો
પરમકૃપાળુની કૃપાપામવા સંત જલાસાંઇ ભજતો
થયોજ્યાં ભક્તિનો અણસાર ત્યાંજીવે શાંન્તિ જોતો
                           …..ને જલાસાંઇ જલાસાંઇ ભજી લેતો
_____________________________________________

August 19th 2008

માયા મહાદેવની

                            prabhu.jpg                         

                           માયા મહાદેવની

તાઃ૧૮/૮/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

મને માયા મહાદેવની, ના કાયા કે આ દેહની
લાગી લગની મનથી,ને માયા છુટીઆજગની
ઓ ભોલેશંકર, ઓ ત્રિશુલધારી,ઓ ગૌરીશંકર
……..છો ભક્ત આધારી, છો મુક્તિદાતા, ઓ પરમેશ્વર

સાંજ સવારે,નીત દર્શન કાજે,મંદીરમાં હું જાતો
પ્રભુ ભક્તિમાં રહેવા કાજે, માળા હાથમાં કરતો
કૃપાપામવા ભજનકરતો ને શીવશીવ હું ભજતો
……..લો સ્વીકારો ભક્તિ અમારી, મુક્તિ દો આ જીવને

સાચીશક્તિ પ્રભુભક્તિમાં જ છે ના એમાં કોઇ શંકા
લગનીલાગી જ્યારથી મનને મળી શાંન્તિ ત્યારથી
આવી ઉભો બારણે મંદીરના પ્રેમે આવકારજો મને
…….કરજો સાર્થક જીવન આવજો અંતકાળે ઓ શિવજી

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

August 18th 2008

નાગેશ્વર મહાદેવ

                      bhole18.jpg                     

                       નાગેશ્વર મહાદેવ

તાઃ૧૮/૮/૨૦૦૮                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

છે સર્પોનો સહવાસ એવા કૃપાળુ નાગેશ્વર મહાદેવ
લીધો વિષ તણો સહવાસ જેના કંઠે છે મુક્તિના દ્વાર
થાય આ જીવનો ઉધ્ધાર એવો છે ભક્તિનો અણસાર
……………………….હર હર બોલાય ને પ્રભુ નાગેશ્વર પુજાય

શક્તિ જેની દ્રષ્ટિમાં ને જગે કૃપાળુ કહેવાય
ભક્તિ કરતાં મનથી પ્રભુની જીવને મુક્તિ દ્વર દેખાય
દુધ અભિષેક શ્રાવણ માસે પ્રેમે પ્રભુને થાય
મનની શાંન્તિ સદાઅ મળે ને અંતે ભક્તિ મળી જાય
………………………જ્યારે હર હર બોલાય ને નાગેશ્વર પુજાય

જગતપિતા પરમાત્મા ને પાર્વતી પતિ પુજાય
સોમવારની સવારમાં જ્યારે ૐ નમઃ શિવાય બોલાય
કર્મબંધન છુટી જશે ને ભક્તિની શાંન્તિ મળશે
નામોહ કે માયા જગતની વળગે જે જોતા મિથ્યાલાગે
……………………….મનથી હરહર બોલાય ને નાગેશ્વર પુજાય

ઓ કરુણાકારી ઓ જગત વિહારી શંકર ભગવાન
લો જીવની સાચી સેવા દો મુક્તિના દરવાજા ખોલી
મન માગે પ્રભુની કૃપા જેને જીવનિ સાથે લેણા
આવજો અંતે લેવા સ્વીકારી સાચી શ્રાધ્ધાથી સેવા
……………….પ્રદીપ,રમાથી હરહર બોલાય ને નાગેશ્વર પુજાય.

ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ

August 17th 2008

નામની રામાયણ

                          નામની રામાયણ

તાઃ૧૭/૮/૨૦૦૮                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ્

મારું નામ છે શાન્તિભાઇ,પણ મારે જીવનમાં શાન્તિ નહીં
ફાંફા મારુ અહીં તહીં, પણ ઘરમાં કંઇ આવક થતી નહીં
…………..આ વાત ના કહેવા જેવી થઇ જેની મુઝવણ રહેતી ભઇ

આ સામે આવ્યા ચતુરભાઇ જેમની વાત મેં સાંભળીઅહીં
નામ ચતુરભાઇ પણ કોઇ જગ્યાએ ચતુરાઇ વપરાયનહીં 
જ્યાં ત્યાં વીલામોઢે મોં ખુલ્લુ રાખે ના જવાબ આપે કંઇ
                                     ..આ વાત ના કહેવા જેવી ભઇ

આ મળ્યા મને સ્વરુપભાઇ, જેમને જોઇ બીતા અનેકઅહીં
નામ સ્વરુપ પણ દેખાવને નાસંબંધ ત્યારે આવુ બને ભઇ
અરજીવાંચી સાહેબ ખુશ,પણતેમને જોઇને બીક લાગીગઇ
                                   …આ વાત ના કહેવા જેવી ભઇ

મનોહરભાઇને જોઇને લાગે કે આ કામ મન લગાવી કરશે
મનમાં ના કોઇ મનોરથ કે ના ભણતરને કાંઇ લાગે વળગે
પૈસા આપી પાસથયા ત્યાં અહીં આવી નોકરી કેમની કરશે
                                  …આ વાત કેમ કરીને કહેવી અહીં 

મોં દબાવી નીચે જોઇ અહીં ઓફિસમાં ચાલતા દીઠા આજે
નામ હસમુખભાઇ પણ મોં દીવેલ પીને આવ્યા લાગે અહીં
ના લાગે વળગે જ્યાં નામને ત્યાં બહેનોને કામ કરતી દીઠી
                               …આ વાત તમારે જાણવા જેવી ભઇ

=======================================

August 17th 2008

ભોળાનો ભગવાન

                       ભોળાનો ભગવાન  

તાઃ૧૭/૮/૨૦૦૮  ….                       પ્રદીપ બ્રહ્મભટ્ટ્  

ભોળાભાવે કરેલ કામ જગમાં માનવતા કહેવાય
           અંતર છે ઉભરાય સ્નેહસાથે મનમાં શાંન્તિ થાય
લાગણી આપી પ્રેમ મેળવી જગતમાં જીવી જાણો
           શું લાવ્યાતા શું લઇજવાના મનમાં નિર્ણય રાખો 
                                       ……..ને કરજો ભક્તિ ભોળાભાવે

કૃપા પ્રભુની મળશે ત્યારે સેવા મનથી કરશો જ્યારે 
           અગમનિગમના ભેદભ્રમણથી મુક્તિ મલશે ત્યારે 
ઉભરો જ્યારે મનમાં આવે તો પ્રેમથી વહેંચી લેજો 
          અંતરમાં જો રહી ગયોતો મુક્તિથી તમે દુર રહેશો 
                                        ……ને કરજો ભક્તિ ભોળાભાવે

આજકાલના આ ચકકરમાં પ્રભુ સ્મરણ જો ચુકશો
         ના આરો કે ના કિનારો  આ જન્મ એળે જાશે તારો
લઘરવઘર આ લાઇફમા ગાશો જલાના ગુણગાન
          પ્રભુ ભક્તિમાં ના કોઇ ભેદ, છે ભોળાનો ભગવાન
                                    ……જ્યારે કરશો ભક્તિ ભોળાભાવે

++++++++++++++++++++++++++++++++++++++++++

August 17th 2008

શીખી ગઇ

                    diku-rasoi.jpg                     

                          શીખી ગઇ

તાઃ૧૬/૮/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાપાપગલી કરતી દીઠી દીકરી મનમલકાયુ ભઇ
અવની પરના આગમન પછી ચાલતી જોઇ અહીં
                                     ભઇ દીકરી ચાલતી થઇ ગઇ

બાળપણના પહેલા પગથીયે બાલમંદીર પણગઇ
શીશુવિહારમાં જતીજોતા ત્યારે મોં મચકાતી નહી
હસતી ભણવાજતી ને ઘેર પણપ્રયત્ન કરતી જોઇ
આનંદમનમાં થાતો કે ભણીગણી તૈયાર થશેઅહીં
                                     ભઇ દીકરી હવે ભણતી થઇ

મહેનત કરતી ને મમ્મીને મદદ પણ કરતી જોઇ
ત્યારે હૈયે ટાઠક થઇ સાથે મનને શાન્તિ થોડીથઇ
ભણતર સાથે સંસ્કાર સિંચન  સાથે જોઇએ અહીં
ભવિષ્યસાથે ભણતર રાખી કામપણ ઘરમાંકરતી
                                  ભઇ દીકરી હવે સમઝણી થઈ

બાલમંદીર બંધપછી હાઇસ્કુલપણ જલ્દીપતીગઈ
બારાખડી બાદથઇને હવે એબીસીડી પણ પુરીથઇ
કૉલેજનાસોપાન ચઢીને ભણતર પતાવી દીધુ ભઇ
આજે સંસારના સોપાને આવતાં રોટલી શીખી ગઇ
                                 ભઇ દીકરી ખાવા બનાવતી થઇ. 

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@     

August 16th 2008

મુક્તિનો મેળાપ

                 મુક્તિનો મેળાપ 

તાઃ૧૬-૮-૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક દીવડો પ્રકટે પ્રેમનો, જીવનને જ્યોત મળે
સ્નેહ હશે જો હૈયે ઉજ્વળ,જીવનમાં મળશે પ્રેમ
ઓ માનવ મન તારી ચિંતા અપરંપાર
………………..                 જેનો દુનિયામાં નહીં પાર
સંસાર મળ્યો છે  તો ભક્તિ કરી લેજે પળવાર
સફળ માનવ જન્મ ને ઉજ્વળ કામ થશે હજાર
માગતા કાંઇ નહીં મળે પણ કૃપા મળશે લગાર
                                  જેનો દુનિયામાં નહીં પાર
પ્રેમ વરસશે ને લાગણી સાથે સ્નેહ પણ અપાર
ભક્તિ કરજે મનથી ને દેજે હંમેશા પ્રેમના દાન
પરકાજે તુ દીપ બનીશ તો પરદીપ તુ દેખાશે
અંધારાના સહવાસમાં અહીં જગતપ્રકાશ શોધે
                                 જેનો દુનિયામાં નહીં પાર
પ્રભુભજન ને પ્રેમ ભક્તિએ પરમાત્મા પણ રાજી
અંતકાળે સ્મરણ થાય તો આજીવ મુક્તિએ દિપે
રાઘવ રામ ને કૃષ્ણ શ્યામ સ્મરણ માત્રથી રીઝે
મનથીમાગ્યુ પ્રભુ ભક્તિમાં સ્નેહે પ્રભુ ભરીનેદેશે
                                 જેનો દુનિયામાં નહીં પાર

———————————————–

« Previous PageNext Page »