August 6th 2011

ભાગી જા

.                    ભાગી જા

તાઃ૬/૮/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવન જીવતા હો,ત્યાં કદી ના આવે બાધ
ઇર્ષા,અપેક્ષા જગે  જ્યાંજોતા,ભાગજે ત્યાંથી આજ
.                       …………ઉજ્વળ જીવન જીવતા હો.
મનને શાંન્તિ ને તનને રાહત,જીવનમાં રહેશે સાથ
કુદરતની કલા નિરાળી,સાચી ભક્તિ એ જ સહેવાય
વિશાળ અવની જગની સૃષ્ટિ,સુખદુઃખથી સમજાય
આજકાલને દુર કરતાં જીવથી,ભાગશે મળતાં ત્રાસ
.                      ………….ઉજ્વળ જીવન જીવતા હો.
રામનામની છે સરળવાણી,જલાસાંઇની કૃપાએ માણી
આવીમળે જીવને ભક્તિપ્રેમ,ના રહે જીવનમાંકોઇ વ્હેમ
શાંન્તિનો સાથરહે જીવનમાં,ઉજ્વળ દેહમળે અવનીએ
સમયને સમજી ચાલતાદેહે,મોહમાયાથી ભાગતો રહેજે
.                     …………..ઉજ્વળ જીવન જીવતા હો.

))))))))))))))))))))))(((((((((((((((((((((((((((

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment