April 10th 2010

વાદળ કેવા

                         વાદળ કેવા   

તાઃ૧૦/૪/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સત્ય પ્રેમને સ્નેહના, જ્યાં વાદળ ઘેરાઇ જાય
માનવજન્મ સફળ થાય,ને ભાવિ ઉજ્વળ થાય
                        ………..સત્ય પ્રેમને સ્નેહના.
પરમાત્માની દ્રષ્ટિ નિરાળી,જે જીવને મળી જાય
વર્તન જીવની દોરીબને,ને વાણીએ ઉજ્વળથાય
લાગણી પ્રેમને સાચવીરાખતાં,ના વ્યાધી દેખાય
                        …………સત્ય પ્રેમને સ્નેહના.
પ્રેમના વાદળ પામવાજીવ,સંસ્કારની કેડીએ જાય
મળે માબાપ ને ભાઇબહેનનો,જે હૈયેથી મળી જાય
સાચી ભાવના નાદેખાવની,પાવનજન્મ કરી જાય
                         ………..સત્ય પ્રેમને સ્નેહના.
મેઘના વાદળ અંધકાર દે,જે વરસાદથી જ દેખાય
ગર્જના કરવા એ ભટકાય,જે માનવી ભટકાઇ જાય
અતિ વરસતા મેઘથી જગે,જળ બંબાકાર થઇ જાય
                         ………..સત્ય પ્રેમને સ્નેહના.
દુઃખના વાદળ ઘેરાલાગે,માનવી ભાગે તેનાથી દુર
એક પળ પ્રેમની મળી જાય,નેજીવન થાય ચકચુર
વાદળ પ્રેમના શોધે માનવી,જે ભક્તિએ મેળવાય
                       ………….સત્ય પ્રેમને સ્નેહના.

===============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment