સ્નેહની પાંખે
સ્નેહની પાંખે
તાઃ૧૦/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનપવિત્ર પ્રેમની સાંકળ,માનવતાએ મેળવાય
શીતળતાનો જ્યાં સ્નેહ મળે,ત્યાં હૈયા ઉભરાઇ જાય
………..પાવનપવિત્ર પ્રેમની સાંકળ.
પ્રેમ પિતાનો આંગળીપક્ડે,ને માતાથી જીવન જ્ઞાન
ઉજ્વળ જીવન મેળવી સંગે,પ્રભુ કૃપા પણ મેળવાય
સાથ સંગાથી સંગે ચાલે,જીવના તો લેણદેણ અપાર
મળશે પ્રેમ જગતમાં સાચો,જે સ્નેહની પાંખે લેવાય
………પાવનપવિત્ર પ્રેમની સાંકળ.
આવે આંગણે પ્રાણી પશુ,જે માનવતાએ કેળવાય
જીવનેદેતા સથવારોપ્રેમનો,પંખી કલરવ દઇ જાય
ચણને નિરખી પાંખ પ્રસારે,જે તેની દ્રષ્ટિએ દેખાય
સજળ સ્નેહની વર્ષા થાય,જે આવી આંગણે પ્રેરાય
………..પાવનપવિત્ર પ્રેમની સાંકળ.
===============================