April 10th 2010

દુઃખના વાદળ

                  દુઃખ ના વાદળ

તાઃ૧૦/૪/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની અકળલીલા,જીવ જન્મથી બંધાય
મોહમાયાને કર્મ બંધન,જે જીવ થકી જ લેવાય
                        ………પરમાત્માની અકલ લીલા.
શીતળ સ્નેહને શોધતાં,જીવને માયા વળગી જાય
નિર્મળ પ્રેમની વર્ષા થાય,જ્યાં કૃપા પ્રભુની થાય
મોહ પ્રીત એ લાલચ દેહની,જે જીવને બાંધી જાય
સરળતાનો સ્નેહ મોંઘો,જે માનવતા એજ મેળવાય
                       ………..પરમાત્માની અકળ લીલા.
દેહ જગેમળે માનવીનો,ત્યાં મળે ભક્તિનો અણસાર
રામનામનીરટણ પ્રીયતાએ,જીવનેજગથી બચાવાય
મુક્તિના દ્વાર ખોલવા દેહથી,રટણ જલાસાંઇનુ થાય
દુઃખના વાદળ ભાગે દુર,જ્યાં જીવ ભક્તિએ જોડાય
                       …………પરમાત્માની અકળ લીલા.

**********************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment