April 18th 2010

બંધ મોં

                               બંધ મોં

તાઃ૧૭/૪/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

લીલા ન્યારી મેં તો માણી,જ્યાં સંભાળી મારી વાણી
ડગલે પગલે મનને શાંન્તિ,બંધ મોં રાખતાં મે જાણી
                         ………લીલા ન્યારી મેં તો માણી.
સમય સમજનુ એક જ કામ,મળી જાય છે સૌની હામ
ના કદી માગણીય કરવી પડે,કે ના અપેક્ષાઓ રખાય
સજળ સ્નેહે આંખો ઉભરે,ના કદી જીભથી કંઇ બોલાય
આંગણે આવી જ્યાં મળી રહે,ત્યાં માનવતા મેળવાય
                        ……….લીલા ન્યારી મેં તો માણી.
સહવાસ શીતળને મળેપ્રેમ,એ ના માગણીએ મળે એમ
જીભની લીલા જગમાં ન્યારી,વાણી વર્તનથી જ દેખાય
પારકી વાણી મળે સુખદાયી,જ્યાં મૌંન જીભથી લેવાય
સહકારની વર્ષા થઇ જાય,જે દેહને માનવતા દઇ જાય
                          ……… લીલા ન્યારી મેં તો માણી.

=================================

April 15th 2010

મન,તનનો મેળાપ

                 મન,તનનો મેળાપ

તાઃ૧૫/૪/૨૦૧૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનન કરુ હું મનથી,ને રટણ કરુ હું તનથી
ભક્તિ કરુ તનમનથી,ને મુક્તિ ઝંખુ દેહથી
                         ……….મનન કરુ હું મનથી.
અતુટકૃપા અવિનાશીની,દીધો આ માનવદેહ
માર્ગ મુક્તિનો જોયો જ્યાં,મળ્યો સંતનો સ્નેહ
ભક્તિની એકલકીર મને,માબાપથી મળી ગઇ
શ્રધ્ધા રાખી સેવા પર,ત્યાં પ્રભુ કૃપામળીગઇ
                          ……….મનન કરુ હું મનથી.
પિતાપુત્રનો નાતો જગમાં,પરમાત્માથી થાય
પ્રભુનો પિતા પ્રેમમળે ત્યાં,સંતાન છે હરખાય
જીવથી નાની ભુલ થતાં,એપ્રભુથી સમજાવાય
મનથી જ્યારે મનાય,ત્યાં તનથી એછે વર્તાય
                             ………મનન કરુ હું મનથી.
જગત પ્રભુની લીલા છે,જે તનમનથી સમજાય
જન્મ મળે અવનીએ જ્યાં,ત્યાં વર્તનથી દેખાય
જન્મમરણએ અતુટતાંતણો,છે મનતનનો મેળાપ
કૃપાળુની કૃપા અનેરી,જીવથી ભક્તિએજ લેવાય
                            ………..મનન કરુ હું મનથી.

=============================

April 15th 2010

મળેલ અણસાર

                        મળેલ અણસાર

તાઃ૧૫/૪/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતનો ભઇ ક્રમ નિરાળો,ના મળે જીવને અણસાર
ક્યારે ક્યાંથી કેવી મળે,ના માનવ મનથી સમજાય
                           ………કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
બાળપણમાં ચાલતા જોઇ નરનાર,
                      જીવને મળ્યો ચાલવાનો અણસારઃ
આંગળી પકડી જ્યાં માતાની મેં,
                      ત્યાં ડગલાંને મળી ગયો સથવાર.
                           ………કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
ભક્તિ જોઇ મારા માતાપિતાની,
                    જીવનમાં મળ્યો ભક્તિનો અણસાર;
સાંજ સવારે પુંજન કરતાં પ્રભુનું,
                    જીવને શાંન્તિ મળી ગઇ  ઘરમાં જ.
                            ……….કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
સુખ સંમૃધ્ધી મેળવેલી જોતાં,
                   મને મળી ગયો મહેનતનો અણસાર;
શ્રધ્ધા રાખી ભણતર મેળવતાં,
                       ઉજ્વળ મળી ગયો જીવને સંસાર.
                           ………..કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
અતિ વળગેલી માયાને જોતાં,
                        મળ્યો માયા છોડવાનો અણસાર;
મળે જ્યાં દેહને અતિનો સહવાસ,
                      ના માગ્યુ દુઃખ મળે જીવને અપાર.
                           ………..કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
હ્યુસ્ટનના લેખક મિત્રોથી મને,
                     મળી ગયો કંઇક લખવાનો અણસાર;
મન,વિચારને અનુભવોને મેં,
                   કલમથી મુક્યા મળ્યો GSSનો સહકાર.
                              ……….કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
આદીલભાઇએ આંગળી ચીંધી,
                       ને વિજયભાઇથી પેનનો અણસાર;
ઉર્મીબેનના આગમન મળતાં મને,
                       પુસ્તકાલયમાં પણ પહોંચી જવાય.
                           …………કુદરતનો ભઇ ક્રમ નિરાળો.

************************************

April 14th 2010

ભક્તિ મળી

                           ભક્તિ મળી

તાઃ૧૪/૪/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ મનની સહજતા,એ પ્રભુ કૃપાએ થાય
તક મળે આદેહને,જે જીવને મુક્તિએ લઇજાય
                            ………..માનવ મનની સહજતા.
સવાર સાંજની સરગમ ન્યારી,ના ભેદભાવ દેખાય
સમયને પારખી જીવનજીવતાં,અર્થ બધા સમજાય
સુર્યદેવના પવિત્ર કિરણે,ઘરનુ આંગણું પવિત્ર થાય
સુર્યાસ્તના કોમળ પ્રકાશે,ઝગમગ રાત્રી આવી જાય
                              …………માનવ મનની સહજતા.
કામણગારી આ કુદરતમાં,મળે જીવને અનેક રસ્તા
ક્યારે ક્યાં લઇજાય કેવીરીતે,અનુભવથીએ મળતા
શાંન્તિ મનની મળે ન્યારી,જ્યાં સંસ્કારને સચવાય
પ્રેમપામી જગતમાં જીવોનો,ધન્ય જીવન થઇ જાય
                           ………….માનવ મનની સહજતા.
ડગલાંની જ્યાં પારખમળે,ત્યાં પળપળને સચવાય
જુવાની,બાળપણને વટાવતાં,મળે કર્મોનો સહવાસ
પરમાત્માની પામવા કૃપા,મનથી જ્યાં પુંજનથાય
ભક્તિ મળીજાય જીવને,જ્યાં સાચાસંતને સમજાય
                            …………માનવ મનની સહજતા.

++++++++++++++++++++++++++++++++

April 14th 2010

લાકડી દીઠી

                           લાકડી દીઠી

તાઃ૧૪/૪/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાકડી દીઠી જ્યાં ગુરુજીની,ત્યાં પાટી પેન પકડાય
મનથીપકડતાં સીડીભણતરની,જીવન ઉજ્વળથાય

લાકડી દીઠી હાથે પિતાને,ત્યાંજ લાઇન મળી જાય
આડી અવળી બુધ્ધિઅટકે,ત્યાં માનવતાય મહેંકાય

લાકડી દીઠી જ્યાં હાથે માને,ત્યાં મન ભડકી જાય
સંસ્કારના સિંચન સાચવતાં,ઉજ્વળતા મળી જાય

લાકડીદીઠી વડીલના હાથે,ત્યાં મુંઝવણ મને થાય
માર્ગ સાચો જાણી જ લેતાં,સમાજ આખો હરખાય

લાકડી દીઠી સંતાન હાથે,ત્યાં ના કશું જ સમજાય
ક્યાંથીઆવી આબુધ્ધિ,જેકદી માબાપથીના દેવાય

લાકડીદીઠી હાથમાંમારે,જ્યાં પગમારા લથડીજાય
આવે બુઢાપો દોડી સાથે,જે ઉંમર થતાં જ દેખાય

લાકડી દીઠી જલાસાંઇની,ત્યારથી ભક્તિ મળીગઇ
જીવને શાંન્તિ ત્યારથી મળી,જ્યાં કૃપાસંતની થઇ

==============================

April 13th 2010

પ્રાર્થના પરમાત્માને

                    પ્રાર્થના પરમાત્માને

તાઃ૧૩/૪/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રાર્થના પરમાત્માને કરતો,દેજો મુક્તિ આ જીવને
ભક્તિના દઇને સોપાન,જીવનો ઉધ્ધાર પ્રેમે કરજો
                      ……….પ્રાર્થના પરમાત્માને કરતો.
સેવા પ્રભુની ઘરમાં કરતો,ને સાંભળતો ગુણગાન
પળપળ રટવા પ્રયત્નકરતો,લઇભક્તિનો સથવાર
મળતી શાંન્તિ મનનેમારા,ને કૃપા પ્રભુની વર્તાય
                      ……….પ્રાર્થના પરમાત્માને કરતો.
મોહમાયાના બંધન છુટતાં,મનને શાંન્તિ મળીજાય
કર્મબંધનનો તાંતણો તુટતાં,સંત જલાસાંઇ હરખાય
મળે ભક્તિનો અણસારમને,જે વર્તનથી અનુભવાય
                    …………પ્રાર્થના પરમાત્માને કરતો.
પળપળ જીવનની નિરખી,ને સારથી બનજો હરવાર
દેજો પ્રેમ તમારો પ્રભુજી, જે જીવને શાંન્તિ દઇ જાય
અંત દેહનો આવે ત્યારે,પ્રભુ પકડજો આ જીવનોહાથ
                       ………પ્રાર્થના પરમાત્માને કરતો.

================================

April 12th 2010

આંગળીની પકડ

                    આંગળીની પકડ

તાઃ૧૨/૪/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમાં મોટા મોટા તરંગો,ને અમલમાં જીરો થાય
આકુળ વ્યાકુળ આ જીવનમાં,વેડફાઇ બધુ જ જાય
                            ………..મનમાં મોટા મોટા તરંગો.
બાળક બુધ્ધીએ ઘોડીયામાં ઝુલતો,ના ચાલુ પળવાર
કદમ કદમને ના ઓળખુ હું તો,કેમ ચાલુ ડગલાં ચાર
માતાના  વ્હાલમાં મલકાતો,ના સમજુ કોઇ અણસાર
પિતાએઆંગળી ચીંધી પગલાંએ,ત્યાં ચાલ્યો ક્ષણવાર
                               ………મનમાં મોટા મોટા તરંગો.
મહેનત જીવનમાં લખીહશે,પણ ના બુધ્ધિથી લેવાય
મર્કટ મનને ના સમજ આવતાં,ગમે ત્યાં ભટકી જાય
પાટીપેન તો હાથમાં,પણ નાસમજ કેવીરીતે વપરાય
ગુરુજીએજ્યાં આંગળીચીંધી,ત્યાં ભણતર મનથીલેવાય
                                ………મનમાં મોટા મોટા તરંગો.
માનવી આંખે મનેલાગે,મારુ જીવન ઉજ્વળ છે દેખાય
ભણી ગણીને સમજી લેતા,સફળ જન્મ મળ્યો કહેવાય
મોહમાયા નેમનની શાંન્તિ,મળીગયા જીવને સમજાય
જલાસાંઇએ આંગળી ચીધી,ત્યાં જન્મ સફળ થઇ જાય
                            …………મનમાં મોટા મોટા તરંગો.

