April 12th 2024

હિંદુધર્મમાં પવિત્રતહેવાર

  ###News & Views :: આ શહેરમાં તિલક વગર ખૈલેયાઓને પ્રવેશ મળશે નહીં, ગરબા ગ્રાઉન્ડ બહાર બેનરો લાગ્યા###
.             હિંદુધર્મમાં પવિત્રતહેવાર

તાઃ૧૨/૪/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં સમયે પવિત્ર તહેવાર ઉજવાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે દુનીયામાં,જ્યાં શ્રધ્ધાળુ ભક્તોથી નવરાત્રીરમાય
.....નવરાત્રીના પવિત્ર દીવસોએ માતાની પુંજાકરી,ગરબે રમીનેજ વંદન કરાય.
ભારતદેશમાં અનેક પવિત્રદેવદેવીઓથી જન્મી,હિંદુધર્મથી પવિત્રકરી જાય
પવિત્ર હિંદુધર્મ કહેવાય જેમાં જીવનાદેહને,સમયે ભક્તિરાહે જીવાડી જાય
જીવને સમયે જન્મમરણનો સંબંધમળે,જે જીવને આગમનવિદાયઆપીજાય
જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મકહેવાય,જેમાં ભગવાન પવિત્રદેહથીજન્મીજાય 
.....નવરાત્રીના પવિત્ર દીવસોએ માતાની પુંજાકરી,ગરબે રમીનેજ વંદન કરાય.
હિંદુધર્મમાં ભગવાનની પ્રેરણાથી,સમયે પવિત્રતહેવારમાં માતાની ભક્તિકરાય
પવિત્રભક્તોની પ્રેરણાએ મળેલમાનવદેહને,તહેવારમાં પ્રભુને ધુપદીપથીપુંજાય 
સમયે તાલીપાડીને માતાનેવંદન કરવા,ગરબે રમીને તાલી પાડીને વંદનકરાય
હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપાએ,અનેકપવિત્રમંદીર દુનીયામાં બનાવીજાય
.....નવરાત્રીના પવિત્ર દીવસોએ માતાની પુંજાકરી,ગરબે રમીનેજ વંદન કરાય.
જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ કહેવાય,જે જગતમાં હિંદુધર્મથી પ્રેરી જાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા જીવનાદેહનેમળે,સમયે ઘરમાં ધુપદીકરીપુંજાકરી જાય
પરમાત્માના પવિત્રદેહથી પ્રેરણા મળે,એ માનવદેહનાજીવને મુક્તિ આપીજાય
જગતમા હિંદુધર્મના અનેક પવિત્રમંદીરો બંધાયા,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
.....નવરાત્રીના પવિત્ર દીવસોએ માતાની પુંજાકરી,ગરબે રમીનેજ વંદન કરાય.
=================================================================

	
August 26th 2019

નવરાત્રીને નમન

.             નવરાત્રીને નમન   
તાઃ૨૫/૮/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ      

     જ્યોતિબેન તમને તો ઘણા સમય પછી જોયા અને તમે મને યાદ રહ્યા તે માતાજીની કૃપા કહેવાય.
એટલેજ તમે મને યાદ આવ્યા અને આમેય ભુતકાળ તો ભુલાય નહીં એટલે જ માતાએ મને યાદ રખાયા.
અને આમેય મારે તમને યાદ રાખવાપડે કારણ તમે તો મારા જુના પડોશી અને ખાસતો આપણે મેદીરમાં
સાથે જતા અને માતાનો પ્રેમ પણ મેળવી લેતાં.મને તો ધણો આનંદ થયો કે હિંદુ ધર્મની નવરાત્રીના 
પ્રથમ દીવસે અંબામાતાની કૃપા થઈ તો આપણે દુકાનમાં મળ્યા અને મને તરત યાદ આવી ગયા.તમારી
તબિયત કેમની છે બધુ બરાબર છે ને અને તમારા વર રમેશભાઈ અત્યારે શુ કરે છે? તેમની તબિયત
બરાબર છે ને.હા નિલાબેન તમારો પ્રેમ છે તો માતાની કૃપાએ પવિત્ર નવરાત્રીના દિવસે જ આપણે મળ્યા.
આવો આપણે અહીં ખુરશીમાં બેસી થોડી આપણી પર્સનલ વાતો કરીએ.
     બંન્ને બહેનો ખુરશીમાં બેઠા અને હાથ પકડીને આનંદ કર્યોંં.નિલાબેન કહે જ્યોતિબેન તમારે કેમનુ છે.
બધુ બરાબર છે ને તમારી તબિયત સારી દેખાય છે અને તમારા વરની દુકાનનુ કામકાજ બરાબર ચાલે છેને?
અને તમારા દીકરા અને દીકરીઓ અત્યારે શુ કરે છે.જ્યોતિબેન કહે તમને પહેલા વાત કરેલીને કે મારા વર
જ્યારે અમે અમેરીકા આવ્યા તે પહેલા આણંદમાં રહેતા હતા મારા વર વકીલ હતા અને છત્રીસ વર્ષ વકીલાત
કરી.અને મારી મોટી નણંદ ઉર્મીલાબેને અમારા માટે વિઝા માટે એપ્લાય કર્યુ અને અમને બોલાવ્યા એટલે
અમને એમ કે અમેરીકામાં આપણને સારી જીંદગી મળશે.એટલે અમે અમેરીકા આવ્યા પણ અમને ખબર 
પડી કે અમેરીકામાં હવામાનનો બહુ ભરોશો ના રખાય ન્યુયોર્ક,શીકાગો અને કેલીફોર્નિયામાં ઠંડી ખુબ પડે.
એટલે અમે હ્યુસ્ટનમાં આવ્યા કારણ મારા બાળકો નાના હતા તેથી તેમની તબીયતની ચીંતા ના કરવી પડે.
અહીં આવ્યા પછી મારા વરે પ્રયત્ન કર્યો કે વકીલાત ચાલુ રાખે પણ તેમને અનુભવ થયો કે ભારતથી આવેલ
વ્યક્તિઓને ત્યાંના ભણતરની કોઇ જ લાયકાત ના મળે અને બીજી વાત એ પણ છે અહીંના ભણતરથી કોઈ
તક ના મળે કારણ તે ઉંમરને અડીં જાય.જોકે તેમણે ત્રણમાસ ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યો પણ તક ના મળી
એટલે અમેરીકન ગ્રોસરી સ્ટોરમાં ગ્રાહકને લારી પકડી મદદ કરવાની નોકરી શરૂ કરી.અને મારા બે દીકરા 
અને બે દીકરીઓ સ્કુલમાં ભણવા જતા હતા તેમને સ્કુલની બસ લઈ જતી અને મુકી જતી અને મારે પણ 
કામ કરવુ જોઇએ તો એક ગુજરાતી ભોજનની હોટલમાં મને નોકરી મળી મને સવારે નવ વાગે લઈ જાય અને 
સાંજે આઠ વાગે પાછી મુકી જાય મારા વરને ગુરૂવારે તેમના જુના મિત્ર મળ્યા અને કહ્યુ કે તમે મારો આ 
ફોન નંબર છે મને શનિવારે સવારે ફોન કરજો તો તમને સારો રસ્તો બતાવીશ.શનિવારે મારા પતિએ 
અંબાલાલભાઇને ફોન કર્યો અને રવિવારે મળવાની માહિતી મેળવી લીધી.તેઓ અમારા ઘરથી નજીકમાં જ 
રહેતા હતા મારા વરને આનંદ થયો.રવિવારે તેમને મળવા ગયા તેમના ઘરમાં પ્રવેશતા જ તેમને અનુભવ થયો 
કે તેમની ઉપર માતાની કૃપા થઈ એટલે તેમને મળવા આવવાનુ થયુ.ઘરમાં પેસતા જ પ્રથમ રૂમમાં માતાનુ 
મંદીર હતુ જ્યાં અંબાલાલ  માતાની પુંજા કરતા હતાં. તેમણે મારા વરને કહ્યુ રમેશભાઈ તમે નશીબદાર છો 
કારણ આજે હીંંદુ ધર્મ પ્રમાણે નવરાત્રીનો પ્રથમ દીવસ છે અને તે દીવસે માતાએ તમને બોલાવ્યા અને તેજ
દીવસે તમે આવ્યા તે તમારા પર માની કૃપા કહેવાય જે તમને તક આપી.બે મીનીટ તમે માતાજીને પગે અ
લાગી લો પછી આપણે ઘરમાં બેસીએ વાત કરીએ.થોડી વાર પછી બંન્ને રૂમમા બેઠા અને અંબાલાલભાઈએ
મારા વરને કહ્યુ મારા એક મિત્ર જે બોરસદના છે અને અઢાર વર્ષથી અહીં અમેરીકામાં છે તમને વાત કરવી 
છે કે તેમનુ નામ કનુભાઈ છે ડાઉનટાઉનમાં દુકાન છે પણ તેમને આ એરીયામાં નવો સ્ટોર કરવો છે અને
તમને એ નવા સ્ટોરની બધી વ્યવસ્થા કરી આપશે.તમારે એ સ્ટોર ચલાવવાનો આ વાત ચાલતી હતી તે
વખતે જ અચાનક કનુભાઇ અંબાલાલને મળવા આવ્યા.અંબાલાલે કનુભાઈને આ રમેશભાઈ આણેંદના છે 
તેમને મે તમારી નવી દુકાન ચલાવવા માટે બોલાવ્યા હતા અને તે આવ્યા તો તમે પણ સમયસર માતાની
કૃપા થઈ અને આવી ગયા.મારા વરની જોડે તેમણે દુકાનની વાત કરીને તેમણે કહ્યુ કે દસ દીવસમાં જ
દુકાન ચાલુ કરી દઈશુ.આ ઘેરથી દુકાને જતા પાંચ મીનીટ થશે.
 મારા વર ઘેર પાછા આવ્યા અને સાંજે માતાની પુંજા કરી અને કુળદેવી માતા કાળકાને દીવો કર્યો.
તે વખતે માતાએ તેમની પર કૃપા કરી અને તેમને વિચાર આવ્યો એટલે સેવા કરી ઘરમાં ચાલતા મને કહે
આજથી આપણા ધર્મ પ્રમાણે નવરાત્રી શરૂ થાય છે એટલે માતાએ મારી પર કૃપા કરી અને પ્રેરણા આપી 
કે તુ દુકાન ચલાવજે તને શાંંતિ મળશે.સમયની સાથે જે વ્યક્તિ ચાલે તેની પર પરમાત્માની કૃપા થાય.
અંબાલાલ નિમીત બન્યા અને દુકાન ચલાવવાની વાત કરી.
 દસ દીવસમાં જ જ્યોતીબેનના ઘરથી નજીકમાં જ સંગીતા ઇંડીયન ગ્રોસરી સ્ટોર ખોલ્યો અને 
રમેશભાઈને ચલાવવા માટે આપવામાં આવ્યો.તેઓ સમયસર સવારમાં નવ વાગે દુકાન ખોલતા અને
સાંજે સાત વાગે બંધ કરી ઘેર આવી જતા અને ઘરના મંદીરમાં ભગવાનને આરતી અને માતાને દીવો
કરી દેતા.જ્યોતીબેન પણ માતાની આરતી પણ કરતા.તેમની પર માતાની કૃપાએ બે દીકરા અને બે
દીકરીઓ આપી.તેમનો મોટો દીકરો સુરેશ પછી દીકરી કામીની પછી દીકરો મનોજ અને પછી દીકરી
મોનિકા હતી.જ્યોતીબેન લગ્ન પહેલા પણ બાળપણથી માતાજીની પુંજા કરતા તેમની સાથે સ્કુલમાં 
ભણતી એક ભ્રાહ્મણ બેનપણી રાધિકાએ એક વખત નવરાત્રીની વાત ચાલતી હતી તે વ ખતેજ તેણે
કહ્યુકે ભારત એજ પવિત્ર ભુમી છે જ્યાં માતાએ બાવન સ્વરૂપ લીધા છે.અને હિંદુ ધર્મમાં ભક્તિ 
એજ પવિત્ર જીવનની રાહ આપે છે.જ્યોતીબેન તો માબાપની કૃપાએ બાળપણથીજ માતાની પુંજા
કરતા અને નવરાત્રીમાં માતા નિમીત્તે દીવસમાં એક જ વખત ભોજન કરતા અને સાંજે માતાને 
દીવો કરી આરતી કરી માતાનો ગરબો ગાઈ પછી માતાના મંદીર જતા.જ્યાં ગરબા ગાઈ અને
આરતી પણ કરતા આજ એમના જીવનમાં પવિત્રરાહ મળતી ગઈ અને જેને લીધે ચાર સંતાન થયા
જે માતાની કૃપાએ સ્કુલમાં જતા અને સમય પકડીને ચાલતા હવે કૉલેજમા જવાનુ શરૂ થયુંં મોટો
દીકરો સુરેશ વકીલનુ ભણ્યો.બીજી દીકરી કામિની મેડીકલનું ભણતી હતી ત્રીજી દીકરી નર્શનુ ભણી
હતી ચોથો દીકરો શિક્ષકનુ ભણતો હતો. ચારે સંતાન નવરાત્રીની માતાની કૃપા એ પવિત્રરાહે 
જીવતા હતા અને તેમના પિતા પણ પવિત્રરાહે માતાની કૃપા લઈ દુકાન ચલાવતા હતા.દુકાન
સવારે ખોલતા સમયસર ગ્રાહકો આવી જતા કારણ આ દુકાનમાં ગુજરાતી અનાજ,શાકભાજી અને
મંદીરની વસ્તુઓ યોગ્ય ભાવે મળતા ખુબ શાંંતિ મળતી જે તેમની શ્રધ્ધા અને તેમની પત્ની 
જ્યોતીબેનની ભક્તિ જે નવરાત્રીથી માતાની કૃપા મેળવી જીવી રહ્યા હતા એજ નવરાત્રીને નમન
કહેવાય.સૌને નવરાત્રી નીમીત્તે જય માતાજી.
========================================================================
July 24th 2019

કુદરતનો સંગાથ

.              .કુદરતનો સંગાથ   

તાઃ૨૩/૭/૨૦૧૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ    

    શ્રાવણ માસના પ્રથમ દીવસે રમેશભાઈ અમેરીકા આવ્યા તેમને લેવા માટે તેમના જમાઈ
મહેશકુમાર એરપોર્ટ પર આવી ગયા હતા.તેમની બે બેગ લેવાની હતી એટલે જ્યાં બેગો આવે
ત્યાં જમાઈની સાથે તે પણ ઉભા હતા.થોડીવારમાં બેગો આવવાની શરૂ થઈ તેમની બેગ  
આવતા જમાઈને બતાવી જમાઈએ બંન્ને બેગો લઈ લારીમાં મુકી દીધી અને પછી સસરાને કહ્યુ
પપ્પા તમારી હાથની બેગ પણ મને આપી દો તેને પણ આ લારીમાં મુકી દઇએ એટલે આપણે
બહાર નીકળી જઈએ.એરપોર્ટથી બહાર આવ્યા.તો તેમની દીકરી માલીની કાર ચલાવીને આવી
ગઈ.પપ્પા કારમાં બેસવા આવ્યા તો દીકરી કારમાંથી બહાર આવી પપ્પાને પગે લાગી પપ્પાએ
તેને બાથમાં લીધી દીકરીની આંખમાં પાણી આવી ગયુ.આશીર્વાદ આપી પપ્પા બોલ્યા બેટા
ભગવાનનો કૃપા તેં સંસ્કાર સાચવી રાખ્યા છે.એમ કહી કારમાં પાછળની સીટ પર દીકરી જોડે
બેસી ગયા.દીકરી એટલા માટે પાછળ બેઠી કારણ કેટલા વર્ષો પછી તેના પિતાજી પહેલી વખત
અમેરીકા આવ્યા.તે આણંદમાં સ્કુલમાં શિક્ષક તરીકે કામ કરતા હતા. સવારે નવ વાગે સ્કુલમાં
આવતા કારણ કે સ્કુલ દસ વાગે શરૂ થતી એટલે વિધ્યાર્થીઓને ભણાવવાનુ કામ તે કરતા હતા.
અને સાંજે પાંચ વાગે સ્કુલ બંધ થાય એટલે છ વાગે ધેર પહોચી જતા.શનીવારે સાડા આઠ વાગે
સ્કુલમાં આવતા કારણ કે સ્કુલ નવ વાગે શરૂ થાય અને બે વાગે બંધ થાય એટલે ત્રણ વાગે 
ધેર આવી જાય.રવિવારે સ્કુલ બંધ હોય એટલે તેમના પત્નિ સાધનાબેનને લઈ સાંજે ચાર વાગે સાંઇ
બાબાના મંદીરે જતા અને સાત વાગે આરતી દર્શન કરી ધેર પાછા આવતા હતા.આ તેમના 
સંસ્કાર હતા જે સમયની સાથે તેઓ ચાલતા હતા.
    મળેલ માનવજીવન એ તો કર્મના બંધનથી પરમાત્મા જીવને અવનીપર લાવી જાય.જન્મ મળે
પણ તેને ઉંમર મળતા સદમાર્ગે જીવન જીવાતુ હોય તો શાંંતિ મળતી જાય જે જીવને સદમાર્ગે દોરી 
જાય.રમેશભાઈને પણ ભક્તિની પાવનરાહ માબાપના આશિર્વાદ અને  સંત જલાસાંઇની કૃપાએ
મળી ગઈ.જેને લીધે તેઓ શિક્ષક તરીકે ભણતરથી બાળકોને જીવનમાં યોગ્યરાહ લઈ લાયકાત 
આપતા હતા.તેમના પત્નિ સાધનાબેન પણ ભણતર કરી અને તેમના જીવનસંગીની થઈ આવ્યા 
હતા.તેઓ પણ સવારમાં સુર્ય અર્ચના કરી અને ધરમાં ધુપદીપ કરી પુંજા કરતા હતા. કુળદેવીની 
કૃપા થતા સમયસર સંતાનનુ આગમન થયુ.તેમને ત્રણ દીકરા અને બે દીકરીઓ હતી.ત્રણેય દીકરા 
કેતન,સુરજ અને દીપક અને દીકરીઓ માલીની અને સંગીતા હતી.કેતન શિક્ષક થયો સુરજ ડૉક્ટર 
થયો અને દીપક એન્જીનીયર થયો દીકરીઓમાં માલીની નર્શનુ ભણી અને સંગીતા વકીલ થઈ આમ 
રમેશભાઈ અને સાધનાબેનનુ કુળ માતાની કૃપાએ યોગ્ય રસ્તે ચાલતા થયા.
    જગતમાં સમય કોઈથી પકડાય નહીં પણ પરમાત્માની કૃપાએ કુળને યોગ્ય માર્ગે લઈ લીધા.
સંતાનો પાવનરાહથી નોકરી કરતા હતા તેથી માબાપને નિવૃત કર્યા હતા.જીવનમાં સમય આવ્યો
એટલે સદમાર્ગનો સંગાથ લઈ પિતા રમેશભાઈને દીકરી માલીનીને ત્યાં બીજુ સંતાન આવ્યુ અને 
તે છ વર્ષનુ થયુ તો જમાઈનો ફોન આવ્યો અને કહે પપ્પા તમે અને મમ્મી અમેરીકા આવો તો 
અમને આશિર્વાદ અને પ્રેમ મળે.રમેશભાઈએ તેમની પત્નિને વાત કરી પણ તે કહે અત્યારે મારાથી
અમેરીકા ન અવાય કારણ આપણા સુરજની પત્નિને સંતાન આવવાનુ છે તો મારે અહીં રહેવુ પડે.
તો તમે એકલા થોડા સમય માટે માલીનીને ત્યાં જઈ આવો તો તેને આનંદ થાય.અને આપણને 
સંતાનોની પાવનરાહ જોઇ જીવનમાં શાંંન્તિ થાય.પરમાત્માની કૃપાએ કુટુંબમાં સૌને સાચી રાહ મળી
જેને લીધે પિતા રમેશભાઈ અને માતા સાધનાબેનને સંપુર્ણ શાંંતિ માતાની કૃપા એ મળી જે અનુભવે
સમજાય છે.તેમના પાંચેય સંતાનને પિતાએ ભણતરની રાહ બતાવી જેને પકડી ભણતરથી ઉજવળ
કેડીએ મળેલદેહને સુખ અને શાંંતિ મળી રહી છે.જીવને જન્મ મળે ત્યાર પછી ઉંમરની સાથે ચાલો
તો ભગવાનની કૃપા થાય એ સમેશભાઈના કુટુંબથી દેખાય છે. 
     મોટા દીકરો કેતનને તો અત્યારે કૉલેજમાં પ્રોફૅશરની નોકરી મળતા સમય માટે તેણે નવુ મકાન
લીધુ જે કૉલેજની નજીકમાં છે જેથી તે સમય પ્રમાણે નોકરી કરતો અને રવિવારે તે અને તેની પત્ની 
દિવ્યાબેન પપ્પા મમ્મીને ઘેર આવી મદદ કરી પોતાની ફરજ બજાવતા હતા.બીજો દીકરો સુરજ ભણીને
ડૉક્ટર થયો અને ચાર વર્ષ હોસ્પિટલમાં કામ કર્યુ અને હવે પોતાનુ દવાખાનુ શરૂ કર્યુ જેમાં સામાન્ય 
રીતે દર્દીઓની સેવા કરતો થયો.દવાખાનાની નજીક નવુ મકાન લીધુ તેની પત્ની જ્યોતિબેન દવાખાનાની
ઓફીસમાં કામ કરી મદદ કરતી હતી. તેમનો ત્રીજો દીકરો દીપક એંન્જીનીયર થયો એટલે તે તેની લાયકાત
પ્રમાણે એંન્જીનીયરીગ કંપનીમાં ઘણી સારી નોકરી મળી ગઈ સાથે તેની પત્ની કામિનીને પણ ત્યાં નોકરી
મળતા ઘણી સારી આવક થઈ અને સારૂ કામ પણ મળી ગયુ.સમય તો કોઈથી છુટે નહી તેની સાથે
ચાલવાથી વડીલોના આશિર્વાદ અને ભગવાનની કૃપા થતા જીવનમાં શાંંતિ અને યોગ્ય માણસોનો સંગાથ મળે.
    તમે જુઓ કે રમેશભાઇએ તેમના જીવનમાં સાચી અને નિર્મળરાહ લીધી તો પત્ની સાધનાબેનનો સાથ
મળતા જીવનમાં પવિત્રરાહ સહિત પરમાત્માનો પ્રેમ પણ મળ્યો જે પવિત્ર જીવોને સંતાન તરીકે આપ્યા.
પાંચે સંતાનોને ભણતરની પાવન રાહ મળતા યોગ્ય લાયકાત મળતા માબાપને ઘણો જ આનંદ થયો.
આજે તમે જુઓ કે તેમની દીકરી માલિની લગ્ન પછી તેના પતિની સાથે અમેરીકામાં ગઈ ને તેના વરને
લાયકાતને કારણે ઇન્ડીયન કોન્સોલેટની ઓફીસમાં નોકરી મળી ગઈ જેને કારણે કોઇ જ જવાબદારી નહીં
અને કોઇપણ વ્યક્તિને તે કાયદેસર મદદ કરતાં માલિનીના પપ્પાને પણ અમેરીકા આવવામાં પણ કાયદેસર
હકક આપી અહીં બોલાવ્યા એટલે રમેશભાઈને અમેરીકા આવવામાં કોઇ જ તકલીફ પડી નહીં.તેઓ 
અમેરીકા તેમની દીકરી માલીનીને ત્યાં આવ્યા તેમને ખુબજ આનંદ થયો.કારણ માલીની પહેલી દીકરી
તોરલતો સ્કુલમાં ભણવા જતી હતી ને બીજુ સંતાન દીકરો આવ્યો એનુ નામ વિર રાખ્યુ.બંન્ને બાળકો
દરરોજ સવારમાં મમ્મી પપ્પા ધરમાં મંદીરમા જલાસાંઇની પુંજા કરતા ત્યારે બંન્ને બાળ્કો સમ યસર આવીને 
પગે લાગતાઽઅ જોઇને રમેશભાઈને ધણો આનંદ થયો અઠવાડિયામાં એક વાર માલિની પપ્પાને ભારત 
ફોન કરી મમ્મી જોડે વાત કરાવતી.
      સમય તો કોઇથી પકડાય નહીં અમેરીકા આવ્યે ચાર મહીના થયા એટલે હવે એક અઠવાડિયા
પછી રમેશભાઈ ભારત પાછા જવાના હતા એટલે તેમણી દીકરી માલિનીએ અને જમાઇ મહેશકુમારે
ઘણી બધી વસ્તુઓ લાવી આપી જે તેમને ભારત લાવવાની હતીં.માલિનીના ઘરની સામે એક અમેરીકન
પરિવાર રહેતો હતો તેઓને આ ભારતીય પરિવાર ગમતો હતો.એટલે જ્યારે રમેશભાઈ ભારત આવવા
માટે તૈયાર થયા તે વખતે તે અમેરીકન પુષ્પગુછ લઈને તેમને ભેટીને આપી ગયા.રમેશભાઇને ખુબ 
આનંદ થયો તેમના ગયા પછી દીકરી માલિની અને જમાઈ મહેશકુમારને ભેંટીને આંખો ભીની થઈ ગઈ.
તેમને ખબર પડી કે આજ કુદરતની કૃપા અને કુદરતનો સંગાથ જે પરમાત્માની કૃપાએ જ મળી ગયો. 
     જ્યારે ભારત પાછા આવ્યા ત્યારે તેમનો દિકરો કેતન અને તેની મમ્મી સાધના પણ સાથે લેવા 
આવી હતી.એરપોર્ટથી બહાર નીકળી કારમાં બેસતા પહેલા પત્ની સાધનાને બાથમાં લઈ બોલ્યા 
તારો પ્રેમ અને સાચી રાહથી સંતાનોને પવિત્રરાહ મળી તે માટે તારો આભાર.પછી તેમને લેવા આવેલ 
દીકરા કેતનને પણ બાથમાં લઈ પ્રેમ આપી વ્હાલ કર્યુ.
==============================================================================

November 14th 2018

जन्म जयंती

------Image result for જલારામ પરિવાર------
.             .जन्म जयंती         

ताः१૪/११/२०१८  (कारतक सुद ७)  प्रदीप ब्रह्मभट्ट 

बार बार दीन ये आये,बार बार में ये गाउ
      तुम्हारे आशिर्वाद,मीले भक्तोको हजारो साल 
             ये मेरी है आरझु,हेप्पी बर्थडे टु यु
हेप्पी बर्थ डे टु पुज्य जलादादा,हेप्पी बर्थडे टु यु
      हेप्पी बर्थ डे फ्रोम प्रदीप ब्रह्मभट्ट
--=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=--
पुज्य जलादादाको जन्मदीनकी याद रूपे ये भेजा है
     ली.प्रदीपका परिवार सहित जय श्रीराम.
=========================================

	
August 14th 2018

જીવનનુ ઝરણુ

.             .જીવનનુ ઝરણુ
તાઃ૧૪/૮/૨૦૧૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

     આજે સોમવારની સવાર થઈ એટલે શનિભાઈ સમયસર ઉઠીને ઘરમાં નાના મંદીરમાં 
ભગવાનને પગે લાગી દીવો અગરબત્તી કરી અને સુર્યદેવને વંદન કરી નીચે દુકાન ખોલવાની 
હતી એટલે તૈયાર થઈ ઉપલા માળેથી પગથીયા ઉતરી નીચે આવ્યા દુકાન ખોલી પગે લાગી 
અંદર આવી દીવો કરી કામકાજ શરૂ કર્યુ.દુકાનના માલિક તેમના ગુજરાતી મિત્ર સંજયભાઈ
છ મહિના પહેલા શરીરની બિમારીને કારણે દવાખાનામાં ઇમરજન્સીમાં દાખલ કર્યા હતા અને
મળેલદેહના જીવનનુ ઝરણુ ક્યારે અટકે તે કોઇને ખબર પડતી નથી.પંદરમા દિવસે હ્રદય બંધ
થઈ ગયુ જેથી સંજયભાઈનુ દવાખાનામાં જ મૃત્યુ થઈ ગયુ.આ બનાવની વાત તેમના પત્ની
નિર્મળાબેને તેમના અંગત મિત્ર શનિભાઈને ફોન કરી જણાવ્યુ કારણકે સંજયભાઈએ બિમારી
વખતે તેમની પત્નીને વાત કરી હતી કે મને કંઇ થાય તો તારે તારી જરૂરત માટે તારા ભાઈ
જેવા મારા અંગતમિત્ર સંજયભાઇને કહેજે તે ચોક્કસ અહીં આવી તને મદદ કરશે.એટલે જ
નિર્મળાબેને પોતાના બંન્ને દીકરાઓને વાત કરી ફોન કર્યો કારણ બંન્ને છોકરા હજુ ભણતા હતા.
અને દુકાનમાં ગ્રાહકો સારા આવતા હતા જેથી ઘરમાં આવક સારી હતી.અને સંજયભાઈએ
પત્નીને કહેલુ કે શનિભાઈનો દીકરો સારુ ભણ્યો એટલે તેની લાયકાતથી કૉલેજમાં પ્રોફેસરની
નોકરી મળી ગઈ.છેલ્લા પાંચ વર્ષથી તેણે તેના પપ્પાને કામઘંધામાંથી નિવૃત કરી દીધા હતા.
અને તેના લગ્ન પણ થઈ ગયા હતા તેની પત્નિ સારૂ ભણેલી અને વેબસાઈટ પર ઘેરથી જ 
કામ કરતી હતી એટલે શનિભાઈને ખુબ શાન્તિ હતી અને દીકરી પણ સારૂ ભણી તો સારા
છોકરા સાથે લગ્ન કરાવ્યુ તે જમાઈ અમેરીકામાં ભણ્યો અને ત્યાં નોકરી પણ મળી ગઈ એટલે
સારી પોઝીસન હતી તેના માબાપને યોગ્ય માહિતી મળતા શનિભાઈને મળ્યા અને તેમના દીકરા 
ની માહિતી આપી કે અમારો દીકરો જીગર અમેરીકાથી લગ્ન માટે બોલાવ્યો છે તો તે આવ્યો
છે.તમારી દીકરી ગોપી સારૂ ભણેલ છે તે બધી માહિતી મને મળી તો અમારી ઇચ્છા છે કે
મારા દીકરાને ભણેલ અને સંસ્કારી પત્ની મળે.એટલે અમે મુંબઇથી તમને મળવા અહીં આવ્યા
કારણ મારા ફોઇના દીકરા મનોહરભાઈ વડોદરા રહે છે તેમના મિત્રની તપાસથી તમારી દીકરીની
માહિતી મળી એટલે અમે મળવા આવ્યા છીએ.ભગવાનની કૃપાએ સમયસર લગ્ન થઈ ગયા અને
કાયદેસર હક્ક મળતા તે અમેરીકા પહોંચી ગઇ.એટલે શનિભાઈને બન્ને સંતાનોથી શાંન્તિ મળી ગઈ.
તેમના દીકરાએ તો ઘણા સમયથી પિતાને નિવૄત કરી દીધા એટલે શનિભાઈ સામાજીક સેવા કરતા
અને દુઃખી વ્યક્તિને મદદ પણ કરતા થઈ ગયા.અને મંદીરમાં જઈને ધાર્મીક કામમાં પણ મદદ કરતા.
સમય જગતમાં કોઇથીય પકડાય નહીં આપણે તેની સાથે ચાલવુ એ આપણી માણસાઈ અને ફરજ છે.
    સંજય અને શનિ બંને સ્કુલમાં અન્ર કોલૅજમાં સાથે ભણતા હતા એટલે સમય સમય પ્રમાણે સાથે
રમતા ભણતા અને આનંદ પણ કરતા.ઘણા વર્ષો પહેલા તે મિત્રના પિતા હિમાલયની નજીક એક નાના
ગામમાં એક સંબંધીની દુકાન ચલાવવા જવુ પડયુ હતુ એટલે તે ત્યાંજ કામ કરતા હતા તેમની પત્ની
સાવિત્રીબેનને શંકર ભગવાન પર ઘણી શ્રધ્ધા અને વિશ્વાસ હતો એટલે તેને તો ઘણો જ આનંદ થયો
અને દીકરા સંજયને પણ સાથે રાખેલ.ઉંમર કોઇથી છુટે નહીં.સોળ વર્ષથી દુકાન સંભાળી ફરજ બજાવી
પિતાજીનુ તબીયત બગડતા અવશાન થયુ એટલે દીકરા સંજયની ફરજ થઈ અને દુકાન ચલાવવાનુ શરૂ
કર્યુ.સંજયભાઇ અને શનિભાઈ સાથે ભણતા હતા એટલે સમય મળતા ફોનથી વાત કરી આનંદ કરતા.
એક દીવસ સંજયભાઇની પત્નિએ તેમના પતિને હાર્ટ એટેક આવ્યો છે અને બી.પી. વધી ગયુ એટલે
તે ઇમરજંસીમાં દાખલ કર્યા છે તેવુ શનિભાઈને ફોનથી જણાવ્યુ.સમાચાર સાંભળી તેમને ઘણુ દુઃખ
થયુ તેમણે તેમની પત્નિને વાત કરી તેને પણ ઘણુ દુઃખ થયુ કારણ શનિભાઈને તે ભાઈ જેવા જ
સમજતી હતી.તેથી પતિની સાથે મંદીર જઈ શંકર ભગવાન અને કૃષ્ણ ભગવાનને દીવો કરી પ્રાર્થના
કરતા હતા.પચીસ દીવસ બાદ રાત્રે સાડા દસ વાગે સંજયભાઈના દીકરાનો ફોન આવ્યો કે કાકા
મારા પપ્પા દવાખાનામાં મૃત્યુ પામ્યા છે અને મમ્મી અત્યારે ખુબ રડે છે એટલે મેં તમને જણાવવા 
ફોન કર્યો છે.સમાચાર સાંભળી શનિભાઈ પણ રડી પડયા દીકરાએ પપ્પાને બાથમાં લઈ કહ્યુ પપ્પા 
જગતમાં કોઇપણ જીવની તાકાત નથી કે એ દેહ જીવ્યા કરે સમયે જીવ દેહ મુકી જતો રહેશે જો
ભગવાનની કૃપા હશે તો જીવને મુક્તિ મળશે ફરી દેહ લેવાની જરૂર નહીં પડે.
    દસ દીવસ માનશીક અશક્તિને કારણે મિત્રને ઘેર ફોન ના કર્યો.શનિભાઈની પત્નીએ ફોનથી
વિનંતી કરીકે નિર્મળાબેન તમારે કોઇ કામની જરૂર હોય તો મારા દીકરાને ફોન કરી જણાવશો
તો તે મદદ કરી શકશે.દશ દિવસ પછી સંજયભાઇના દીકરા મહેશનો ફોન આવ્યો તેણે કાકાને 
ફોનમાં વિનંતી કરી કે કાકા મારા પપ્પાની દુકાન અત્યારે બંધ કરવી પડી છે.કારણ હુ હજુ ભણુ
