July 22nd 2013

ગુરૂપુર્ણિમા

 

saijala

 

 

 

 

 

 

 

 

 

 

.                   . ગુરૂપુર્ણિમા        

તાઃ૨૨/૭/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની મહેંક પ્રસરતા,આ જન્મ સાર્થક થઈ જાય
ઉજ્વળતાની કેડી મળે,જ્યાં ગુરૂજીને સાચા વંદન થાય
.                 …………………માનવતાની મહેંક પ્રસરતા.
માનવજીવનમાં અનેક મુંઝવણ,ના કોઇનાથી છટકાય
સાચીરાહ મળે માનવને,જ્યાંસદમાર્ગને પકડી ચલાય
અંતરની અભિલાષા ફળતા,જીવનમાં હૈયે આનંદ થાય
મળેકૃપા જલાસાંઇની પ્રદીપને,જ્યાં પ્રેમથી વંદનથાય
.              ……………………માનવતાની મહેંક પ્રસરતા.
હિન્દુ ધર્મમાં અનેક રાહે,પરમાત્માને જીવનમાં પુંજાય
ગુરૂ શિક્ષક એ માર્ગ દર્શક છે,જીવને રાહસાચી દઈ જાય
મળે જ્યાં આશિર્વાદવડીલના,જીવ સદગતી પામીજાય
માયામોહના બંધન પણ તુટતા,આફત પણ ભાગી જાય
.             …………………….માનવતાની મહેંક પ્રસરતા.

+++++++++++++++++++++++++++++++++++++