===================================

April 11th 2010

સારુ આરોગ્ય

                      સારુ આરોગ્ય

તાઃ૧૧/૪/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉધરસ આવે દોડી,ત્યારે લવીંગ મોંમાં મુકતો
શરદી લાગે જ્યારે દેહે,ત્યાં આદુ હું લઇ લેતો

રોજ સવારે દાતણ પહેલાં,  પાણી હું પી લેતો
રાત્રે જ્યારે સુવા જાતો,ત્યાં પ્રભુસ્મરી હુ લેતો

વાગે જ્યારે કાંઇ પણ દેહે,લોહી નીકળતુ જોતો
તુરત રસોડામાં જઇ,ત્યાં હળદર હું દબાવી દેતો

સવારની  શીતળતામાં,ચા નાસ્તો પછીહું કરતો
પહેલા મધનેતજનોપાવડર,ગરમપાણીમાં લેતો

ભોજનકરી ના આળસ કરતો,ચાલતો ડગલાં સો
પાચનમાં એ મદદ,ને જીવસો સારું જીવન આજ

રાત્રેવ્હેલા સુઇજજો,ને ઉઠજો પ્રભાત કિરણ પહેલાં
ભક્તિઅર્ચન મનથી લેતા,ભાગશે તકલીફો તનની

============================

April 10th 2010

શ્રધ્ધાની ટેવ

                      શ્રધ્ધાની ટેવ

તાઃ૧૦/૪/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક સહારો જીવને જગમાં,પ્રભુ કૃપાએ દેખાય
નાની નાની ટેવથી દેહને,તકલીફો મળી જાય
                        ………એક સહારો જીવને જગમાં.
સંબંધ સરળ જીવનો દેહને,પ્રેમ પામતા લેવાય
જીવને ઉજ્વળ જન્મલેવા,નિત્ય મળે છે સોપાન
અજબનિરાળી દ્રષ્ટિ પ્રભુની,મનુષ્ય થકી લેવાય
મળે શાંન્તિ જીવને દેહે,જે સાચાસંતથી સહવાય
                    …………એક સહારો જીવને જગમાં.
જન્મ મરણ એ દેહનાબંધન,અવનીએ જ લેવાય
દેહનેમોહ મળે જ્યાં,ત્યાં વ્યાધીઓને છે મેળવાય
ભક્તિ શ્રધ્ધા પ્રીત પ્રભુથી,સદગતી એ લઇ જાય
માનવમનને પકડી રાખતાં,જન્મ સફળ થઇ જાય
                       ………..એક સહારો જીવને જગમાં.

—————————————————–

April 10th 2010

વાદળ કેવા

                         વાદળ કેવા   

તાઃ૧૦/૪/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સત્ય પ્રેમને સ્નેહના, જ્યાં વાદળ ઘેરાઇ જાય
માનવજન્મ સફળ થાય,ને ભાવિ ઉજ્વળ થાય
                        ………..સત્ય પ્રેમને સ્નેહના.
પરમાત્માની દ્રષ્ટિ નિરાળી,જે જીવને મળી જાય
વર્તન જીવની દોરીબને,ને વાણીએ ઉજ્વળથાય
લાગણી પ્રેમને સાચવીરાખતાં,ના વ્યાધી દેખાય
                        …………સત્ય પ્રેમને સ્નેહના.
પ્રેમના વાદળ પામવાજીવ,સંસ્કારની કેડીએ જાય
મળે માબાપ ને ભાઇબહેનનો,જે હૈયેથી મળી જાય
સાચી ભાવના નાદેખાવની,પાવનજન્મ કરી જાય
                         ………..સત્ય પ્રેમને સ્નેહના.
મેઘના વાદળ અંધકાર દે,જે વરસાદથી જ દેખાય
ગર્જના કરવા એ ભટકાય,જે માનવી ભટકાઇ જાય
અતિ વરસતા મેઘથી જગે,જળ બંબાકાર થઇ જાય
                         ………..સત્ય પ્રેમને સ્નેહના.
દુઃખના વાદળ ઘેરાલાગે,માનવી ભાગે તેનાથી દુર
એક પળ પ્રેમની મળી જાય,નેજીવન થાય ચકચુર
વાદળ પ્રેમના શોધે માનવી,જે ભક્તિએ મેળવાય
                       ………….સત્ય પ્રેમને સ્નેહના.

===============================

« Previous PageNext Page »