છુ.તમે થોડા સમય માટે અહી આવી દુકાન ચલાવી મદદ કરો તો અમને રાહત મળે.પછી સમય
આવતા હુ તે ચલાવીશ.આ વાત શનિભાઇએ મંદીર જતા પત્નિને વાત કરી કે સંજયભાઈના દીકરાને
હાલ દુકાન ચલાવવાની તકલીફ છે તેથી મને ત્યાં મદદ કરવા બોલાવે છે તો તને વાંધો ના હોય
તો એક બે વર્ષ તેને દુકાન ચલાવી મદદ કરવા એકલો ત્યાં જઉ.તો સંજયભાઇના દીકરા અને 
નિર્મળાબેનને પરમાત્મા શાંંન્તિ આપે.આ સાંભળી તેમની પત્નિએ કહ્યુ કે તમને ફાવતુ હોય તો તમે
જાવ અને મદદ કરો.બીજે દીવસે સંજયભાઇના દીકરા મહેશને ફોન કરી જણાવ્યુ કે હું પરમદિવસે 
એટલે કે મંગળવારે બપોરે ગાડીમાં આવી જઈશ તો તુ મને રેલ્વે સ્ટેશન પર લેવા આવી જજે. મહેશે 
કહ્યુ સારુ કાકા હુ લેવા આવી જઈશ.
    સોમવારે સવારે શનિભાઇએ સાથે લઈ જવાની બેગ તૈયાર કરી દીધી.સાંજે તેમની દીકરી ગોપીએ
મદદ કરી પપ્પાને રીક્ષામાં રવાના કર્યા.મંગળવારે બપોરે ત્યાં પહોંચી ગયા.તેમના મિત્રનો દીકરો મહેશ
તેમને લેવા આવી ગયો હતો.શનિકાકાને દુરથીજ ઓળખી લીધા નજીક આવી પગે લાગ્યો અને બોલ્યો
કાકા તમારો ધણો આભાર તમે મારા પપ્પાના પરમ મિત્ર છો.ચાલો આપણે રીક્ષામાં બેસી ઘેર જઈએ.
રીક્ષામાં કાકા સાથે વાત કરતા કહે છે કે કાકા મારા પપ્પાને તમારા માટે ઘણોજ પ્રેમ છે મારા ભાઈ
હેમંતને આ વર્ષે ભણતરમાં ડીગ્રી મળી ગઈ એટલે વકીલની ઓફીસમાં નોકરી મળી ગઈ પણ મારે હજુ
છ મહિના કૉલેજમાં ભણવાનુ છે પછી મને ડીગ્રી મળતા નોકરી મળી જશે.એટલે અત્યારે દુકાનની 
તકલીફ જણાતા મમ્મીએ કહ્યુ કે પપ્પાના મિત્ર પણ મારા માટે તો મારા મોટાભાઈ જેવાજ શનિભાઈ છે.
અને તમારો પ્રેમ છે તો તમે સમયસર આવી ગયા.રિક્ષા દુકાન આગળ આવી એટલે મહેશે આંગળી
ચીંધીને કહ્યુ કે આ જે મહાદેવ ગ્રોશરી લખેલ છે તે અમારી દુકાન છે અને ઉપર બે માળનુ મકાન 
દેખાય છે તે અમારુ ઘર છે.રિક્ષામાંથી ઉતરી દુકાનની બાજુના પગથીયા ચડી ઘરનો બેલ માર્યો.
ત્યાંજ નિર્મળાબેને બારણુ ખોલ્યુ અને તરત જ શનિભાઇને પગે લાગી બોલ્યા પધારો મોટાભાઈ બહેન
તમારી રાહ જુએ છે.શનિભાઇ બહેનને વ્હાલ કરી કહે તમે ચિંતા ના કરતા હુ ફરજ બજાવવા આવી
ગયો છુ.એટલામાં મોટો દીકરો હેમંત આવી ગયો અને કાકાને ભેટી પગે લાગ્યો.શનિભાઇને ઘણો
આનંદ થયોંઅહેશે તેમને રહેવાની રુમ બતાવી અને બીજી રુમો પણ બતાવી આ જોઇને શનિભાઇ
ખુબ આનંદ થયો એટલે બોલ્યા કે મને તો એવુ લાગે છે કે આપણે નડીયાદમાં આવી ગયા છીએ.
તમે ભગવાન ભોલેનાથની કૃપા મેળવીને જ પવિત્ર ગંગાની નજીકના ગામમાં આવી ગયા તે બહુજ 
સારુ કહેવાય.
     જગતમાં સમય કોઇથી પકડાય નહીં તમે જુઓ કે શનિભાઇ અહીં આવી તેમના મિત્રની
દુકાન ચલાવતા થયા.એક દિવસ સવારમાં એક ગ્રાહક આવ્યા શનિભાઇને જોઇ બોલ્યા તમે તો
ગુજરાતી જેવા દેખાવ છો,શુ તમે ગુજરાતી છો.શનિભાઈ કહે હા ભાઇ હુ ગુજરાતી અને મારુ નામ
શનિભાઇ શંકરભાઈ મહેતા છે હુ નડીયાદનો છુ.તમારુ નામ. મારુ નામ નંદીભાઇ ભગવાનદાસ રાવલ
અને હુ સુરતનો છુ અને મહીના માટે મારી દીકરીને ત્યાં આવ્યો છુ.તમને મળીને ધણો આનંદ થયો.
આપણો જીવ બહુ નશીબદાર કહેવાય કારણ દુનીયામાં ભારત જ પવિત્રભુમી છે.તેની સાબિતી એ છે
કે આ ધરતીપર ભગવાને પવિત્રદેહ લીધા છે જેમાં શ્રીશંકરભાઇ,શ્રીવિષ્ણુભાઈ,શ્રીરામભાઇ,શ્રીકૃષ્ણભાઇ,
શ્રીમતી પાર્વતીબેન,શ્રીમતી લક્ષ્મીબેન,શ્રીમતી સીતાબેન,શ્રીમતી રાધાબેન આ પવિત્ર જીવો જેણે ભારત
દેશમાં દેહ લીધો અને માનવીને પવિત્ર જીવન જીવવાની રાહ બતાવી દેહ મુકી વિદાય લીધી છે.એટલે
દેહ લીધો તેને મૃત્યુ મલે જ તે પવિત્ર સાચી વાત છે.એટલે મહત્વની વાત એ છે કે મળેલ દેહનુ જીવનનુ
ઝરણુ કઇ રીતે વહે છે.
==============================================================================
August 30th 2016

સમયની સાંકળ

                          સમયની સાંકળ  

  saakaLa      

 તાઃ૨૨/૭/૨૦૧૬                           લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન)

         પેટલાદ તાલુકાના નાર ગામના મુખી શ્રી મોહનલાલની આજે ૯૪ વર્ષની ઉંમર થઈ તો પણ તેઓ દરરોજ  સંત પુજ્ય જલારામબાપા અને સાંઈબાબાના મંદીરે ચાલીને જાય છે. હા હાથમાં લાકડી રાખવી પડે છે. આજ પરમાત્માની કૃપા અને માતાનો પ્રેમ જે સતત મળ્યો છે અને તે પ્રત્યક્ષ દેખાય છે. તેમની પત્ની મણીબેન પણ સારી રીતે જીવી રહ્યા છે  તેમની ઉંમર પણ  આજે ૯૧ વર્ષની થઈ. તેમને ત્રણ સંતાન હતા.મોટા દીકરા વિનોદે ગામમાં ગ્રોસરીની દુકાન કરી હતી બીજી દીકરી સરસ્વતી ભણતરની લાઈન પર ચાલી હતી અને નાનો દીકરો રાહુલ એન્જીનીયરનુ ભણ્યો હતો. આમ તેમના જીવનમાં પ્રભુ કૃપાએ શાંન્તિ મળી ગઈ હતી.

ત્રણેય સંતાન પરમાત્માની કૃપાએ ઉજ્વળ જીવન જીવી રહ્યા હતા જીવનમાં સંસ્કાર અને સંબંધ સાચવી રહેલા જોઇ માબાપને ખુબજ સંતોષ હતો. મોટા દીકરાએ ભણતર સાચવેલ પણ માબાપની સાથે રહીને જીવાય અને તેમની સેવા થાય તો સમાજમાં પણ માન સંન્માન સચવાય. તેના લગ્ન પણ પિતાના એક જુના મિત્ર જે હાલ વડોદરા રહે છે તેમના નાના ભાઈ છગનભાઈની દીકરી  નિર્મળાની સાથે થયા અને તે પણ અહીં સાસુ સસરાની સેવા કરી પવિત્રરાહ જીવી રહી છે. મોહનલાલને અને મણીબેનને પોતાના સંતાનના વર્તનથી ખુબજ શાંન્તિ હતી અને એટલે  તેમને શરીરની આવકની કે કોઇ માગણીની જરૂર પણ પડતી ન હતી. એજ તેમની નિર્મળ અને સાચી ભક્તિનુ ફળ મળ્યુ છે. નાનો દીકરો રાહુલ પણ સારા ભણતરને કારણે આણંદમાં સરકારના બાંધકામમાં નોકરી મળી જતાં મનને અને માબાપને શાંન્તિ મળી ગઈ હતી.

મળેલ જીવનની જ્યોત ક્યારે પ્રગટે કે જ્યારે સમયની સાથે ચાલી તન અને મનથી મહેનત કરતા પરમાત્માની કૃપા થાય અને તેનો અનુભવ થાય.માબાપને ત્યારે શાંન્તિ મળે કે જ્યારે સંતાન સાચા માર્ગે ચાલે. મોહનલાલની દીકરી તેને મળેલ નામને સાર્થક કરી જીવનની જ્યોત પ્રગટાવી રહી હતી. તેને ભણતરને કારણે ઓફીસમાં કામ મળતા  સરકારી કચેરીમાં કામ કરતી હતી. સમય આવતા મમ્મી મણીબેનના કાકાના સાસરી પક્ષના સગામાં એક દીકરો રાકેશ જે ભણતરનો ઉપયોગ કરી અમેરીકાની કંપનીમાં ઓફીસમાં તક મળતા અમેરીકા આવી ગયો હતો અને પરમાત્માની કૃપાએ તેના માબાપને ત્યાં બોલાવી લીધા હતા. તો તેઓની સામેથી લગ્ન માટેની વાત કરી અને સમય પ્રમાણે  દીકરી સરસ્વતીના લગ્ન પણ થઈ ગયા. લગ્નના ત્રણ વર્ષ પછી તે અમેરીકા આવી ગઈ. શરૂઆતમાં તેને થોડી મહેનત કરવી પડી પણ બે વર્ષ અમેરીકામાં ભણતર કરતા તેને ઓફીસમાં જ નોકરી મળી ગઈ. સમયસર સવારે ઉઠી નાહી ધોઇ ભગવાનની સેવા કરી ચા નાસ્તો તૈયાર કરી અને નોકરીએ જવા નીકળી જતી હતી. તેના વર્તનથી રાકેશને પણ શાંન્તિ હતી.  અમેરીકામાં કાયમ કોઈને મળાય નહીં ક્યાં તો કોઇ પ્રસંગમાં કે પછી મંદીરમાં શનિ અને રવિવારે જઈ આપણા દેશીઓને મળાય નહીં તો આદેશમાં કોઇની પાસે સમય નથી. એક વખત રાકેશના મિત્રનો જન્મ દીવસ હતો તો તે નિમિત્તે પાર્ટી રાખી હતી.તો આમંત્રણ મળતા મમ્મી પપ્પા અને સરસ્વતીને લઈ તેને ત્યાં જવાનુ હતુ. તો સરસ્વતીને તેના સાસુ કહે આજે આપણે પ્રસંગમાં જવાનુ છે તો તુ અમેરીકામાં છુ તો પેન્ટ પહેરી સાથે આવજે નહીં તો અમારુ ખરાબ દેખાશે. સરસ્વતીને ખોટુ લાગ્યુ કારણ તેણે કદી પેન્ટ કે શર્ટ પહેર્યા ન હતા.એક સ્ત્રી તરીકે સંસ્કાર સાચવી જલાસાંઇની કૃપાથી પવિત્ર જીવન જીવી રહી હતી. તેણે સ્ત્રીના કપડા જ પહેર્યા મોં પર લીપ્સ્ટીક કે લાલી પણ ન હતી કરી,હા કપાળે ચાંલ્લો કરીને જ સંસ્કાર સાચવ્યા.તેણે સાસુ સસરાની ખોટી અપેક્ષાની વાત તેના પતિને ના કહી પોતાના મોંને બંધ રાખ્યુ. જન્મદીન નિમિત્તે કૅક કાપ્યા બાદ નાસ્તાના સમયે ચા નાસ્તો અને અમેરીકાને કારણે બીયર અને મીટ પણ મુકવામાં આવ્યુ. બધા હેપ્પી બર્થડે બોલ્યા બાદ નાસ્તો કરવા બેઠા રાકેશના પપ્પા પણ બીયર પીવા બેઠા સરસ્વતી કાંઇજ બોલ્યા વગર રાકેશની સાથે જ બેઠી.રાકેશે તેના પપ્પાને દારૂ પિતા જોયા તેને દુઃખ થયુ પણ સરસ્વતીએ મોં પર આંગળી રાખી તેને બતાવ્યુ કે કાંઇજ બોલવુ નહીં નહીં તો તેના માબાપ વધારે હોશિયારી મારશે. કારણ આ ભારત નથી આતો અમેરીકા દેશ છે જે દુનીયામાં દેખાવને પ્રસરાવી રહેલ છે.

સમયની ગાડી ધીમે ધીમે ચાલતી હોય છે પણ આપણે પરમાત્માની કૃપા મેળવી જીવન જીવીએ તો શાંન્તિ મળે વડીલોના આશિર્વાદ મળે અને યોગ્ય સાથ પણ મળે. સરસ્વતીના કાકાના  દીકરાની દીકરીનુ લગ્ન હતુ. ભારતથી સમયસર કંકોત્રી આવતા રાકેશ અને સરસ્વતી લગ્ન માટે આવવાના હતા. નોકરી પર રજા મુકી બંન્ને એક મહીના માટે ભારત આવવાની ગોઠવણ કરી.તેના મમ્મી પપ્પા રાકેશને કહે કે ત્યાં પ્રસંગમાં યોગ્ય રીતે બધુ કરજે જેમાં આપણુ ખરાબ ના દેખાય તે ધ્યાન રાખજે.રાકેશ અને સરસ્વતી તેના બંન્ને સંતાનને અહીં રાખી અને ભારત જવા નીકળ્યા તેમને એક દીકરો અને એક દીકરી હતી.દીકરો મનોજ કૉલેજના પહેલા વર્ષમાં હતો અને દીકરી સ્મીતા દશમા ધોરણમાં હતી અને તેમની સ્કુલો ચાલુ હતી એટલે આ બંન્ને એકલા ગયા.લગ્નના બે દીવસ પહેલા સરસ્વતીના કાકાએ ઘેર જમવા બોલાવ્યા સરસ્વતીને લાડવા અને જલેબી બહું જ ભાવે તેથી કાકાએ આ ગોઠવણ કરી હતી. પપ્પા મમ્મી સાથે આ બંન્ને કાકાને ત્યાં ગયા.ઘરમાં પેસતા જ કાકા કાકીને બંન્ને પગે લાગ્યા.કાકા કાકી બહું જ ખુશ થયા કારણ અમેરીકાથી આવેલ આ રીતે સંસ્કાર સાચવે તેથી ઘણો જ આનંદ થયો  અને પ્રેમથી બાથમાં લઈ આશિર્વાદ આપ્યા.ઘણોજ સુંદર પ્રસંગ ગયો.કાકાએ સરસ્વતીને કાંઇ કહે તે પહેલા મોં પર હાથ રાખી કાકાને કહે બોલશો નહીં આ જે કાંઇ છે તે વડીલોના આશિર્વાદ અને જલાસાંઇની કૃપા જ છે.  લગ્ન પ્રસંગે સરસ્વતીએ દીકરીને સોનાની ચેઇન આપી અને તેના પતિએ જમાઈને ઘડીયાર આપ્યુ અને એક હજાર રૂપીયા ભેંટ આપ્યા.ત્યારે કાકા કહે બેટા આટ્લુ બધુ ના હોય ત્યારે ત્યારે સરસ્વતી ફરી મોં પર હાથમુકી કહે કાકા બોલશો નહીં આતો પ્રેમ અને પ્રસંગ છે.

 

——————————————————————————-

June 12th 2015

તમે એવા ને એવા રહ્યા

જય જલારામ                  તમે એવા ને એવા રહ્યા

    તાઃ૧૨/૬/૨૦૧૫                                            …પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના ના મનુભાઈ વાત એમ છે કે આજથી પચાસ વર્ષ પહેલા આપણે જ્યારે નિશાળમાં ભણતા હતા ત્યારે મને યાદ છે કે તમે મને ભણતર તરફ દોર્યો હતો જેથી આજે હું તન અને મનથી શાંન્તિ મેળવી આનંદ માણી રહ્યો છુ.તમે પણ સાચી રાહ લીધી હતી.તમારા પિતા ઘોડાગાડી ચલાવતા હતા તે રાહથી તમે ભણીને વકીલ થયા જેથી તમારા પિતાજીને ખુબ શાંન્તિ મળી .જીવનમાં સાચી રાહ એ પરમાત્માની કૃપા અને સારા મિત્રોનો પ્રેમ જ આગળ લઈ જાય છે.મારૂ તારૂની માગણીમાં એ સમાતુજ નથી. તમારા પત્નિ ગંગાબેને પણ જીવનમાં મહેનત કરી હતી એના ફળ રૂપે તમે જુઓ કે તમારા સંતાનો પણ મહેનત કરી પવિત્રરાહ જીવી રહ્યા છે. તમારો મોટો દીકરો ભાવેશ આજે અમેરીકામાં પણ સારી નોકરી કરી રહ્યો છે.તમારો આલોક તો અત્યારે પણ સવારે મને જુએ કે તરત જ  જય જલારામ જય સાંઈરામ બોલી હાથ જોડી નમન કરી જાય છે.આ બધુ જોઇ મને ઘણો આનંદ થાય છે.

આ સાંભળી મનુભાઈ હરીહરભાઈને કહે છે કે સાચી શ્રધ્ધાએ ભક્તિ કરીએ તો કૃપા થાય પણ કર્મના બંધન અને સમયની જ્યોત એતો સમજી વિચારી જીવીએ તોજ પકડી રખાય નહીં તો જગતમાં કોઈનેય ખબર નથી કે પોતાનુ કુળ કેવી રીતે આગળ વધી રહ્યું છે.તમે જુઓ કે તમારો દીકરો અલખ પરણ્યા પછી પણ તમારી સાથે રહે છે અને તેની વહુ જ્યોતિ પણ તમારી સેવા કરે છે. મારા દીકરાના નશીબમાં નહીં હોય તેથી તેને અમેરીકા જતા રહેવુ પડ્યુ અને પોતાની જીંદગી જીવી રહ્યો છે.આતો કર્મના સંબંધ છે. જુઓને તમારો બીજો દીકરો રાઘવ પણ પરણી ગયો અને તેની વહુ પ્રીતિને પણ સરકારી નોકરી મળતા વડોદરામાં રહેવા ચાલી ગયા આતો સમયની વાત છે. મારા જીવનમાં મેં કદી કોઇને દુઃખ નથી આપ્યું કે નથી કદી કોઇને ઉંધા માર્ગે જવાનુ બતાવ્યુ. કારણ મારા કરેલા કર્મજ મને સાથ આપશે તેનો મને ખ્યાલ છે.આપણે સાથે બેઠા છીએ કારણ આપણે ગયા જન્મનું બંધન છે જે વાતચીત કરાવી શાંન્તિ આપે છે. ચાલો તો આજની વાતને અહીં અટકાવીએ.કારણ હું મારા દીકરાને ત્યાં વડોદરા રહુ છુ. પણ આજે આપણા નસીબમાં હશે તો હું મારા ફોઇના નાના દીકરાને ત્યાં તેની બેબીનો ચાંલ્લાનો પ્રસંગ હતો એટલે આવ્યો હતો તો વળી મને જુની યાદ આવતા અહીં આવ્યો ને આપણે મળ્યા.આ મને લેવા આવે છે એ મારા ફોઇનો દીકરો રાજુ છે.રાજુ આ મારા જુના મિત્ર છે આજે તારે ત્યાં આવ્યો તો મને વર્ષો પછી મળ્યા.નમસ્તે કાકા એમ રાજુ બોલ્યો. હરિહરભાઈ કહે મનુભાઈ હું અહીંયાં ત્રણ દીવસ રહેવાનો છુ.તો કાલે આપણે સાંજે અહીં મળીશુ.ચાલો હુ જાઉ છુ.જય જલારામ. મનુભાઈ આમ તો સાંજે પાંચ વાગે આ બાગમાંથી ઘેર જવા નીકળે.પણ આજે તેમના જુના મિત્ર હરિહરભાઈ સાડા ચાર વાગે જતા રહ્યા ત્યારે તે એકલા પડી ગયા પણ તે વખતે તેમને ઘણા સમય બાદ મળેલ જુના મિત્રની ભુતકાળ યાદ આવતા વિચારવા લાગ્યા કે આ પરમાત્માની અજબ લીલા છે મને તો ખ્યાલ પણ ન હતો કે આજે હરિહરભાઈ આવીને મળશે. કર્મની લીલા તો કુદરતની કૃપાએજ મળી જાય.અને વિચારવા લાગ્યા કે સંતાનને સાચીરાહ એ માબાપના આશિર્વાદથી જ મળે.જ્યારે કળીયુગની કેડી મળે ત્યાં નાકોઇ વડીલની કે માબાપની કૃપા મળે. એ સંતાનના વર્તનથી દુર રહેવા માબાપ ભગવાનને પ્રાર્થના કરે.આમ વિચારના વાદળમાં સાંજના સાડા છ થઈ ગયા.ત્યાં સફાઈ કરનાર આવ્યા ત્યારે ત્યાંથી ઉઠી ઘેર જવા નીકળ્યા.મનના વિચારોમાં સમયનો ખ્યાલ પણ ના રહ્યો.ઘેર પહોચ્યા ત્યારે તેમના પત્નિ ગંગાબેન કહેવા લાગ્યા કે આજે તમે મોડા કેમ આવ્યા? તમે કોઇ કામમાં રોકાયા હતા કે કોઇને મળવા ગયા હતા.ત્યારે તેમણે કહ્યુ કે આજે મારા બહુ જુના મિત્ર આવ્યા હતા મને મળ્યા એટલે જુની યાદો આવી એટલે મોડુ થયુ. અમે સાથે ભણતા હતા ત્યારે જે રીતે મને પ્રેમ કરતા હતા તેજ નિખાલસ પ્રેમ અત્યારે પણ તેમની વાતો પરથી મને લાગ્યુ કે હરિહરભાઈ પહેલા નાના હતા તે વખતે જેવા હતા એવાને એવા આજે પણ રહ્યા છે. તું વિચારકર કે ભગવાનની કેટલી અસીમકૃપા છેકે તેમના સંતાનો પણ તેમને અનુસરે છે.એજ સાચી શ્રધ્ધા અને ભક્તિ છે જેનુ ફળ તેઓને પરમાત્મા આપે છે. અત્યારે મારા મગજમાં થોડી ચિંતા છે એટલે હું સુવા જાઉ છું.કાલે કદાચ મારા મિત્ર અહીં મળવા આવશે.ત્યારે થોડી વાતચીત કરી મગજ થોડુ હળવુ કરીશ જય જલારામ.

બીજા દિવસે સવારમાં મનુભાઈ સાત વાગે પણ ઉંઘતા હતા તેથી તેમના પત્નિ તેમને ઉઠાડવા ગયા તેમને ઉંઘતા જોઇ કહે,આજે તમે કેમ હજુ ઉઠ્યા નથી? સાત તો વાગી ગયા તમે તો સવારે છ વાગે ઉઠી જાવ છો. અચાનક અવાજ સાંભળ્યો એટલે જાગી ગયા અને બોલ્યા મને રાત્રે બરાબર ઉંઘ નથી આવી વિચારોના વમળમાં રાત પસાર થઈ. જીવનમાં જ્યારે અટકળોનો ભાર હોય ત્યારે કેવી રીતે બચવુ મને કાંઇ સમજ પડતી નથી. અત્યારે કશોય વિચાર કર્યા વગર નાહી ધોઈ સેવા પુંજા કરો નહીં તો મોડુ થશે.

સમય તો કોઇથી રોકાતો નથી.પણ કદાચ સમયને સમજીને જો ચાલો તો જીવનમાં રાહત  રહે અને ભુતકાળને યાદ ન કરતા ભુલી જવાથી શાંન્તિ મળે.મનુભાઈની પણ એજ હાલત થઈ છે. સંતાનોને જીવનમાં શાંન્તિ મળે અને પરમાત્માની કૃપા થાય તે ભાવના રાખી સંત જલાબાપા અને સંત સાંઈબાબાની ભક્તિ ઘરમાં પણ શ્રધ્ધાથી કરી રહ્યા છે. જીવનમાં શાંન્તિના વાદળ હાલ ફરી રહ્યા છે તેમ લાગે છે અત્યારે અમુક પ્રસંગો જે ભુલવાની ઈચ્છા રાખે છે તે બહુ ઓછા યાદ આવે છે.પણ જ્યારે હરિહરભાઈને મળ્યા ત્યાર બાદ તેમને થોડો ભુતકાળ યાદ આવ્યો.

મનુભાઈ અને ગંગાબેનને આજથી થોડા વર્ષ પહેલા તેમના દીકરા ભાવેશને ત્યાં અમેરીકા જવાનું થયુ.ભાવેશનો દીકરો નિરજ ભણવામાં ઘણા માર્ક્સ સાથે કૉલેજમાં બીજા વર્ષે પ્રથમ આવ્યો તેથી તેને કૉલેજ તરફથી બેસ્ટ સ્ટુડન્ટ તરીકે સન્માન જાહેરમાં આપવાનુ હતું.તો ભાવેશે માતાપિતાને પ્રસંગમાં પધારવા ટિકીટ મોકલી એટલે ત્યાં ગયા.પહેલી વખત ભાવેશને ત્યાં જવાનુ થયુ એટલે જે સગવડ હતી તે પ્રમાણે વસ્તુઓ લઈને ગયા હતા.ભાવેશ અને તેની પત્નિ લીલાએ જ્યારે એ બધુ જોયુ ત્યારે કહે તમારે આ કાંઈ લાવવાની કોઈજ જરૂર ન હતી,અહીં કોઇ તેનુ ધ્યાન આપતુ નથી.આ સાંભળતા મનુભાઈ અને ગંગાબેન વિચારવા લાગ્યા કે આ છોકરાની વહુ આવુ કેમ બોલે છે.આમ વિચારી રૂમમાં બેઠા હતા.મનુભાઈને તરસ લાગી તો તેમની પત્નિને કહે રસોડામાં જઈને જરા પાણી લઈ આવને. ગંગાબેન પાણી લેવા રસોડામાં ગયા તો ભાવેશ અને તેની વહુ રસોડામાં ખાવા બેઠા હતા.ગંગાબેનને કંઈક સુગંધ આવી એટલે ટેબલ નજીક ગયા.તો તેમનો દીકરો અને વહુ  ચીકન અને શરાબ પીતા ખાતા હતા.ગંગાબેને રૂમમાં જઈ બારણુ બંધ કરી મોં પર આંગળી મુકીને પતિને કહે તમે રસોડામાં નાજશો કારણ આપણો છોકરો ને વહુ રસોડામાં દારૂ અને માંસ ખાય છે.હવે આપણાથી અહીં ફરી ના અવાય. અને આમ મગજના ભારથી બંન્ને સુઈ ગયા.

બીજે દીવસે સવારે તેઓ ઉઠ્યા ન હતા એટલે ભાવેશે બારણુ ખખડાવી કહ્યુ પપ્પા હું અને  લીલા નોકરી પર જઈએ છીએ.સાંજે આવીશું.એમ કહી બંન્ને પોતપોતાની ગાડી લઈને નીકળી ગયા. મનુભાઈ અને ગંગા બહેન જાગીને પોતાનુ કામ કરી રૂમમાં બેસી અને ભગવાનની ચોપડી વાંચતા હતા.નોકરીએથી ભાવેશ પહેલો આવી ગયો.લીલા સાંજે મોડી આવે.

એક દીવસ ભાવેશને મનુભાઈ કહે બેટા તું ક્યાં નોકરી કરે છે? ભાવેશ કહે મારા મિત્રની બીયરની દુકાન છે તેમાં હું રજીસ્ટર પર કામ કરુ છું.ગંગાબેન કહે અને તારી વહુ ક્યાં નોકરી કરે છે?મમ્મી એ મોટા ગ્રોસરી સ્ટોરમાં કીચનમાં કામ કરે છે.આ સાંભળી મનુભાઈ અને ગંગાબેન સ્તબ્ધ થઈ ગયા.બંન્ને ચુપ થઈ ગયા. સમય થતા બંન્ને પોતાની સુવાની રૂમમાં આવી ગયા. બીજે દીવસે શનિવારે સવારમાં સાથે બેસી નાસ્તો કરતા હતા તે વખતે ગંગાબા પૌત્ર નિરજને કહે બેટા દાદાને એક વખત તારા પપ્પાની નોકરીની જગ્યા તો બતાવ અને પછી એક દીવસ તારી મમ્મીની નોકરી પણ બતાવજે. આમ કહી પછી રૂમમાં જઈને બેઠા તો થોડી વાર પછી તેમની રૂમમાં જઈ નિરજ કહે બા આ શનીવારે હું તમને લઈ જઈશ.તમે પપ્પા મમ્મીને ને કહેશો નહીં.

આમ સમય પસાર કરતા કરતા બીજો શનિવાર આવી ગયો બપોરે બે વાગે નિરજ તેમની રૂમમાં  આવી કહે,દાદા બા તમે તૈયાર થઈ જાવ હું તમને પપ્પાની દુકાને લઈ જાઉ.બંન્ને તૈયાર થઈ ગયા નિરજ તેમને ગાડીમાં લઈ દુકાને પહોંચ્યો દુકાનનું નામ ‘ગોલ્ડન બીયર’ હતુ.બહારથી જોઇનેજ માબાપ સ્તબ્ધ થઈ ગયા અંદર પેસતા બધા ટેબલો પર કસ્ટમરો  દારૂ પિતા હતા અને માંસ ખાતા હતા. દાદા નિરજને કહે બેટા ચાલ આપણે તારા મમ્મીને મળવા જઈએ. ત્યાંથી બા દાદાને લઈ નિરજ મોટા ગ્રોસરી સ્ટોરમાં આવ્યો.સ્ટોરમાં છેક અંદર આવ્યા ત્યાં લીલા મોઢુ બાંધી ગ્રાહકને માંસ કાપીને આપતી હતી.મનુભાઈ કે ગંગાબેનને ઓળખણ ના પડી ત્યારે નીરજે આંગળી ચીંધી મમ્મી પેલી રહી.ત્યાંજ બંન્નેને આશ્ચર્ય થયુ આ કઈ જાતની જીંદગી ભાવેશ અને લીલા જીવી રહ્યા છે.ઘણા દુઃખ સાથે તેઓ નિરજ સાથે ઘેર આવ્યા. બીજે દીવસે ભાવેશને રજા હતી.તેથી તે થોડો મોડો ઉઠી ચા નાસ્તો કરવા બેઠો હતો તે વખતે મનુભાઈ અને ગંગાબેન ત્યાં આવીને બેઠા.મનુભાઈ કહે બેટા તુ તો ભારતમાં એન્જીનીયરનુ ભણેલ અને નોકરી પણ કરતો હતો. તો અહીં આવી નોકરી ક્યાંથી કરે છે. ત્યારે ભાવેશ કહે પપ્પા આપણા ભણતરની અહીં કોઇ જ કીંમત નથી.અહીં તમને કોઇ પણ સારી નોકરી નામળે કારણ આ દેશમાં લોકોને ખબર છેકે એક ભારતીય છ અમેરીકનનુ કામ કરી શકે છે. ઇમાનદારીથી મહેનત કરે તેથી સફળતા મળે જ.એટલે અહીં નોકરની નોકરી કરવી પડે.

સમય તો જતો રહ્યો આજે અમેરીકાથી પાછા આવ્યાને પાંચ વર્ષ થયા પણ મન યાદ તો કરે કારણ પોતાના સંતાનનુ વર્તન અને જીવન તેમને દુ”ખ આપી રહ્યુ છે .આ બધુ અત્યારે તો યાદગીરી જ છે જે યાદ કરતા ખુબ દુ”ખ થાય પણ છતાં જ્યારે યાદ આવે ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની કે મોહમાયાથી મુક્તિ આપી આપણને મળેલ સંસ્કાર સાચવી માબાપે આપેલ ભક્તિને પકડી આપણે એવાને એવા રહી જીવન જીવીએ એજ પ્રાર્થના.

==========================================================

December 8th 2013

સત્યની કેડી

.                  સત્યની કેડી                       

તાઃ૮/૧૨/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સપનાને સાકાર થતુ  ભાજપ જુએ છે ભઈ
.             ચુંટણીના પરિણામથી આનંદ મળે છે અહીં
પકડી ડૉકી કોંગ્રેસની અંતે રાહ સાચી મળી ગઈ
.       ભારતની ગુલામી સાલ ૨૦૧૪થી બદલાઇ ગઈ
.                                એટલે જ
હરખે છે ગુજરાતીઓ અહીં ભાજપની લપડાક જોઇ
.            વર્ષો વર્ષથી કોંગ્રેસ પ્રજાને લુંટી રહીતી તહીં
ઉંમર વધેલી તોય સત્તા પર બેસી રાજ કરતા ભઈ
.         નાંણા તરફ નજર રાખીને ખુરશી દેતા સૌ જઈ
.                               એટલે જ
કુદરતે અંતે સાચી લાફત મારીને હરાવી દીધા ત્યાં જઇ.

=================================

 

 

July 11th 2013

અમેરીકામાં શું મળે?

.                    . અમેરીકામાં શું મળે?        

તાઃ૧૧/૭/૨૦૧૩                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

*    અમેરીકામાં આવતાં સૌ પ્રથમ તમને દેખાવ મળે.દેખાવમાં કપડાં અને
સૌદર્યને વધુ મહત્વ અપાય છે એટલે તમને ખર્ચો મળે.

*     આપણે મેળવેલ ભણતરની અહીં આવતા કોઇ જ કદર નથી એટલે અહીં
આવતા બેકારી મળે અને મજુરીની નોકરી સ્વીકારવી જ પડે.

*     અહીંયા કોઇપણ નોકરી માટે અરજી કરતાં બીજો પ્રશ્ન તમારી ઉંમરનો હોય
છે એટલે અમેરીકામાં રીટાયર્ડની જવાબદારી કંપની લેવા તૈયાર નથી અને
સાતમો પ્રશ્ન એ હોય છે કે તમે મુળ ક્યાંથી આવ્યા છો કારણ અમેરીકનને ખબર
છે કે  એક ભારતીય છ અમેરીકનનું કામ એકલો મહેનતથી કરી શકે છે જે તેને
ગળથુથીમાં મહેનત મળી છે એટલે નોકરી ના આપે.

*      અમેરીકાના નાગરીક થવાના હક્કથી આવો એટલે તમને કોઇપણ મોટી
કંપનીમાં રાત્રે કે દીવસે માલ ગોઠવવાની કે ગ્રાહકોને મદદ કરવાની કે લારીયો
ખેંચવાની નોકરી તરત મળે કારણ આપણા જ લોકો તેમાં કામ કરતા હોય છે અને
અમેરીકામાં તેમને આ કામ માટે જરૂર હોય છે જ.

*         અમેરીકામાં ડૉકટરના થોડા ભણતરથી તમને તક મળે. આ દેશમાં સૌથી
વધારે શાંન્તિ તેમને છે કારણ અહીંયા ગેસ અને ઇલેક્ટ્રીસીટીના હવામાનમાં સૌથી
વધારે પ્રદુષણ થાય છે કાર સેટેલાઇટ અને ફોન એ સૌથી વધારે દુષણ પેદા કરે છે
જેથી હાડકા ચામડી અને શરીર ના સ્વાસ્થ્યની ખુબજ તકલીફો થાય છે અને તેથી
ડૉકટર પૈસા કમાય છે અને તેનુ મુળ એ વિમાની જરૂરીયાત જે દર્દીના પૈસા વિમા
કંપની તમારા ઇન્સ્યોરન્સમાંથી આપે છે. એટલે દેશમાં ડૉકટર અને વિમા કંપની
સધ્ધર છે.

*           આ દેશમાં કોઇને આપણે સાચા દીલથી પોતે નુકશાન ભોગવીને પણ મદદ
કરીએ તો ફક્ત  થેંક્યુ  કહી નીકળી જાય અને આપણે જરૂર પડે તો દેખાય પણ નહીં
એટલે આપણને નિરાશા મળે અને દુઃખ પણ થાય.આ દેશમાં શબ્દ સિવાય કશું જ
નથી મળતું.

*            અમેરીકામાં લાકડાના જ ઘર હોય છે કારણ ઝાડ તો કુદરતની દેન છે એટલે
કે તે મફત મળે અને બીજી વાત એ કે અહીં હવામાનનો કોઇ ભરોસો નહીં એટલે ઘરમાં
ઠંડી અને ગરમી માટે ઇલેક્ટ્રીક વપરાય એટલે ખોટા ખર્ચા મળે.

*            અમેરીકાના દેખાવથી રંગાયેલ સંતાન માબાપને અહીંયા બોલાવે થોડો સમય
પોતાની સાથે રાખે અને પછી જીભનો ઉપયોગ કરી તેમને ઘરડા ઘરમાં મુકી તેમના
સરકારથી મળતા પૈસાથી લહેર કરે અને ફાધર ડે અને મધર ડેના દીવસે દેખાવથી
બોલાવી માબાપની લાગણી મેળવવા પ્રયત્ન કરે છે પણ તેમને હાય લાગે છે. છતાં
માબાપ ભારત જાય તો સંતાન માટે કદી ખરાબ બોલતા નથી જે તેમના સંસ્કાર છે.

*        અમેરીકામાં આવતાં ઉપરની વાતો ઘણી વિચારી અને સહન કરવાની તૈયારી
સહિત પગ મુકવો. આ દેશમાં એક જ વાત અગત્યની છે કે આ દેશમાં ભણતરમાં અનીતિ
નથી એટલે આદેશમાં સાચા દિલથી મહેનત કરીને સંતાન લાયકાત મેળવે તો દુનીયામાં
તે સારૂ કમાઇ શકે. જ્યારે બીજા દેશોમાં ભણતરમાં અનીતિ જોવા મળે છે.

====ઉપરોક્ત લખાણ એ અમારો અનુભવ છે અને તેમાં શંકાને કોઇજ સ્થાન નથી.====

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

January 24th 2013

સંસ્કાર

                                                    સંસ્કાર

  તાઃ૧૩//૨૦૧૧                                                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મમ્મી બહાર બારણે બાવો આવ્યો છે.એવું મને બારીએથી દેખાય છે. મારા સ્કુલ જવાના સમયે અહીં આવીને ભીખ કેમ માગતા હશે.મને કંઈ સમજ નથી પડતી . હે ભગવાન આ લોકો આ રીતે કેમ જીવતા હશે તે મને સમજાતું નથી. નીરૂબેન રસોડામાં ગેસ ચાલુ કરી દાળ અને શાક ધીમા તાપે બનતા મુકી ઘરના મંદીરમાં સંત જલારામ બાપા અને સંત સાંઈબાબાની માળા કરતા હતા.તેમનો દીકરો અનુજ સ્કુલમાં ભણવા જવાની તૈયારી કરતો હતો.તેર વર્ષના અનુજને તેની મમ્મીએ ઉત્તમ જીવન જીવવા માટે ભણતરનુ મહત્વ સંસ્કારમાં આપેલ.એટલે અનુજ વહેલો ઉઠી નાહી ધોઇ ભગવાનને પગે લાગી પાંચદસ મીનીટ પલાંઠીવાળી બંન્ને સંતોને વંદન કરી લેતો.એ જ્યારે મમ્મી ઉઠીને ચા માટે બોલાવે ત્યારે ઉપલા માળેથી આવ્યો મમ્મી કહીને નીચે આવી મમ્મીને પગે સ્પર્શી જય જલારામ મમ્મી કહે અને મમ્મી તેને બાથમાં જકડી બચી કરી લેતી આ તો દરરોજની વાત થઇ.ઘણી વખત તે લેશનમાં મશગુલ હોય ત્યારે મમ્મી ઉપર આવી કાન પકડી કહે ચલ બેટા ચાનાસ્તો નથી કરવાનો.

સમય તો કોઇ ના હાથમાં નથી.ખુદ રામ ભગવાનને પણ સમય આવતાં જંગલમાં જવું પડ્યુ હતું.પંદર વર્ષ પહેલા નીરૂબેનના લગ્ન વડોદરામાં રહેતા રાવજીભાઈના એકના એક દીકરા રાજેન્દ્ર સાથે થયા હતા.નીરૂબેનને એક મોટી બહેન હતા જે લગ્ન બાદ દીલ્હી રહેતા હતા.લગ્ન પછી નીરૂબેન વડોદરા રહેવા આવી ગયા.તેમના પતિ સરકારી કચેરીમા ક્લાર્કની નોકરી કરતા હતા.પગાર સારો હતો રજાઓ પણ સારી એવી મળતી હતી અને પાછી ખાધેપીધે શાંન્તિ હતી. પણ તેમને બહાર ફરવાનો શોખ પહેલેથી હતો અને રજા મળી કે ફરવા જતા રહે. નીરૂબેનને તેમના માબાપ તરફથી સંસ્કાર મળેલા એટલે સવારે ઉઠી સાસુ સસરાને પગે લાગી નાહી ધોઇ સેવા કરી રસોડામા જઇ રસોઇ તૈયાર કરી ઘરમાં કપડાલત્તા સફાઇ કરવી એ રોજીંદુ બની ગયુ હતું.સાસુ સસરાને કંઇજ કહેવુ ના પડે તે હંમેશાં ધ્યાનમાં રાખતા હતા.તેના પતિ હંમેશાં આઠ વાગે ઉઠે તેમની નોકરી દસ થી છ વાગ્યાની હતી એટલે મોડા ઉઠે.નીરૂબેન તેમના માબાપને ત્યાં અને અહીંયા પણ સવારે સાડા છ વાગે ઉઠી જતા અને સેવા તથા ઘરકામ કરતાં.સાસુ સસરાને પણ આ વહુ માટે માન થયુ કે સંસ્કારી દીકરી છે એટલે તેમના છોકરાને જીવનમાં કોઇ તકલીફ નહીં પડે.

સાસરા પક્ષમાં  નજર કરીએ તો નીરૂબેનના સસરા એ સરકારી કચેરીમાં પટાવાળાનું કામ કરે.ઓફીસના બારણા આગળ બેસી રહેવાનુ અને સાહેબ બોલાવે એટલે અંદર જઇ જે કહે તે કામ કરવાનું. જ્યારે બપોરના ખાવા માટે સમય  મળે ત્યારે બહાર જઈ લારી આગળ ઉભા રહી ચા નાસ્તો કરવાનો અને પછી બીડી પીવાની.સરકારી નોકરી હતી એટલે તેમને  બધા સરકારી લાભ મળે. તેમને ત્રણ દીકરા અને એક દીકરી હતી. મોટો દીકરો નટવર સરકારી સ્કુલમાં માસ્તરની નોકરી કરતો હતો અને તેની પત્ની સરીતા પણ સ્કુલમાં નોકરી કરતી હતી. બીજો દીકરો રાજેન્દ્ર સરકારી કચેરીમા ક્લાર્કનુ કામ કરતો હતો.ત્રીજો દીકરો નરેન્દ્ર ગામમાં એક અનાજની દુકાનમાં રજીસ્ટર પર કામ કરતો હતો. અને દીકરી નંદીની સ્કુલમાં ભણી અને લગ્ન બાદ તેના પતિ મનહરભાઇ સાથે નડીયાદમાં રહેતી હતી.

