August 3rd 2011

ઉજ્વળ જીવન

.                  ઉજ્વળ જીવન

તાઃ૩/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કાર એ ઉજ્વળ જીવનનો પાયો છે જે જીવને મુક્તિ માર્ગ બતાવે છે.
.                   .જ્યાં…………
*માબાપને હંમેશાં વંદન થાય.
*સવારમાં પરમકૃપાળુ પરમાત્માની ઘરમાં પુંજા થાય.
*સવારમાં સ્નાન કર્યા પછી જ રસોડામાં પગ મુકાય.
*ભક્તિ ભાવ એજ માનવ જીવનનો અરીસો છે તે સમજાય.
*આવતીકાલને સામે રાખી જીવન જીવતાં સરળતા મળે છે.
*બાળપણમાં ભણતરને,જુવાનીમાં મહેનતને અને ઘડપણમાં ભક્તિને મહત્વ અપાય.
*લગ્ન પછી પતિની રાહને પકડી ચાલતાં સંસારી સુખ મળે છે.
*દેખાવને દુર કરી સંતાન અને પતિથી મોહ રાખવો અને ભક્તિથી માયા રાખવી.
*કોઇપણ ભુલ એ મનુષ્ય સ્વભાવ છે,પણ ક્ષમાએ મુક્તિનો માર્ગ છે.
*દેહ મળતાં જીવે સવાર,બપોર અને સાંજનો ખ્યાલ રાખવો પડે જે જરૂરી છે.
*નિસ્વાર્થ ભાવથી કરેલ કર્મ એ સફળતાનો પાયો છે.
*મારા અને તારા એ શબ્દને સમજતાં વ્યાધીઓ દુર ચાલી જાય છે.
*ભગવા ને સ્પર્શ કર્યા વગર થતી ભક્તિ એજ ભક્તિમાર્ગ છે.
*જન્મ આપનાર માતાપિતાના આશિર્વાદ એજ પ્રભુની સાચી કૃપા છે.
*દેખાવની ભક્તિ એ નર્કની સીડી છે ટીલાં ટપકાંએ એની નિશાની છે.
……..ઉજ્વળ જીવનનો પાયો એ સાચા સંતનો આશરો જ છે,જે સ્વર્ગના દ્વાર ખોલે છે.

**********************************************************