April 10th 2010

સ્નેહની પાંખે

                       સ્નેહની પાંખે

તાઃ૧૦/૪/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનપવિત્ર પ્રેમની સાંકળ,માનવતાએ મેળવાય
શીતળતાનો જ્યાં સ્નેહ મળે,ત્યાં હૈયા ઉભરાઇ જાય
                    ………..પાવનપવિત્ર પ્રેમની સાંકળ.
પ્રેમ પિતાનો આંગળીપક્ડે,ને માતાથી જીવન જ્ઞાન
ઉજ્વળ જીવન મેળવી સંગે,પ્રભુ કૃપા પણ મેળવાય
સાથ સંગાથી સંગે ચાલે,જીવના તો લેણદેણ અપાર
મળશે પ્રેમ જગતમાં સાચો,જે સ્નેહની પાંખે લેવાય
                      ………પાવનપવિત્ર પ્રેમની સાંકળ.
આવે આંગણે પ્રાણી પશુ,જે  માનવતાએ કેળવાય
જીવનેદેતા સથવારોપ્રેમનો,પંખી કલરવ દઇ જાય
ચણને નિરખી પાંખ પ્રસારે,જે તેની દ્રષ્ટિએ દેખાય
સજળ સ્નેહની વર્ષા થાય,જે આવી આંગણે પ્રેરાય
                    ………..પાવનપવિત્ર પ્રેમની સાંકળ.

===============================

April 10th 2010

જોઇ લીધો

                       જોઇ લીધો

તાઃ૧૦/૪/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જોઇ લીધો જોઇ લીધો,મેં પ્રેમનો ઉભરો જોયો
ધીમે ધીમે મળતો મને,ના માગુ કોઇથી એવો
                     ………..જોઇ લીધો જોઇ લીધો.
દીલને માન્યુ દરીયા જેવું,હેત ઉભરાઇ દે એવું
નિર્મળ પ્રેમને સંગી લીધો,નાતુટે કોઇથી એવો
મળે મનથી પ્રેમ નિરાળો,જીવને આનંદે જેવો
માગું હું ના મનથીકદીએ,તોય મળેમનેઅનેરો
                     ………..જોઇ લીધો જોઇ લીધો.
ડગુમગુના ચાલતો હું  તો,સરળતા સંગે લેતો
દેખાદેખની આદુનીયાથી,રહેતો સદા હું નોખો
મેળ મનનો મેળવી લેતાં,આનંદ મલે અનેરો
હરખાઇલેતો હરખાઇલેતો,સમયને માણીલેતો
                    …………જોઇ લીધો જોઇ લીધો.

=============================

April 10th 2010

વજન પડ્યુ

                        વજન પડ્યુ

તાઃ૧૦/૪/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

અરે ભઇ ના લોખંડ કે સ્ટીલ, ના તાંબુ કે પીત્તળ
વજન પડે જ્યાં દીલપર,કુદરત બને ત્યાં ઉત્તમ
                 …………અરે ભઇ ના લોખંડ કે સ્ટીલ.
માનવતાનો ઉછળતો દરીયો,શાંત ત્યાં થઈ જાય
સાચીભક્તિનુ વજનપડતાં,સહજ સફળતા લેવાય
મનનીશાંન્તિ ને પ્રેમસૌનો,એ પ્રભુ કૃપાએ દેખાય
ના વ્યાધી કે ઉપાધીય આવે,છો કળીયુગ એ હોય
                    ……..અરે ભઇ ના લોખંડ કે સ્ટીલ.
નિયમ કાયદો નેવે જાય,ને કામ પણ મળી જાય
વજનપડે જ્યાં ઓળખાણનું,ત્યાં બૉસ નમી જાય
લાયકાતને તો દુરરાખે,કે ના અનુભવને જોવાય
મળીજાય એનોકરી,જ્યાંલાયકાત થોડીય નાહોય
                   ……….અરે ભઇ ના લોખંડ કે સ્ટીલ.

=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

April 10th 2010

માનવીની કેડી

                      માનવીની કેડી

તાઃ૧૦/૪/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસારની સરગમમાં,જીવ જન્મ જ મળતાં ગુંથાય
સગા વ્હાલાના પ્રેમની સાંકળ,જીવને વળગી જાય
                     …………સંસારની સરગમમાં જીવ.
માતા પિતાના પ્રેમની રીત,જે બાળપણમાં લેવાય
ડગલું પગલું માંડતા દેહે,આંગળીથી જ એ પકડાય
બંધનપ્રેમના જગમાં ન્યારા,ના માયા લોભ દેખાય
કુદરતની આલીલા એવી,જે માનવીથી અનુભવાય
                       ………..સંસારની સરગમમાં જીવ.
જુવાનીના સોપાનને જોતાં, મન મક્કમ થઇ જાય
રહે શ્રધ્ધાને મહેનત સંગે,ત્યાં કદમકદમ સચવાય
મળે સફળતા લાયકાતે,જે  માનવ દેહે અનુભવાય
જીવનનીકેડી મળેસફળ,જે સાચી મહેનતે મેળવાય
                       ………..સંસારની સરગમમાં જીવ.
આંગણે આવતાં ઘડપણના,હાથ પગ લબડી જાય
ટેકો મેળવી લાકડીનો ચાલે,ને સંતાન સહારો થાય
આશાની અપેક્ષા મળતાં જીભડી પણ પકડાઇ જાય
શબ્દશબ્દને સાચવીલેતાં,માનવીને કેડી મળીજાય
                         ……….સંસારની સરગમમાં જીવ.

##############################

April 10th 2010

દુઃખના વાદળ

                  દુઃખ ના વાદળ

તાઃ૧૦/૪/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની અકળલીલા,જીવ જન્મથી બંધાય
મોહમાયાને કર્મ બંધન,જે જીવ થકી જ લેવાય
                        ………પરમાત્માની અકલ લીલા.
શીતળ સ્નેહને શોધતાં,જીવને માયા વળગી જાય
નિર્મળ પ્રેમની વર્ષા થાય,જ્યાં કૃપા પ્રભુની થાય
મોહ પ્રીત એ લાલચ દેહની,જે જીવને બાંધી જાય
સરળતાનો સ્નેહ મોંઘો,જે માનવતા એજ મેળવાય
                       ………..પરમાત્માની અકળ લીલા.
દેહ જગેમળે માનવીનો,ત્યાં મળે ભક્તિનો અણસાર
રામનામનીરટણ પ્રીયતાએ,જીવનેજગથી બચાવાય
મુક્તિના દ્વાર ખોલવા દેહથી,રટણ જલાસાંઇનુ થાય
દુઃખના વાદળ ભાગે દુર,જ્યાં જીવ ભક્તિએ જોડાય
                       …………પરમાત્માની અકળ લીલા.

**********************************

April 8th 2010

પ્રભુની પ્રેરણા

                          પ્રભુની પ્રેરણા

તાઃ૮/૪/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની લીલા ન્યારી જગમાં,ના જીવને સમજાય
આગમન વિદાયના આચક્કરમાં.એ તો જીવી જાય
                             ……….કુદરતની લીલા ન્યારી.
સોમવારની શીતળસવારે,કોમળ સુર્યકિરણ સહવાય
મળે પરમાત્માનો પ્રેમ જીવને,જ્યાંભોલેનાથ ભજાય
                             ……….કુદરતની લીલા ન્યારી.
ગણ અધિપતિની કૃપાપામવા,મંગળવારે એ પુંજાય
વંદન કરતાં ગણપતિને,માતા પર્વતી  પણ હરખાય
                              ………કુદરતની લીલા ન્યારી.
બુધ કરે છે શુભ જગમાં,જ્યાં માતાદુર્ગાની કૃપાથાય
રક્ષણ કરવા આવે માડી,ત્યાં ધન્ય જીવન થઇ જાય
                              ………કુદરતની લીલા ન્યારી.
ગુરૂવારની સવાર નીરાળી,જે અન્નદાનથી જ દેખાય
જલાસાંઇની પ્રીતન્યારી,જે સાચીશ્રધ્ધાએ મળીજાય
                             ……….કુદરતની લીલા ન્યારી.
મા સંતોષીની આશીશ મળતાં,શુક્રવારે પુંજન થાય
મનની શાંન્તિને ઉજ્વળજીવન,માની દયાયે દેખાય
                           ………..કુદરતની લીલા ન્યારી.
પવનપુત્રનો પ્રેમ પામવાકાજે,સિંદુર તેલ ચઢાવાય
શનીવારની શીતળસવારે,હનુમાનચાલીસા બોલાય
                           ………..કુદરતની લીલા ન્યારી.
રવિવારની પાવન પ્રભાતે,મા અંબાની કૃપા થાય
અંબે માની આરતી કરતાં,માકૃપા ધરમાં થઇ જાય
                          …………કુદરતની લીલા ન્યારી.

===============================

April 7th 2010

માનવીની લગામ

                      માનવીની લગામ

તાઃ૭/૪/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેખાવ મારો ભઇ દરીયા જેવો,ને પ્રેમતો સ્વીમીંગ પુલ
ક્યારેક્યાંનેકેટલો એતો સમય બતાવે નાતેમાં કોઇ ભુલ
                               …………દેખાવ મારો ભઇ દરીયા.
ડગલુ માંડતા પૃથ્વીપર,સમજી વિચારીએ જ્યાં મંડાય
ખાડોટેકરો એ અટકાવીજાય,જ્યાં દેહ પડતો બચાવાય
મળે સહકાર માનવતાનો,ને પ્રેમ સૌનો પણ મેળવાય
દેવાય જ્યાં સહકાર મનથીજ,ત્યાં કામ સરળસૌ થાય
                                   ………દેખાવ મારો ભઇ દરીયા.
એક અપેક્ષા માનવીની,જે માગણીએ કદી ના ભરાય
મળે કૃપા પરમાત્માની,ત્યાં સહજ સરળતા મેળવાય
ઉભરો ના આવે મનથી,ત્યાં મને લગામ મળી જાય
સરળતા તો મળી રહે,ને સૌ સગાસ્નેહી પણ હરખાય
                               ………..દેખાવ મારો ભઇ દરીયા.
છલાંગ મારી માનવી કુદે,ના ડાળખી કોઇ પકડાય
પડે ભેંય પર ઉધા માથે,જ્યાં દુઃખ દર્દ મળી જાય
બુધ્ધિને જ્યાં શુધ્ધિ મળે,ત્યાં ડગલેડગલુવિચારાય
લગામ રાખી જીવન જીવતાં,જન્મ સફળ થઇ જાય
                                ………દેખાવ મારો ભઇ દરીયા.

——————————————–

April 6th 2010

ગણનાયક

                             ગણનાયક

તાઃ૬/૪/૨૦૧૦   (મંગળવાર)   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગણનાયકનુ સ્મરણ કરતાં,કામ સરળ સૌ થાય
પાવકપ્રેમથી ભક્તિકરતાં,જન્મ સફળ થઇજાય
                 ……….ગણનાયકનુ સ્મરણ કરતાં.
મંગળવારના પવિત્ર દીને,પુંજન અર્ચન થાય
ભાગે વ્યાધી બારણેથી,ના દ્રષ્ટી કરે એ લગાર
ઉજ્વળ પ્રેમની વર્ષા થાતાં,જીવન ધન્ય થાય
ડગલેપગલે વિધિ વિનાયક,આંગળી પકડીજાય
                  ………ગણનાયકનુ સ્મરણ કરતાં.
માયામમતા મોહપ્રભુથી,જ્યાં નિત્યસવારે થાય
દીનસાર્થક ત્યાં થઇજાય,ને કામ સરળ સૌ થાય
ગણપતિની કૃપા પામતા,દેહ પણ પવિત્ર થાય
મળે આશીર્વાદની હેલી,ને કર્મવર્તનછે બદલાય
               …………ગણનાયકનુ સ્મરણ કરતાં.
મુક્તિ કેરા દ્વાર ખોલવા,હૈયે થી જ હેત રખાય
ધુપદીપને માળાકરતાં,ગણનાયક પણ હરખાય
અમી દ્રષ્ટિ થતાં જ દેહપર,નાવળગે કોઇ લોભ
મળે જીવને પ્રેમ પ્રભુનો,ત્યાં ભાગે જગના મોહ
                 ……….ગણનાયકનુ સ્મરણ કરતાં.

==============================

April 6th 2010

ક્યાંથી લેવાય?

                    ક્યાંથી લેવાય?

તાઃ૫/૪/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિચારોના વમળમાં જ્યાં માનવી મન અટવાય
કોઇક બંધન છે કર્મોના જ્યાં જીવ ભરમાઈ જાય
                       ……….વિચારોના વમળમાં જ્યાં.
લાગણીની વર્ષાએ જગતમાં માનવમન મલકાય
અંતરના અણસાર ને ના કોઇથી એ ક્યારે મપાય
કરુણા પ્રેમનીમળે જ્યાં વડીલોના હેતને મેળવાય
નિરખીપ્રેમનીજ્યોતને જે માગણીએ કદીનાલેવાય
                      ………..વિચારોના વમળમાં જ્યાં.
ઉજ્વળ જીવનની ભાવના મનથી એ વિચારાય
પાવકપ્રેમ નિરખવા જીવનમાં વર્તનને જોવાય
સંતાનોના સહવાસને જોવા સંસ્કારને ઓળખાય
મળેલ મનને માયામોહ એજગનીવૃત્તિએ લેવાય
                      ………..વિચારોના વમળમાં જ્યાં.
જીવને મળે દેહ જે તેના ગતજન્મથીજ મેળવાય
પ્રાણી,પશુ,માનવ કે પક્ષીએ તેના દેહથી દેખાય
દેહનુવર્તન અને જીવની શ્રધ્ધા ભક્તિએ જોવાય
મંદીર મસ્જીદ અટકી જાય જ્યાં ધેર પ્રભુ પુંજાય
                     …………વિચારોના વમળમાં જ્યાં.
++++++++++++++++++++++++++++++++++

April 4th 2010

એક રસ્તો

                             એક રસ્તો

તાઃ૪/૪/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનને જ્યાં મુંઝવણમળે,ત્યાં આકુળ વ્યાકુળ થાય
સમજને થોડી પકડી લેતાં,એક રસ્તો જરુર દેખાય
                      ………..મનને જ્યાં મુંઝવણ મળે.
જન્મ જીવનો સંબંધ નિરાળો,જે દેહથકી એ દેખાય
કર્મના બંધન વળગીચાલે,જેનો મળે જગે અણસાર
પાપાપગલી સમજી લેતાં,બાળ વર્તને આવી જાય
માની કુખને મેળવીલેતાં,વ્હાલનો રસ્તો મળી જાય
                     …………મનને જ્યાં મુંઝવણ મળે.
સમય દેહના બંધન દેખાડે,જે જુવાનીએજ સમજાય
બાળપણની વિદાય મળતા,પગે માનવીથી ચલાય
ડગલાંની જ્યાં ઓળખ આવે,ત્યાં વિચારીને જવાય
તકલીફો તોદુરજ ભાગે,જ્યાંમહેનતનો રસ્તો લેવાય
                      ………..મનને જ્યાં મુંઝવણ મળે.
મળશે દેહનેઓવારો ઉંમરનો,જે વર્ષોવર્ષ થકીદેખાય
સમજનેપકડી ચાલતાં જીવને,વ્યાધી સરળ સૌ થાય
જીવને શાંન્તિમાં જકડી લેવા,સાચી ભક્તિને પકડાય
પરમાત્માની અસીમકૃપાએ,જીવને મુક્તિ મળી જાય
                        ……….મનને જ્યાં મુંઝવણ મળે.

=================================

« Previous PageNext Page »