અગણિત
. અગણિત
તાઃ૬/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અગણિત છે ઉપકાર પ્રભુના,જે સમજદારનેજ સમજાય
માનવી જીવન કૃપા પ્રભુની,લાયકાતે મુક્તિ મળી જાય
. …………. અગણિત છે ઉપકાર પ્રભુના.
નાગણના કરીશકે કોઇ જગે,જ્યાં કૃપા પળેપળે મેળવાય
મનની સમજણ છે માનવીની,જે પ્રભુકૃપાએજ સમજાય
સત્કર્મોનીસીડી પકડીરાખતાં,અનોખીસમજણ આવીજાય
લાયકાતના ખુલતાં દ્વારથીજ,અગણિત કૃપા પ્રભુની થાય
. ………….. અગણિત છે ઉપકાર પ્રભુના.
જન્મ દીધેલ જીવ પર જગતમાં,માબાપનો જ છે ઉપકાર
નાસંતાનથી એચુકવીશકાય,જે અગણિતછે તેમકહેવાય
મળે પ્રેમ માબાપનો બાળકને,ચાદર ભીની કોરી બદલાય
સદમાર્ગની કેડી પકડતાં,એ જીવનો જન્મસફળ થઈ જાય
. …………..અગણિત છે ઉપકાર પ્રભુના.
+++++++++++++++++++++++++++++++++++