રાજેન્દ્રભાઇની ઓફીસમાં કારદાકીય કામો થતા હોય એટલે મકાન,મિલ્કત,છુટાછેડા,લગ્ન રજીસ્ટર કે વિદેશ જવાના કાગળો તૈયાર કરી સાહેબ પાસે જઈ સહી કરાવી પરત આપવા આ તેમનું રોજનુ કામ.ઓફીસમાં બહારથી આવેલા માણસોનો દેખાવ,પૈસાનો ઉછાળો અને મોટી મોટી વાતો એ સાંભળી અને જોઇને ઘણી વખત મુંઝાય અને પરદેશ જવાનો વિચાર મનમાં થાય કરે.પણ  હવે છત્રીસ વર્ષે શુ કરવાનુ? લગ્ન થઈ ગયે બે વર્ષ થઈ ગયા અને તેની પત્નિ નીરૂએ બાળકનો જન્મ આપ્યો અને એ પણ એક વર્ષનો થઈ ગયો.પણ જગતમાં માયા અને કાયાનો મોહ કળીયુગમાં કોઇને છોડતો નથી. માબાપે આપેલા સંસ્કાર એ જીવને સદમાર્ગે લઈ જાય નહીં તો પછી એવું પગલુ ભરાય કે ના અહીંના કે ના તહીંના રહેવાય.રાજેન્દ્રને પણ એવી માયા લાગેલ કે અહીંના કરતાં અમેરીકામાં જીવન જીવવાની મઝા આવે.પૈસે ટકે શાંન્તિ મોટર લઈ ફરવાનું અને એય હાયબાય કરીને  લ્હેર કરવાની.એક દીવસ અમેરીકાથી આવેલી ડોલી તેના કાયદાકીય કાગળો લઈને આવેલ.તેના લગ્ન થયેલા પણ તેનો અમેરીકન પતિ રોમી દારૂ સીગરેટ અને બીજી સ્ત્રીયોના સંબેધમાં હોવાથી રાત્રે ઘેર ના આવે.બહાર રખડ્યા કરે અને રાતની  જોબ એક મોટા અમેરીકન શાકભાજીના સ્ટોરમાં રજીસ્ટર પર કરે.ડોલીની સાથે લગ્ન થયે બાર વર્ષ થયેલ પણ પતિનો કોઇ જાતનો સાથ નહી.એક બાળક થયેલ પણ જીવનમાં કોઇ જાતની શાંન્તિ નહી. તે એક મૉટેલમાં ખાવા કરવા જતી અને જીવન જીવી રહી હતી.એક દીવસ તેના પતિ ઘરમાં તેના બાળકની સામે બહારથી લાવેલ સ્ત્રીની સોડમાં બેસી અને નખરા કરે જે સારુ ના કહેવાય તેથી ડોલીએ પોલીસને બોલાવી અને પેલી અડધા કપડા પહેરેલી સ્ત્રીને પોલીસને સોપી દીધી. આ પ્રસંગથી તેનો પતિ ખુબજ અકળાયો અને ત્રીજે દીવસે કોર્ટના કાગળ લઈને છુટાછેડાના સ્ટેમ પેપર પર સહી કરાવી અને જતો રહ્યો. ડૉલી બહુંજ દુખી થઈ એટલે એ જ્યાં નોકરી હતી  તેજ મૉટેલમાં માલીકને વાત કરી નિરાધાર બતાવી તેના છોકરા સાથે રહેવા જતી રહી. મોટલનો માલીક સુરેન્દ્રનગરનો હતો અને તેને તેના સાળાએ બોલાવેલ અને મૉટલ લઈ આપી હતી.તે પોતે જલારામ બાપા અને સાંઇબાબાનો ભક્ત હતો.એટલે કોઇ જીવને દુઃખી ના જુએ અને થાય તે રીતે મદદ કરે.એટલે એણે જ ડૉલીને મોટેલમાં રૂમ આપી બાબાને ચાઇલ્ડકેરમાં મુકી આવે અને લઈ આવે.

ડૉલી પણ અમેરીકન હોઇ લીપસ્ટીકલાલી અને પૅન્ટ પહેરતી એટલે બહુ ઉંમરનો ખ્યાલ ના આવે.એક બે વખત ઓફીસમાં આવી અને રાજેન્દ્ર પર નજર બગડી હતી એટલે એક દીવસ તે બહાર નાસ્તો કરવા લઈ ગઈ અને પછી પોતાની ઇચ્છા બતાવી કે તારે મારી સાથે લગ્ન રજીસ્ટર કરી અમેરીકા આવવુ છે. રાજેન્દ્રની મનની ઇચ્છા હતી અને સામેથી વિનંતી આવી એટલે એ ડૉલીને કહે હું તો હજુ કુવારો જ છું.મારે અમેરીકા જવુ છે એટલે હું રાહ જોઉ છું.તારી સાથે હું લગ્ન રજીસ્ટર કરી લઉ અને પછી હું તારી સાથે અમેરીકા આવી જઉ.કોઇ જાતનો મને વાંધો નથી.ડૉલી ઓફીસમાં કોઇને પુછે તે પહેલા તેણે બધાને જણાવેલ કે કોઇ કંઇ જ કહેશો નહીં.એણે કાયદાકીય કાગળો ગેર રીતીથી તૈયાર કરાવી લગ્ન કરી લીધુ.અને ડૉલી સાથે બહાર જવા ઘેર નીરૂને કહે હું મારી ઓફીસના કામ માટે અઠવાડીયુ બહાર જવાનો છુ.અને તે રીતે એ ડૉલીનો જીવન સાથી બની ગયો.અમેરીકા જવાનો સમય આવ્યો એટલે નીરૂ જોડે ઝગડો કરી તેને ગમેતેમ બોલી તને આ નથી આવડતુ અને તે નથી આવડતુ તેમ કહી ઝગડા શરૂ કર્યા. અને જવાના દીવસે કહે તારી સાથે રહેવામાં કાંઇ જ જીવનમાં મળવાનુ નથી.એટલે હું જતો રહું છું.તારે જેમ કરવું હોય તેમ કરજે. અને આ રીતે તે ડૉલી સાથે અમેરીકા જતો રહ્યો.

મારૂ તારૂ કરતાં જીવનમાં કોઇથી સમય રોકાતો નથી.અમેરીકા આવે આજે નવ વર્ષ થયા શરૂઆતમાં તો ડૉલી તેની બગલમાં ભરાઇ વ્હાલનો વરસાદ વરસાવતી. પણ તેના આ બીજા પતિને ખબર નહીં કે તે એવું તે શું કામ કરે છે કે દરરોજ રાત્રે એક બે વાગે આવે.રાજેન્દ્રની તાકાત પણ નહીં કે તેને પુછે કે કેમ મોડી આવે છે.રાજેન્દ્ર મૉટેલમાં સફાઇ અને રહેવા આવનારની જરૂરીયાત પુરી કરે અન અને  ડૉલીના બાળકનું ધ્યાન આપવાનું.આવુ ઘણા વર્ષ ચાલ્યું પણ આને ખબર ના પડે કે ડૉલી મોડી કેમ આવે છે.એક દીવસ તો જાતે તેની અજાણમાં તે તેની પાછળ ગયો અને જોયુ તો ડૉલી તો એક અમેરીકન મૉટલમાં ત્યાં રહેવા આવેલ ગ્રાહકોની સાથે પડી રહી તેમની મનોકામના પુર્ણ કરતી હતી.રાજેન્દ્રને ઘણુંજ દુઃખ થયું એને એમ થયુ કે તે માયાના મોહમાં ફસાઇ અહીં આવ્યો પણ તેનુ જીવન રોળાઇ ગયું.હવે કોઇ આરો નહીં.પણ એક દીવસ મક્કમ મને કોઇને કહ્યા વગર ભારત પાછો આવી ગયો.તેના માબાપ ગુજરી ગયા હતા બીજા કોઇને મળાય તેમ હતું નહી કારણ તે ખોટા રસ્તે જઈ તેની સંસ્કારી પત્ની નીરૂને છોડીને એ કહ્યા વગર જતો રાહ્યો. નીરૂને કાંઇ જ ખ્યાલ ન હતો એટલે એ સમાજ થી બચવા તેના બાળકને લઈને ડાકોરમાં રહેવા જતી રહી હતી અને ત્યાં એ તેના બાળકને ભણાવતી અને એક ગુજરાતી હોટલમાં ખાવા કરતી હતી.શની રવિ તે મોડી જતી કારણ તે રાત્રે દસ વાગ્યા સુધી કામ કરતી હતી.અનુજ પણ હવે બધુ સમજી વિચારી કામ કરતો અને ભણતો.સમયની સીડી તો જીવને મૃત્યુ મળે ત્યાં સુધી સમજીને ચઢવી પડે.

શનીવારે સવારે નવ વાગ્યાના સમયે એક દાઢી વાળો માણસ તેના ઘર આગળ આવી હાથ ધરી ભીખ માગવા આવ્યો. અનુજે તેને ઉપલા માળની બારીએથી જોયો.તે બોલતો હતો તે તેની માતાએ સાંભળ્યુ તેણે પણ ઉપરેથી જોયુ અને મનમાં વિચારની સાથે નીચે આવી બારણા આગળથી તે ભીખ માગતો દાઢી વાળો ચહેરો જોતા જ તે વર્ષો પહેલાનો સહેવાસ ઓળખી ગઈ.તે બહાર નીકળી તે વખતે અનુજ પણ બોલ્યો મમ્મી આવાને શું કામ ખાવા આપે છે?તે બારણાના ઉંમરા આગળ ઉભો રહ્યો તેની મમ્મી બહાર જઈ ભીખ માગનારની નજીક જઈ કહે તમારે ભીખ માગવાની ના હોય તમે તો મારા પતિ છો એમ કહી પગે લાગી.રાજેન્દને તરતજ ખ્યાલ આવ્યો કે આ તો મારી પત્ની નીરૂ છે જેને હું છોડીને ચાલી ગયો હતો.તે પગે લાગી કહે આ તમારૂ ઘર છે તમારે ભીખ માગવાની ના હોય. રાજેન્દ્ર તેને બાઝી પડ્યો અને તેને પગે લાગવા નમ્યો ત્યાં નીરૂ કહે ના હોય અને ચલો તમે ઘરમાં.અનુજ વિચારતો જ રહ્યો કે આવુ કેમ?ત્યારે રાજેન્દ્ર કહે બેટા હું તારો પિતા છું અને તારી મમ્મીને છોડીને અમેરીકા નાસી ગયો હતો હવે હું પસ્તાઉ છું. તારી મમ્મીએ સંસ્કાર સાચવી તને જીવનની ઉજ્વળ કેડી બતાવી મને મારા મોહમાટે ખુબ જ દુઃખ થાય છે.તારી મમ્મીએ તને જીવન અને ભણતર આપી તને મા અને બાપનો પ્રેમ આપ્યો ધન્ય છે એના માબાપે આપેલ સંસ્કારને.

++++++++++++++++++++++++++++++++++++++++++

Next Page »