ગુરૂપુર્ણિમા
. . ગુરૂપુર્ણિમા
તાઃ૨૨/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતાની મહેંક પ્રસરતા,આ જન્મ સાર્થક થઈ જાય
ઉજ્વળતાની કેડી મળે,જ્યાં ગુરૂજીને સાચા વંદન થાય
. …………………માનવતાની મહેંક પ્રસરતા.
માનવજીવનમાં અનેક મુંઝવણ,ના કોઇનાથી છટકાય
સાચીરાહ મળે માનવને,જ્યાંસદમાર્ગને પકડી ચલાય
અંતરની અભિલાષા ફળતા,જીવનમાં હૈયે આનંદ થાય
મળેકૃપા જલાસાંઇની પ્રદીપને,જ્યાં પ્રેમથી વંદનથાય
. ……………………માનવતાની મહેંક પ્રસરતા.
હિન્દુ ધર્મમાં અનેક રાહે,પરમાત્માને જીવનમાં પુંજાય
ગુરૂ શિક્ષક એ માર્ગ દર્શક છે,જીવને રાહસાચી દઈ જાય
મળે જ્યાં આશિર્વાદવડીલના,જીવ સદગતી પામીજાય
માયામોહના બંધન પણ તુટતા,આફત પણ ભાગી જાય
. …………………….માનવતાની મહેંક પ્રસરતા.
+++++++++++++++++++++++++++++++++++++