April 6th 2010

ક્યાંથી લેવાય?

                    ક્યાંથી લેવાય?

તાઃ૫/૪/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિચારોના વમળમાં જ્યાં માનવી મન અટવાય
કોઇક બંધન છે કર્મોના જ્યાં જીવ ભરમાઈ જાય
                       ……….વિચારોના વમળમાં જ્યાં.
લાગણીની વર્ષાએ જગતમાં માનવમન મલકાય
અંતરના અણસાર ને ના કોઇથી એ ક્યારે મપાય
કરુણા પ્રેમનીમળે જ્યાં વડીલોના હેતને મેળવાય
નિરખીપ્રેમનીજ્યોતને જે માગણીએ કદીનાલેવાય
                      ………..વિચારોના વમળમાં જ્યાં.
ઉજ્વળ જીવનની ભાવના મનથી એ વિચારાય
પાવકપ્રેમ નિરખવા જીવનમાં વર્તનને જોવાય
સંતાનોના સહવાસને જોવા સંસ્કારને ઓળખાય
મળેલ મનને માયામોહ એજગનીવૃત્તિએ લેવાય
                      ………..વિચારોના વમળમાં જ્યાં.
જીવને મળે દેહ જે તેના ગતજન્મથીજ મેળવાય
પ્રાણી,પશુ,માનવ કે પક્ષીએ તેના દેહથી દેખાય
દેહનુવર્તન અને જીવની શ્રધ્ધા ભક્તિએ જોવાય
મંદીર મસ્જીદ અટકી જાય જ્યાં ધેર પ્રભુ પુંજાય
                     …………વિચારોના વમળમાં જ્યાં.
++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment