September 29th 2009

મનુષ્ય જન્મ

                          મનુષ્ય જન્મ

તાઃ૨૮/૯/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માણસાઇ મારી એવી,જેમાં માનવતા દેખાય
સરળતાની સૃષ્ટિમાં,સાચો પ્રેમ જગે કહેવાય
                        ……..માણસાઇ મારી એવી.
સુખદુઃખના સાગર છે સૌને,ના કોઇથીએ છોડાય
નાનામોટા કે સાધુફકીરને,સાથે જ વળગી જાય
કરતા કામ જગમાં એવા,જ્યાં પ્રેમ વરસી જાય
એવી ભાવના વૃત્તિ સાચી,ને પરમાત્મા હરખાય
                       ……..માણસાઇ મારી એવી.
મળશે માયા જીવ સાથે,મમતાનો ભરેલ ખજાનો
ભાગી શકશે ના દેહ કોઇ,જે આવે જીવ અવનીએ
સાથ અને સહકારના બારણે,પ્રભુ પધારે હરવાર
માણસાઇની એરીતનિરાળી,જ્યાંમળે પ્રભુનીપ્રીત
                         …….માણસાઇ મારી એવી.

***********************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment