April 10th 2010

શ્રધ્ધાની ટેવ

                      શ્રધ્ધાની ટેવ

તાઃ૧૦/૪/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક સહારો જીવને જગમાં,પ્રભુ કૃપાએ દેખાય
નાની નાની ટેવથી દેહને,તકલીફો મળી જાય
                        ………એક સહારો જીવને જગમાં.
સંબંધ સરળ જીવનો દેહને,પ્રેમ પામતા લેવાય
જીવને ઉજ્વળ જન્મલેવા,નિત્ય મળે છે સોપાન
અજબનિરાળી દ્રષ્ટિ પ્રભુની,મનુષ્ય થકી લેવાય
મળે શાંન્તિ જીવને દેહે,જે સાચાસંતથી સહવાય
                    …………એક સહારો જીવને જગમાં.
જન્મ મરણ એ દેહનાબંધન,અવનીએ જ લેવાય
દેહનેમોહ મળે જ્યાં,ત્યાં વ્યાધીઓને છે મેળવાય
ભક્તિ શ્રધ્ધા પ્રીત પ્રભુથી,સદગતી એ લઇ જાય
માનવમનને પકડી રાખતાં,જન્મ સફળ થઇ જાય
                       ………..એક સહારો જીવને જગમાં.

—————————————————–

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment