March 30th 2018
. .કર્મનુ અજવાળુ
તાઃ૩૦/૩/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા મળે પરમાત્માની,જ્યાં નિર્મળ ભાવથી ભક્તિ થાય
પાવનરાહ જીવને મળે,જે મળેલ દેહના વર્તનથી અનુભવાય
......કર્મની પવિત્રકેડી મળતા જીવનમાં,સુખ શાંંન્તિની વર્ષા થાય.
અવનીપરનુ આગમન એજીવના કર્મની કેડી,દેહ મળે સમજાય
માનવદેહને અનેક બંધન છે સ્પર્શે,જે થયેલ કર્મથી અડી જાય
ના કોઇજ જીવથી છટકાય અવનીથી,જે સમયથી સ્પર્શી જાય
એજ જલાસાંઇ કૃપાએ અંતરમાં,જીવને અજવાળુ આપી જાય
......કર્મની પવિત્રકેડી મળતા જીવનમાં,સુખ શાંંન્તિની વર્ષા થાય.
નિર્મળરાહ પકડી જીવનજીવતા,દેહથી સદમાર્ગની રાહ મેળવાય
ના અપેક્ષાની કોઇ જરૂર પડે,કે નામોહમાયા પણ સ્પર્શી જાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા જીવનમાં,પરમાત્માની કૃપા થાય
મળેલ દેહના કર્મ એજ બંધન અવનીના,અનેક રૂપોથી દેખાય
......કર્મની પવિત્રકેડી મળતા જીવનમાં,સુખ શાંંન્તિની વર્ષા થાય.
=================================================
No comments yet.