August 29th 2011

બંધન કર્મના

.                     બંધન કર્મના

તાઃ૨૯/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોણ મા ને કોણ છે પિતા,એ સાચીસમજે સમજાય
કર્મના બંધન તો છે નિરાળા,જે જીવને લાવી જાય
.                           ……….. કોણ મા ને કોણ છે પિતા.
જગના બંધન જકડી રાખે,જ્યાં મોહ માયા ભટકાય
માતાનો પ્રેમ મળે લાયકાતે,જે દેહ માતાથી દેવાય
ઉજ્વળ કુળની આશા મા રાખે,જ્યાં કુટુંબ તરી જાય
સંસ્કારની કેડી પકડી લેતાં,કર્મના બંધન છુટતાજાય
.                           …………કોણ મા ને કોણ છે પિતા.
પિતા પાવન રાહ દે,જે જીવને મહેનતે મળતી જાય
સાચીકેડી માસરસ્વતીની,જે ઉજ્વળ ભણતરે લેવાય
આવી મળે માન અને સન્માન,જ્યાંપિતાજી હરખાય
કર્મના સાદાસંબંધ નિરાળા,સાચીમાનવતામેળવાય
.                         …………..કોણ મા ને કોણ છે પિતા.

+++++++++++++++++++++++++++++++++=

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment