મનની મુંઝવણ
. મનની મુંઝવણ
તાઃ૧૯/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ સ્નેહની સાંકળ છુટતાં,નિર્મળતા ભાગી જાય
મનમાં અનેક મુંઝવણ મળતા,સમજણ ચાલી જાય
. ………………….શીતળ સ્નેહની સાંકળ છુટતાં.
અનેક માર્ગ મળે જીવનમાં,અવનીએ પગ ધારણ થાય
સાચી માનવતા સ્પર્શે જીવને,ત્યાં સદમાર્ગે બુધ્ધિ જાય
અનુભવની એક જ સીડીએ,જીવનમાં શાંન્તિ મળીજાય
ના મુંઝવણનો કોઇ સંગ રહે,નિખાલસ જીવન થઇ જાય
. ………………….શીતળ સ્નેહની સાંકળ છુટતાં.
અજવાળાની એકજ સવાર,મળેલ જન્મ સફળ કરી જાય
ભક્તિમાર્ગની શીતળ કેડીએ,મોહમાયા પણ ભાગી જાય
શીતળ સવારની પ્રથમ ભક્તિએજ,પરમાત્માય હરખાય
આવીઆંગણે સફળતામળે,ને મનની મુંઝવણ ભાગીજાય
. ………………….શીતળ સ્નેહની સાંકળ છુટતાં.
+++++++++++++++++++++++++++++++++++++