September 29th 2009

મા,મમતા ને માયા

                         મા,મમતા ને માયા

તાઃ૨૮/૯/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ સફળ થઇજાય,જ્યાં માની કૃપા મળીજાય
મમતાનો અણસાર મળે,ત્યાં સ્નેહ ઉભરાઇ જાય
માણી લેતા મોહ જગે,ભઇ માયાછે વળગી જાય
નાછુટે આકાયા જગથી,જ્યાં સઘળુ લુંટાઇ જાય
                         ……. જન્મ સફળ થઇ જાય.
સંતાન થતાં માબાપના,શોધવો ના સંતાન પ્રેમ
મળીજાય માનવતાએ,જ્યાં સંસ્કાર સિંચન થાય
કુદરતનીએ અજબલીલા,કે માયામમતા લહેરાય
પાવન જગમાં જીવદીસે,જ્યાં પ્રભુ પ્રીતથઇજાય
                         ……. જન્મ સફળ થઇ જાય.
માની લાગણી મળી જશે, સંતાન બની રહેવાય
મમતાનીપ્રીતના શોધવીપડે,ને દેહ ઉજ્વળથાય
સકળસૃષ્ટિમાં ન્યારી એવી,માયા જો વળગીજાય
જીવ જગતમાં દેહપામી,ઘડી ઘડી જન્મે ભટકાય
                         ……. જન્મ સફળ થઇ જાય.

()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment