April 24th 2010

મુલાકાત

                               મુલાકાત

તાઃ૨૪/૪/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહને બંધન લાગે અનેક,ના આવે જીવની સાથે છેક
મુલાકાત સાચા સંતની, જન્મ સફળ કરવા જરૂર એક
                          ………..દેહને બંધન લાગે અનેક.
વ્યાધી આવે ને જાય અનેક,છે જીવ દેહના એ બંધન
શાંન્તિ અશાંન્તિ આવે છેક,ના માગણી કદીય મનથી
મળશે જીવને માયાજગે,કળીયુગનીએ લીલા કહેવાય
મુલાકાતી અમૃત જ્યાં મળે,ત્યાંજન્મ સફળ થઇ જાય
                       …………દેહને બંધન લાગે અનેક.
સંસારના બંધન સાંકળ જેવા,ના ચાવી વગર ખોલાય
મળી જાય ચાવી ભક્તિની,જે જીવનને ધન્ય કરી જાય
સાચા સંતની પારખ ભક્તિ,જીવને શાંન્તિ એ દઇ જાય
માગણીથી જે ના મળે જીવને,તે એક મુલાકાતે લેવાય
                       ………….દેહને બંધન લાગે અનેક.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

April 24th 2010

વિશ્વાસ

                                  વિશ્વાસ

તાઃ૨૪/૪/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા એ તો ભાવના છે,ને વિશ્વાસ મનથીજ થાય
લીલા આ અવિનાશીની,શ્રધ્ધાએ જીવનમહેંકી જાય
                             …………શ્રધ્ધા એ તો ભાવના છે.
ડગલુ ચાલતાં પ્રભાતમાં,પ્રભુ પ્રાર્થના જગમાં થાય
મળી જાય કૃપા ભગવાનની.જે શ્રધ્ધાથીજ મેળવાય
                              …………શ્રધ્ધા એ તો ભાવના છે.
મળ્યો દેહ માનવીનો જગે,ત્યાં માનીકૃપા મળી જાય
પિતાને પરમેશ્વર માનતા,સંતાનની શોભા વધીજાય
                            ………….શ્રધ્ધા એ તો ભાવના છે.
જીવનના સોપાનો અનેક,અડચણ ઘણાએ આવીજાય
શ્રધ્ધા જલાસાંઇમાં રાખતાં,સોપાન સરળ મળી જાય
                              …………શ્રધ્ધા એ તો ભાવના છે.
મહેનતનો સંગ રાખતાં દેહે,જીવન માનવીથી જીવાય
વિશ્વાસ રહે જ્યાં મનથી,ત્યાં જ સફળતા દેખાઇ જાય
                             ………….શ્રધ્ધા એ તો ભાવના છે.
જગતજીવ જન્મદાતાનો છે,મહેનતથી જીવન જીવાય
સત્યમાર્ગની જીવનેકેડીમળે,જ્યાં વિશ્વાસેવહાણ તરાય
                               ………..શ્રધ્ધા એ તો ભાવના છે.

==============================