April 19th 2010

શીવાલયને બારણે

                         શીવાલયને બારણે

તાઃ૧૯/૪/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથનુ ભજન કરતાં, જીવન ઉજ્વળ થાય
શીવાલયનું બારણું ખોલતા,જન્મસફળ થઇજાય
                             ………..ભોલેનાથનુ ભજન કરતાં.
પરમ કૃપાળુ છે અવિનાશી,આત્મા તણો સથવાર
જીવતરની કેડી બને નિરાળી,ને કૃપા પ્રભુની થાય
મળે શાંન્તિ મનને ત્યારે,જ્યારે શીવજી છે હરખાય
પ્રેમ પામતાંજ પરમાત્માનો,જન્મ સાર્થક થઇ જાય
                             ………..ભોલેનાથનુ ભજન કરતાં.
પ્રભાત પહોરના કિરણોએ,જ્યાં પુંજન અર્ચન થાય
ૐ નમઃ શિવાયના સ્મરણથી,આખું ઘર ગુંજી જાય
મળે કૃપા માપાર્વતી ની,જે માની મમતા દઇ જાય
દોડીઆવે આંગણે જીવની શાંન્તિ,મુક્તિ દેવાનેકાજ
                             ………..ભોલેનાથનુ ભજન કરતાં.

================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment